Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava સાથે જમાવટની ટીમે કર્યો સંવાદ, જાણો શું છે ચૈતર વસાવાનું વિઝન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 17:46:24

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન થવાને કારણે કોંગ્રસના નેતાઓ આપ ઉમેદવારના સમર્થનમાં દેખાય છે તો આપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં દેખાય છે.. જમાવટની ઈલેક્શન યાત્રા ભરૂચ લોકસભા બેઠક પહોંચી હતી અને  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે વાત કરી હતી. 

મનસુખ વસાવા માટે ચૈતર વસાવાએ કહ્યું કે.. 

ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે..  ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે...જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી અને તે કયા વિઝન સાથે આગળ વધશે તેની વાત કરી હતી.. મનસુખ વસાવાને લઈ તેમણે વાત કરી હતી. નિવેદન આપતા તેમણે કહ્યું કે સામે મનસુખ દાદા છે અમને તો ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ 30 વર્ષ આપ્યા...


જો ચૈતર વસાવા સાંસદ બનશે તો તે શું કામ કરશે? 

વધુમાં તેમણે કહ્યું કે લોકો ખુદ આ વખતે ઈન્ડિયા ગઠબંધનને સમર્થન કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે મનસુખ દાદાને લોકો આરામ આપશે અને મને તક આપશે.. યુવાનો માટે ચૈતર વસાવા શું કામ કરશે તે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે યુવાનોને કાયમી રોજગાર મળે તે માટે તેઓ પ્રયાસ કરશે... તે ઉપરાંત મફત શિક્ષણ સારૂં મળે એ પણ અમે પ્રયત્ન કરીશું.. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરે છે.. એટલે પૂરો વિશ્વાસ છે કે અમારી મહેનત અને લોકોનું સમર્થન એટલું મળી રહ્યું છે કે અમે સારા એવા માર્જીનથી જીતી જઈશું.. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે? 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..