મહીસાગરના બાલાસિનોરમાં શિક્ષિકાની છેડતીના મામલે DEOએ આપ્યો તપાસનો આદેશ, આચાર્ય સામે નોંધાઇ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-10-31 20:22:01

રાજ્યની શાળાઓમાં વિદ્યાદાન કરતા શિક્ષકો અને શિક્ષિકાઓનું ચારિત્ર્યનું સ્તર કથળી રહ્યું છે. મહીસાગરમાં ફરી એક ગુરુનું કાળું કરતૂત આવી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાલાસિનોર પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષીકાની છેડતી કરી હોવાના અહેવાલ બાદ આ કિસ્સાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. શિક્ષિકાની છેડતી કરનારા આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. આ જ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.


લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહીની માગ


મહીસાગર જિલ્લાના બાલાસિનોરની પ્રાથમિક શાળાના આચાર્ય પર છેડતી નો આરોપ લાગ્યો હતો. હવે આ મામલે બાલાસિનોર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયૅવાહી હાથ ધરી છે. તળાવ દરવાજા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હતી. તેથી શિક્ષિકાએ આચાર્ય અબુબકર શેખ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી છેક ગાંધીનગર શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી. શાળાના જ આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હોવાના કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે અને છેડતીની સમગ્ર તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.