Delhi Water Crisis : જળસંકટને લઈ આપ નેતા અતિશીના ઉપવાસ, એક એક બુંદ માટે લોકો તરસે અને બીજી તરફ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-22 19:11:00

દિલ્હીમાં અત્યારે જળ સંકટ ચાલી રહ્યું છે. પાણીના એક એક ટીપાં માટે લોકો તરસી રહ્યા છે દિલ્હીમાં સરકાર આમ આદમી પાર્ટીની છે અને કોર્પોરેશનમાં પણ સરકાર aapની છે. લોકોને પાણી મળે તે માટે આમ આદમી પાર્ટીના નેતા ઉપવાસ પર બેઠા છે. શું એ લોકો પોતાની સામે જ ધરણા પર બેઠા છે, ઉપવાસ પર બેઠા છે?

અલગ અલગ રાજ્યોમાંથી દિલ્હીમાં આવી રહ્યું છે પાણી 

ઉનાળાના સમયમાં પાણીની ખેંચ પડતી હોય છે. જેને પાણી આસાનીથી મળી રહે છે તેને પાણીની કિંમત નથી હોતી પરંતુ પાણીની કિંમત શું છે તે લોકો સમજાવી શકશે જે પાણીની એક બુંદ માટે તરસે છે. દિલ્હીમાં જળ સંકટ ચરમસીમા પર છે. દિલ્હીમાં પાણીનો સપલાય મળે તે માટે દેશના અનેક રાજ્યોમાંથી પાણી મોકલવામાં આવી રહ્યું છે. દિલ્હીની પાણીની જરૂરિયાત હરિયાણા સરકાર યમુના નદીમાંથી, ઉત્તર પ્રદેશ સરકાર ગંગા નદીમાંથી અને પંજાબ સરકાર ભાકરા નાંગલ ડેમના પાણીથી પૂરી કરે છે. 



દિલ્હીના જળમંત્રી આતિશી ભૂખ હડતાળ પર બેઠા છે!

2023ના અહેવાલ મુજબ, દિલ્હીને યમુનામાંથી દરરોજ 389 મિલિયન ગેલન, ગંગા નદીમાંથી 253 મિલિયન ગેલન અને ભાકરા-નાંગલ (રાવી-બિયાસ નદી)માંથી 221 મિલિયન ગેલન પાણી મળતું હતું. પણ અત્યારે પાણીની કમી થઈ ત્યારે આપના નેતા એટલે દિલ્હી સરકાર એ આક્ષેપ કેરે છે કે હરિયાણાથી જે પાણી મળવાનું હતું એ નથી મળ્યું અને એટલેજ નેતાઓ ધરણા પર બેઠા છે દિલ્હીના જળ મંત્રી આતિશી હરિયાણામાંથી દરરોજ 100 મિલિયન ગેલન પાણીની માંગને લઈને ભૂખ હડતાળ પર છે. હડતાળ શરૂ કરતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. 



આતિશીનો આરોપ છે કે... 

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા, AAP સાંસદ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ પણ તેમની સાથે હાજર હતા. આતિશી દક્ષિણ દિલ્હીના ભોગલમાં ભૂખ હડતાળ પર છે. તેમનો આરોપ છે કે તમામ પ્રયાસો છતાં હરિયાણા સરકાર દિલ્હીના પાણીનો સંપૂર્ણ હિસ્સો છોડતી નથી. સાથે જ આ હડતાળમાં સંજય સિંહ પણ બેઠા છે તેમનું કહવું છે કે આ સખત ગરમીમાં પશુ-પક્ષીઓ માટે ધાબા પર પાણી રાખીએ છીએ. પાણીની પરબ  માણસો માટે ચલાવવામાં આવે છે, પરંતુ ભાજપના લોકો એટલા ક્રૂર છે કે તેઓ દિલ્હીની જનતાને પાણીના એક-એક ટીપા માટે તરસાવી રહ્યા છે.આતિશીએ તેમની હડતાલને જળ સત્યાગ્રહ ગણાવ્યું છે. 



શું છે દિલ્હીમાં જળસંકટના કારણો? 

દિલ્હીમાં જળ સંકટના બે કારણો છે - ગરમી અને પડોશી રાજ્યો પર નિર્ભરતા. દિલ્હી પાસે પોતાનો કોઈ પાણીનો સ્ત્રોત નથી. તે પાણી માટે પડોશી રાજ્યો પર નિર્ભર છે. દિલ્હી જલ બોર્ડ અનુસાર, આ વર્ષે દિલ્હીમાં દરરોજ 321 મિલિયન ગેલન પાણીની અછત છે.એટલે લોકો તડપી રહ્યા છે પણ એવું નથી કે દિલ્હી સરકારને અચાનક ખબર પડી કે પાણીની કમી થશે અરવિંદ કેજરીવાલ જ્યારે જેલ જઈ રહ્યા હતા ત્યારે પણ તેમણે આ વાત કરી હતી. જો કે વધારે ખરાબ વાત એ છે કે ત્યાં માણસો એક એક ટીપું પાણી માટે તરસે છે અને કેન્દ્ર સરકાર પ્રદર્શન રોકવા એમના પર જ પાણી છાંટી રહી છે..! હવે દિલ્લી સરકાર આ ધરણામાં કેટલી સફળ થાય છે એ સમય બતાવશે .....



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.