પત્રકારોની જમાવટ: દેવાંશી જોશીએ પત્રકાર Ajay Umatને અનેક દુર્ઘટનાઓને લઈ સવાલ પૂછ્યો, રાજકોટ દુર્ઘટનાને લઈ અનેક સવાલોના મળી જશે જવાબ!


  • Published By :
  • Published Date : 2024-05-31 13:43:47

થોડા સમય પહેલા ગુજરાતમાં એક નિવેદનને કારણે મોટું આંદોલન છેડાઈ ગયું હતું.. અનેક જગ્યાઓ પર નિવેદનનો વિરોધ થયો, અનેક નેતાઓને નાગરિકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું.. તે સમયે લાગતું હતું કે નાગરિકો જે ધારે તે કરી શકે છે. નાગરિકમાં તે શક્તિ રહેલી છે કે ભલ ભલી સરકારને હલાવી નાખે.. અનેક વખત એવું જોવામાં આવ્યું છે અનેક મુદ્દાઓ પર નાગરિક બોલે છે પરંતુ સુરક્ષાની વાત જ્યારે આવે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે.. સમાજની વાત આવે ત્યારે લોકોને એક થતા જોયા છે પરંતુ જ્યારે નાગરિક થવાની વાત આવે ત્યારે તે મૌન થઈ જાય છે.

દુર્ઘટના સર્જાઈ તે બાદ તંત્ર એક્શનમાં આવ્યું 

રાજકોટમાં બનેલી ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા છે.. લોકોમાં રહેલી ચેતના જાણે સુઈ ગઈ હોય તેવું લાગે છે.. રાજકોટમાં બનેલી ઘટના સહિત અનેક મુદ્દાઓને લઈ દેવાંશી જોષીએ વરિષ્ઠ પત્રકાર Ajay Umat સાથે પત્રકારોની જમાવટ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી.. વાતચીત દરમિયાન સરે જણાવ્યું કે રાજકોટની દુર્ઘટના બાદ અનેક જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું અને ગેમ ઝોનને સિલ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ દુર્ઘટના સર્જાઈ તે બાદ..રાજકોટમાં આટલી મોટી ઈમારત કેવી રીતે બની ગઈ તેની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી.. અનેક કાયદાઓની વાત કરી હતી.. 



અનેક કિસ્સાઓને તેમણે યાદ કર્યા.. 

તે સિવાય સિસ્ટમને લઈ પણ તેમણે વાતો કરી.. હાઈકોર્ટના નિર્દેશોને જાણે સિસ્ટમ ઘોળીને પી ગઈ હોય તેવું લાગે છે તેવું તેમણે કહ્યું.. હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો પંરતુ તેનું પાલન કેટલું થયું તે આપણે જાણીએ છીએ.. તે સિવાય તેમણે અમદાવાદમાં બનેલા ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ જિંદગી કેમ ના હોય તે જિંદગી કિંમતી છે.. બે લાખ, ચાર લાખનું વળતર આપો તે તો મજાક થઈ ગઈ છે તેમણે કહ્યું.. તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી તપાસના રિપોર્ટ વિશે પણ તેમણે વાત કરી હતી..    



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.