Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava સાથે જમાવટની ટીમે કર્યો સંવાદ, જાણો શું છે ચૈતર વસાવાનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-04-29 17:46:24

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન થવાને કારણે કોંગ્રસના નેતાઓ આપ ઉમેદવારના સમર્થનમાં દેખાય છે તો આપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં દેખાય છે.. જમાવટની ઈલેક્શન યાત્રા ભરૂચ લોકસભા બેઠક પહોંચી હતી અને  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે વાત કરી હતી. 

મનસુખ વસાવા માટે ચૈતર વસાવાએ કહ્યું કે.. 

ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે..  ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે...જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી અને તે કયા વિઝન સાથે આગળ વધશે તેની વાત કરી હતી.. મનસુખ વસાવાને લઈ તેમણે વાત કરી હતી. નિવેદન આપતા તેમણે કહ્યું કે સામે મનસુખ દાદા છે અમને તો ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ 30 વર્ષ આપ્યા...


જો ચૈતર વસાવા સાંસદ બનશે તો તે શું કામ કરશે? 

વધુમાં તેમણે કહ્યું કે લોકો ખુદ આ વખતે ઈન્ડિયા ગઠબંધનને સમર્થન કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે મનસુખ દાદાને લોકો આરામ આપશે અને મને તક આપશે.. યુવાનો માટે ચૈતર વસાવા શું કામ કરશે તે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે યુવાનોને કાયમી રોજગાર મળે તે માટે તેઓ પ્રયાસ કરશે... તે ઉપરાંત મફત શિક્ષણ સારૂં મળે એ પણ અમે પ્રયત્ન કરીશું.. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરે છે.. એટલે પૂરો વિશ્વાસ છે કે અમારી મહેનત અને લોકોનું સમર્થન એટલું મળી રહ્યું છે કે અમે સારા એવા માર્જીનથી જીતી જઈશું.. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે? 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.