Delhi Rain: વાયુ પ્રદૂષણ વચ્ચે દિલ્હીના અનેક ભાગોમાં આવ્યો વરસાદ, ઘટ્યું AQI, અચાનક ગાયબ થઈ ગયું પ્રદૂષણ!


  • Published By :
  • Published Date : 2023-11-10 12:23:51

છેલ્લા થોડા સમયથી દિલ્હીની ચર્ચા વાયુ પ્રદૂષણને કારણે થઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે તેવી વાતો કરવામાં આવે છે, તેવા સમાચાર અનેક વખત તમે વાંચ્યા હશે. ત્યારે આજે દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. 9 અને 10 નવેમ્બર દરમિયાન થયેલા વરસાદને કારણે ઝેરી હવાથી થોડી રાહત મળી છે. દિલ્હીમાં એવા સમયે વરસાદ થયો છે જ્યારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે બનાવટી વરસાદ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. 20 અને 21 નવેમ્બરે બનાવટી વરસાદ કરવાનો વિચાર કરાઈ રહ્યો હતો.   

વરસાદી ઝાપટાને કારણે વાયુ પ્રદૂષણનું ઘટ્યું સ્તર  

વાયુ પ્રદૂષણની સમસ્યા દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વધી રહી છે. એક્યુઆઈ ભયજનક સપાટીને વટાવી ચૂક્યો છે. દિલ્હીવાસીઓ છેલ્લા ઘણા સમયથી વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગંભીર પ્રદૂષણનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે કારણ કે દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ની આસપાસ પહોંચ્યો છે. વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે વરસાદી ઝાપટાને કારણે દિલ્હીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું છે. 


કુત્રિમ વરસાદ અંગે થઈ રહ્યો હતો વિચાર 

દિલ્હી-એનસીઆરના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. સવારે જ્યારે દિલ્હીવાસીઓ ઉઠ્યા ત્યારે અલગ હવામાનમાં ઉઠ્યા. દિલ્હી સિવાય નોઇડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદને કારણે છેલ્લા ઘણા દિવસો પછી 400થી નીચે એક્યુઆઈ પહોંચ્યો છે. કુદરતે દિલ્હીવાસીઓને દિવાળીની ભેટ આપી હોય તેવું લાગી રહ્યું છે.! જ્યારે કમોસમી વરસાદ આવતો હોય છે તો તે દુખદ સાબિત થતો હોય છે પરંતુ આ વરસાદ દિલ્હીવાસીઓને આનંદની અનુભૂતિ કરાવતો હશે.!   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.