NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં Delhi Policeના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો અને શું કહ્યું અનુરાગ ઠાકુરે?


  • Published By :
  • Published Date : 2023-10-03 14:57:48

દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં દરોડા પાડ્યા છે. પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. મંગળવાર સવારે દિલ્હી, નોયેડા અને ગાઝિયાબાદમાં રેડ કરી હતી. જે પત્રકારોને ત્યાં રેડ પાડવામાં આવી તેમાં પત્રકાર ઉર્મિલેશ અને અભિસાર શર્મા સહિત અનેક પત્રકારોના નામ શામિલ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કરાયા છે.

   

રેડ પડ્યા બાદ પત્રકારોએ આપી આ પ્રતિક્રિયા 

ભાષા સિંહ, ઉર્મિલેશ, પ્રબીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ઔનિંદ્યો ચક્રવતી અને સોહેલ હાશમીને ત્યાં રેડ કરવામાં આવી છે. ત્રીસથી વધુ જગ્યાએ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઈલેક્ટ્રોનિક પુરાવા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્આ છે. ન્યુઝ ક્લિક પર વિદેશી ભંડોળ અંહે કેસ નોંધવામાં આવ્યો છે. અભિસાર શર્માએ ટ્વિટ કરી લખ્યું કે દિલ્હી પોલીસ મારા ઘરે આવી છે. મારું લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ ભાષા સિંહે લખ્યું કે પોતાના ફોનથી હું આ છેલ્લી ટ્વિટ કરી રહી છું. આ પછી દિલ્હી પોલીસે તેમનો ફોન જપ્ત કરી લીધો છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેડ પર આપી પ્રતિક્રિયા 

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ, ચીન અને વિવાદાસ્પદ ન્યુઝ વેબસાઈટ ન્યુઝ ક્લિક એક જ નાળથી જોડાયેલા છે. જ્યારે હું ન્યૂઝ ક્લિક અને તેના ફંડિંગ વિશે વાત કરું છું ત્યારે ભારતમાં તેની વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં રૂપિયા ક્યાંથી લેવાયા અને ક્યાંથી આવ્યા તેની માહિતી છે. જો તમે તેમના ફંડિંગ નેટવર્ક પર નજર નાખો, તો નવલરાય સિંઘમે તેને ભંડોળ પૂરું પાડ્યું હતું. તેને ચીનથી ફંડિંગ મળ્યું હતું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .