Delhi Rain: વાયુ પ્રદૂષણ વચ્ચે દિલ્હીના અનેક ભાગોમાં આવ્યો વરસાદ, ઘટ્યું AQI, અચાનક ગાયબ થઈ ગયું પ્રદૂષણ!


  • Published By :
  • Published Date : 2023-11-10 12:23:51

છેલ્લા થોડા સમયથી દિલ્હીની ચર્ચા વાયુ પ્રદૂષણને કારણે થઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે તેવી વાતો કરવામાં આવે છે, તેવા સમાચાર અનેક વખત તમે વાંચ્યા હશે. ત્યારે આજે દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. 9 અને 10 નવેમ્બર દરમિયાન થયેલા વરસાદને કારણે ઝેરી હવાથી થોડી રાહત મળી છે. દિલ્હીમાં એવા સમયે વરસાદ થયો છે જ્યારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે બનાવટી વરસાદ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. 20 અને 21 નવેમ્બરે બનાવટી વરસાદ કરવાનો વિચાર કરાઈ રહ્યો હતો.   

વરસાદી ઝાપટાને કારણે વાયુ પ્રદૂષણનું ઘટ્યું સ્તર  

વાયુ પ્રદૂષણની સમસ્યા દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વધી રહી છે. એક્યુઆઈ ભયજનક સપાટીને વટાવી ચૂક્યો છે. દિલ્હીવાસીઓ છેલ્લા ઘણા સમયથી વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગંભીર પ્રદૂષણનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે કારણ કે દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ની આસપાસ પહોંચ્યો છે. વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે વરસાદી ઝાપટાને કારણે દિલ્હીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું છે. 


કુત્રિમ વરસાદ અંગે થઈ રહ્યો હતો વિચાર 

દિલ્હી-એનસીઆરના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. સવારે જ્યારે દિલ્હીવાસીઓ ઉઠ્યા ત્યારે અલગ હવામાનમાં ઉઠ્યા. દિલ્હી સિવાય નોઇડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદને કારણે છેલ્લા ઘણા દિવસો પછી 400થી નીચે એક્યુઆઈ પહોંચ્યો છે. કુદરતે દિલ્હીવાસીઓને દિવાળીની ભેટ આપી હોય તેવું લાગી રહ્યું છે.! જ્યારે કમોસમી વરસાદ આવતો હોય છે તો તે દુખદ સાબિત થતો હોય છે પરંતુ આ વરસાદ દિલ્હીવાસીઓને આનંદની અનુભૂતિ કરાવતો હશે.!   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે