દિયોદરના MLA કેશાજી ચૌહાણને પાણી મુદ્દે વચન આપવું ભારે પડ્યું, હવે સાંભળવા પડી રહ્યા છે લોકોના મ્હેણાં ટોણાં


  • Published By :
  • Published Date : 2023-05-24 18:35:37

ઉનાળાના ધોમઘખતા તાપથી ત્રસ્ત ઉત્તર ગુજરાતના લોકો પાણીની અછતથી પણ ત્રાહિમામ પોકારી ગયા છે. બનાસકાંઠામાં પાણીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણને પાણી મુદ્દે લોકોના મ્હેણાં ટોણાં સાંભળવા પડી રહ્યા છે. કેમ કે ધારાસભ્ય કેશાજી ચૌહાણે એક મહિના પહેલા દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો હલ લાવવા તમામ તાકાત લગાડવાની જાહેરાત કરી હતી. પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની તેમજ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી ન આપવાની જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે. અને લોકો તેમને,  તેમના વચન યાદ કરાવે છે. ત્યારે લોકોમાં સવાલ એ પણ ઉઠવા પામી રહ્યો છે કે સરકાર દિયોદર પંથકમાં પાણી ક્યારે લાવશે અને આ પાણીદાર નેતાના માથે પાઘડી ક્યારે બંધાશે?


લોકોના આકરા વ્હેણ સાંભળવા પડે છે


દિયોદર પંથકમાં પાણીની સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી આમ કેશાજીનું આ મોટું નિવેદન હવામાં જ ઓગળી ગયું છે. જોકે વારંવાર દિયોદર પંથકના ખેડૂતો અને આગેવાનો કેશાજીને પોતાના વચનની યાદ આડકતરી રીતે દેવડાવતા જોવા મળે છે. હવે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યને ઘેરીને લોકો જવાબ માંગી રહ્યા છે, ત્યારે તેમના સવાલના જવાબ આપવામાં પણ ફાંફા પડી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.