NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં Delhi Policeના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો અને શું કહ્યું અનુરાગ ઠાકુરે?


  • Published By :
  • Published Date : 2023-10-03 14:57:48

દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં દરોડા પાડ્યા છે. પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. મંગળવાર સવારે દિલ્હી, નોયેડા અને ગાઝિયાબાદમાં રેડ કરી હતી. જે પત્રકારોને ત્યાં રેડ પાડવામાં આવી તેમાં પત્રકાર ઉર્મિલેશ અને અભિસાર શર્મા સહિત અનેક પત્રકારોના નામ શામિલ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કરાયા છે.

   

રેડ પડ્યા બાદ પત્રકારોએ આપી આ પ્રતિક્રિયા 

ભાષા સિંહ, ઉર્મિલેશ, પ્રબીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ઔનિંદ્યો ચક્રવતી અને સોહેલ હાશમીને ત્યાં રેડ કરવામાં આવી છે. ત્રીસથી વધુ જગ્યાએ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઈલેક્ટ્રોનિક પુરાવા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્આ છે. ન્યુઝ ક્લિક પર વિદેશી ભંડોળ અંહે કેસ નોંધવામાં આવ્યો છે. અભિસાર શર્માએ ટ્વિટ કરી લખ્યું કે દિલ્હી પોલીસ મારા ઘરે આવી છે. મારું લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ ભાષા સિંહે લખ્યું કે પોતાના ફોનથી હું આ છેલ્લી ટ્વિટ કરી રહી છું. આ પછી દિલ્હી પોલીસે તેમનો ફોન જપ્ત કરી લીધો છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેડ પર આપી પ્રતિક્રિયા 

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ, ચીન અને વિવાદાસ્પદ ન્યુઝ વેબસાઈટ ન્યુઝ ક્લિક એક જ નાળથી જોડાયેલા છે. જ્યારે હું ન્યૂઝ ક્લિક અને તેના ફંડિંગ વિશે વાત કરું છું ત્યારે ભારતમાં તેની વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં રૂપિયા ક્યાંથી લેવાયા અને ક્યાંથી આવ્યા તેની માહિતી છે. જો તમે તેમના ફંડિંગ નેટવર્ક પર નજર નાખો, તો નવલરાય સિંઘમે તેને ભંડોળ પૂરું પાડ્યું હતું. તેને ચીનથી ફંડિંગ મળ્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે