NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં Delhi Policeના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો અને શું કહ્યું અનુરાગ ઠાકુરે?


  • Published By :
  • Published Date : 2023-10-03 14:57:48

દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં દરોડા પાડ્યા છે. પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. મંગળવાર સવારે દિલ્હી, નોયેડા અને ગાઝિયાબાદમાં રેડ કરી હતી. જે પત્રકારોને ત્યાં રેડ પાડવામાં આવી તેમાં પત્રકાર ઉર્મિલેશ અને અભિસાર શર્મા સહિત અનેક પત્રકારોના નામ શામિલ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કરાયા છે.

   

રેડ પડ્યા બાદ પત્રકારોએ આપી આ પ્રતિક્રિયા 

ભાષા સિંહ, ઉર્મિલેશ, પ્રબીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ઔનિંદ્યો ચક્રવતી અને સોહેલ હાશમીને ત્યાં રેડ કરવામાં આવી છે. ત્રીસથી વધુ જગ્યાએ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઈલેક્ટ્રોનિક પુરાવા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્આ છે. ન્યુઝ ક્લિક પર વિદેશી ભંડોળ અંહે કેસ નોંધવામાં આવ્યો છે. અભિસાર શર્માએ ટ્વિટ કરી લખ્યું કે દિલ્હી પોલીસ મારા ઘરે આવી છે. મારું લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ ભાષા સિંહે લખ્યું કે પોતાના ફોનથી હું આ છેલ્લી ટ્વિટ કરી રહી છું. આ પછી દિલ્હી પોલીસે તેમનો ફોન જપ્ત કરી લીધો છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેડ પર આપી પ્રતિક્રિયા 

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ, ચીન અને વિવાદાસ્પદ ન્યુઝ વેબસાઈટ ન્યુઝ ક્લિક એક જ નાળથી જોડાયેલા છે. જ્યારે હું ન્યૂઝ ક્લિક અને તેના ફંડિંગ વિશે વાત કરું છું ત્યારે ભારતમાં તેની વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં રૂપિયા ક્યાંથી લેવાયા અને ક્યાંથી આવ્યા તેની માહિતી છે. જો તમે તેમના ફંડિંગ નેટવર્ક પર નજર નાખો, તો નવલરાય સિંઘમે તેને ભંડોળ પૂરું પાડ્યું હતું. તેને ચીનથી ફંડિંગ મળ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.