લ્યો બોલો! ACBના સકંજામાંથી લાંચિયો ડેપ્યુટી ઇજનેર ફરાર, 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો


  • Published By :
  • Published Date : 2023-04-12 18:10:56

સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે, સરકારના તમામ વિભાગો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે સામાન્ય માણસનું કોઈ પણ લાંચ આપ્યા વગર થતું જ નથી.  રાજ્યમાં અનેક વખત સરકારી અધિકારીઓ પણ  લાંચ લેતા પકડાતા હોય છે. લાંચ લેતા આરોપીઓને પકડવા માટે એસીબી છટકું ગોઠવતી હોય છે. જેમ કે તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. ઈજનેરને 2 લાખની  લાંચ લેતા વડોદરા અને નર્મદા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ ઈજનેર એસીબીની આંખમાં ધુળ નાખીને ફરાર થઈ જતા હાહાકાર મચી ગયો છે. એસીબીના સકંજામાંથી ભાગી છુટેલા ડેપ્યુટી ઈજનેરના કારણે એન્ટિ કરપ્સન વિભાગની હાલત કફોડી થઈ છે.


બે કોન્ટ્રાક્ટરોની મદદથી ફરાર થયો


બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયેલા નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર નસવાડી રેસ્ટ હાઉસ ખાતે લાવી વધુ તપાસ કરતી હતી તે વખતે તે ફરાર થઈ જતાં પોલીસતંત્ર દોડતું થયું છે. બે સ્થાનિક કોન્ટ્રાક્ટરોની મદદથી ડેપ્યુટી એન્જિનિયર કારમાં ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. 


લાંચના ચક્કરમાં અનેક લોકોએ ગુમાવી છે નોકરી 

ભ્રષ્ટાચારને રોકવા માટે એસીબી કાર્યવાહી કરી રહી છે. અનેક વખત અધિકારીઓને રંગે હાથે પકડવા માટે એસીબી દ્વારા ચોકઠું ગોઠવવામાં આવતું હોય છે. લાંચ લેવાના ચક્કરમાં અનેક અધિકારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. ત્યારે લાંચ લેતા પકડાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેરે 10 લાખ રુપિયાની માગણી કરી હતી. ત્યારે એસીબીએ બે લાખ રુપિયાની લાંચ લેતા મદદનીશ ઈજનેરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. 


10 લાખની લાંચ માટે કરી હતી માગણી!  

મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામને પૂર્ણ કરવા 1.20 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.આ બિલ માટે નસવાડીના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર હરિશ ચૌધરીએ 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ વાતને લઈ ફરિયાદ પણ કરવામાં આવી હતી. હરીશ ચૌધરીને બે લાખ રુપિયા ફરિયાદીએ આપ્યા હતા. જે બાદ બાકી રહેલી રકમ માટે અવાર-નવાર ફરિયાદીને હેરાન કરવામાં આવતો હતો.   


રંગેહાથ લાંચ લેતા ઝડપાયા હરીશ ચૌધરી!

બે લાખ રૂપિયા ફરિયાદીએ ઈજનેરને આપ્યા હતા. 2 લાખ રુપિયા આપવાનું નક્કી કરાયું હતું. ફરિયાદી બાકીની રકમ આપવા ન માગતો હતો જેથી તેણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ઈજનેરને રંગે હાથ પકડવા માટે એસીબીએ ટ્રેપ ગોઠવ્યું હતું. ઈજનેરે ફરિયાદી સાથે પોતાની ઓફિસમાં વાતચીત કરી અને બે લાખની માગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ ઈજનેરને પૈસા આપ્યા હતા. અને રુપિયાનો સ્વીકાર કરતા જ એસીબી દ્વારા તેને પકડી લેવાયો હતો.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.