Bharuch Loksabha Seatના ઉમેદવાર Chaitar Vasava સાથે જમાવટની ટીમે કર્યો સંવાદ, જાણો શું છે ચૈતર વસાવાનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-04-29 17:46:24

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.. લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન થવાને કારણે કોંગ્રસના નેતાઓ આપ ઉમેદવારના સમર્થનમાં દેખાય છે તો આપના નેતાઓ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં દેખાય છે.. જમાવટની ઈલેક્શન યાત્રા ભરૂચ લોકસભા બેઠક પહોંચી હતી અને  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે વાત કરી હતી. 

મનસુખ વસાવા માટે ચૈતર વસાવાએ કહ્યું કે.. 

ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે..  ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે...જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી અને તે કયા વિઝન સાથે આગળ વધશે તેની વાત કરી હતી.. મનસુખ વસાવાને લઈ તેમણે વાત કરી હતી. નિવેદન આપતા તેમણે કહ્યું કે સામે મનસુખ દાદા છે અમને તો ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ 30 વર્ષ આપ્યા...


જો ચૈતર વસાવા સાંસદ બનશે તો તે શું કામ કરશે? 

વધુમાં તેમણે કહ્યું કે લોકો ખુદ આ વખતે ઈન્ડિયા ગઠબંધનને સમર્થન કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે મનસુખ દાદાને લોકો આરામ આપશે અને મને તક આપશે.. યુવાનો માટે ચૈતર વસાવા શું કામ કરશે તે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે યુવાનોને કાયમી રોજગાર મળે તે માટે તેઓ પ્રયાસ કરશે... તે ઉપરાંત મફત શિક્ષણ સારૂં મળે એ પણ અમે પ્રયત્ન કરીશું.. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરે છે.. એટલે પૂરો વિશ્વાસ છે કે અમારી મહેનત અને લોકોનું સમર્થન એટલું મળી રહ્યું છે કે અમે સારા એવા માર્જીનથી જીતી જઈશું.. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે? 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.