લ્યો બોલો! ACBના સકંજામાંથી લાંચિયો ડેપ્યુટી ઇજનેર ફરાર, 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો


  • Published By :
  • Published Date : 2023-04-12 18:10:56

સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે, સરકારના તમામ વિભાગો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે સામાન્ય માણસનું કોઈ પણ લાંચ આપ્યા વગર થતું જ નથી.  રાજ્યમાં અનેક વખત સરકારી અધિકારીઓ પણ  લાંચ લેતા પકડાતા હોય છે. લાંચ લેતા આરોપીઓને પકડવા માટે એસીબી છટકું ગોઠવતી હોય છે. જેમ કે તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. ઈજનેરને 2 લાખની  લાંચ લેતા વડોદરા અને નર્મદા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ ઈજનેર એસીબીની આંખમાં ધુળ નાખીને ફરાર થઈ જતા હાહાકાર મચી ગયો છે. એસીબીના સકંજામાંથી ભાગી છુટેલા ડેપ્યુટી ઈજનેરના કારણે એન્ટિ કરપ્સન વિભાગની હાલત કફોડી થઈ છે.


બે કોન્ટ્રાક્ટરોની મદદથી ફરાર થયો


બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયેલા નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર નસવાડી રેસ્ટ હાઉસ ખાતે લાવી વધુ તપાસ કરતી હતી તે વખતે તે ફરાર થઈ જતાં પોલીસતંત્ર દોડતું થયું છે. બે સ્થાનિક કોન્ટ્રાક્ટરોની મદદથી ડેપ્યુટી એન્જિનિયર કારમાં ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. 


લાંચના ચક્કરમાં અનેક લોકોએ ગુમાવી છે નોકરી 

ભ્રષ્ટાચારને રોકવા માટે એસીબી કાર્યવાહી કરી રહી છે. અનેક વખત અધિકારીઓને રંગે હાથે પકડવા માટે એસીબી દ્વારા ચોકઠું ગોઠવવામાં આવતું હોય છે. લાંચ લેવાના ચક્કરમાં અનેક અધિકારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. ત્યારે લાંચ લેતા પકડાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેરે 10 લાખ રુપિયાની માગણી કરી હતી. ત્યારે એસીબીએ બે લાખ રુપિયાની લાંચ લેતા મદદનીશ ઈજનેરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. 


10 લાખની લાંચ માટે કરી હતી માગણી!  

મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામને પૂર્ણ કરવા 1.20 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.આ બિલ માટે નસવાડીના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર હરિશ ચૌધરીએ 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ વાતને લઈ ફરિયાદ પણ કરવામાં આવી હતી. હરીશ ચૌધરીને બે લાખ રુપિયા ફરિયાદીએ આપ્યા હતા. જે બાદ બાકી રહેલી રકમ માટે અવાર-નવાર ફરિયાદીને હેરાન કરવામાં આવતો હતો.   


રંગેહાથ લાંચ લેતા ઝડપાયા હરીશ ચૌધરી!

બે લાખ રૂપિયા ફરિયાદીએ ઈજનેરને આપ્યા હતા. 2 લાખ રુપિયા આપવાનું નક્કી કરાયું હતું. ફરિયાદી બાકીની રકમ આપવા ન માગતો હતો જેથી તેણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ઈજનેરને રંગે હાથ પકડવા માટે એસીબીએ ટ્રેપ ગોઠવ્યું હતું. ઈજનેરે ફરિયાદી સાથે પોતાની ઓફિસમાં વાતચીત કરી અને બે લાખની માગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ ઈજનેરને પૈસા આપ્યા હતા. અને રુપિયાનો સ્વીકાર કરતા જ એસીબી દ્વારા તેને પકડી લેવાયો હતો.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.