પત્રકારોની જમાવટ: દેવાંશી જોશીએ પત્રકાર Ajay Umatને અનેક દુર્ઘટનાઓને લઈ સવાલ પૂછ્યો, રાજકોટ દુર્ઘટનાને લઈ અનેક સવાલોના મળી જશે જવાબ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 13:43:47

થોડા સમય પહેલા ગુજરાતમાં એક નિવેદનને કારણે મોટું આંદોલન છેડાઈ ગયું હતું.. અનેક જગ્યાઓ પર નિવેદનનો વિરોધ થયો, અનેક નેતાઓને નાગરિકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું.. તે સમયે લાગતું હતું કે નાગરિકો જે ધારે તે કરી શકે છે. નાગરિકમાં તે શક્તિ રહેલી છે કે ભલ ભલી સરકારને હલાવી નાખે.. અનેક વખત એવું જોવામાં આવ્યું છે અનેક મુદ્દાઓ પર નાગરિક બોલે છે પરંતુ સુરક્ષાની વાત જ્યારે આવે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે.. સમાજની વાત આવે ત્યારે લોકોને એક થતા જોયા છે પરંતુ જ્યારે નાગરિક થવાની વાત આવે ત્યારે તે મૌન થઈ જાય છે.

દુર્ઘટના સર્જાઈ તે બાદ તંત્ર એક્શનમાં આવ્યું 

રાજકોટમાં બનેલી ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા છે.. લોકોમાં રહેલી ચેતના જાણે સુઈ ગઈ હોય તેવું લાગે છે.. રાજકોટમાં બનેલી ઘટના સહિત અનેક મુદ્દાઓને લઈ દેવાંશી જોષીએ વરિષ્ઠ પત્રકાર Ajay Umat સાથે પત્રકારોની જમાવટ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી.. વાતચીત દરમિયાન સરે જણાવ્યું કે રાજકોટની દુર્ઘટના બાદ અનેક જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું અને ગેમ ઝોનને સિલ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ દુર્ઘટના સર્જાઈ તે બાદ..રાજકોટમાં આટલી મોટી ઈમારત કેવી રીતે બની ગઈ તેની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી.. અનેક કાયદાઓની વાત કરી હતી.. 



અનેક કિસ્સાઓને તેમણે યાદ કર્યા.. 

તે સિવાય સિસ્ટમને લઈ પણ તેમણે વાતો કરી.. હાઈકોર્ટના નિર્દેશોને જાણે સિસ્ટમ ઘોળીને પી ગઈ હોય તેવું લાગે છે તેવું તેમણે કહ્યું.. હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો પંરતુ તેનું પાલન કેટલું થયું તે આપણે જાણીએ છીએ.. તે સિવાય તેમણે અમદાવાદમાં બનેલા ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ જિંદગી કેમ ના હોય તે જિંદગી કિંમતી છે.. બે લાખ, ચાર લાખનું વળતર આપો તે તો મજાક થઈ ગઈ છે તેમણે કહ્યું.. તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી તપાસના રિપોર્ટ વિશે પણ તેમણે વાત કરી હતી..    



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.