પત્રકારોની જમાવટ: દેવાંશી જોશીએ પત્રકાર Ajay Umatને અનેક દુર્ઘટનાઓને લઈ સવાલ પૂછ્યો, રાજકોટ દુર્ઘટનાને લઈ અનેક સવાલોના મળી જશે જવાબ!


  • Published By :
  • Published Date : 2024-05-31 13:43:47

થોડા સમય પહેલા ગુજરાતમાં એક નિવેદનને કારણે મોટું આંદોલન છેડાઈ ગયું હતું.. અનેક જગ્યાઓ પર નિવેદનનો વિરોધ થયો, અનેક નેતાઓને નાગરિકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું.. તે સમયે લાગતું હતું કે નાગરિકો જે ધારે તે કરી શકે છે. નાગરિકમાં તે શક્તિ રહેલી છે કે ભલ ભલી સરકારને હલાવી નાખે.. અનેક વખત એવું જોવામાં આવ્યું છે અનેક મુદ્દાઓ પર નાગરિક બોલે છે પરંતુ સુરક્ષાની વાત જ્યારે આવે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે.. સમાજની વાત આવે ત્યારે લોકોને એક થતા જોયા છે પરંતુ જ્યારે નાગરિક થવાની વાત આવે ત્યારે તે મૌન થઈ જાય છે.

દુર્ઘટના સર્જાઈ તે બાદ તંત્ર એક્શનમાં આવ્યું 

રાજકોટમાં બનેલી ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા છે.. લોકોમાં રહેલી ચેતના જાણે સુઈ ગઈ હોય તેવું લાગે છે.. રાજકોટમાં બનેલી ઘટના સહિત અનેક મુદ્દાઓને લઈ દેવાંશી જોષીએ વરિષ્ઠ પત્રકાર Ajay Umat સાથે પત્રકારોની જમાવટ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી.. વાતચીત દરમિયાન સરે જણાવ્યું કે રાજકોટની દુર્ઘટના બાદ અનેક જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું અને ગેમ ઝોનને સિલ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ દુર્ઘટના સર્જાઈ તે બાદ..રાજકોટમાં આટલી મોટી ઈમારત કેવી રીતે બની ગઈ તેની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી.. અનેક કાયદાઓની વાત કરી હતી.. 



અનેક કિસ્સાઓને તેમણે યાદ કર્યા.. 

તે સિવાય સિસ્ટમને લઈ પણ તેમણે વાતો કરી.. હાઈકોર્ટના નિર્દેશોને જાણે સિસ્ટમ ઘોળીને પી ગઈ હોય તેવું લાગે છે તેવું તેમણે કહ્યું.. હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો પંરતુ તેનું પાલન કેટલું થયું તે આપણે જાણીએ છીએ.. તે સિવાય તેમણે અમદાવાદમાં બનેલા ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ જિંદગી કેમ ના હોય તે જિંદગી કિંમતી છે.. બે લાખ, ચાર લાખનું વળતર આપો તે તો મજાક થઈ ગઈ છે તેમણે કહ્યું.. તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી તપાસના રિપોર્ટ વિશે પણ તેમણે વાત કરી હતી..    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે