દિલ્હી: કૂતરાને મારવાના મામલામાં પોલીસની કાર્યવાહી, ચાર વિદ્યાર્થીઓની ધરપકડ, વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-22 10:58:21

ઘટનાના થોડા દિવસો બાદ હવે દિલ્હી પોલીસે આ ઘટનામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ચાર વિદ્યાર્થીઓ દિલ્હીની ડોન બોસ્કો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજના વિદ્યાર્થીઓ છે, પોલીસે જણાવ્યું હતું. ઘટનાનો વાયરલ વીડિયો સામે આવ્યા બાદ વિસ્તારની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ શનિવારે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

Image

દિલ્હીની ડોન બોસ્કો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના ચાર વિદ્યાર્થીઓની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં ગર્ભવતી કૂતરી પર કથિત રીતે લિંચિંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ કહ્યું કે તેઓ કૂતરાના ભસવાથી પરેશાન હતા.વિદ્યાર્થીઓની આ ક્રૂરતાનો વીડિયો પણ વાયરલ થયો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.