અનેક રજૂઆતો કરવા છતાં પણ શિક્ષકોની સમસ્યાનો ન આવ્યો ઉકેલ, કાળા કપડા પહેરીને અનુદાનિત શાળાના કર્મચારી અને 60 હજારથી વધુ શિક્ષકો કરશે વિરોધ


  • Published By :
  • Published Date : 2023-08-17 16:29:11

આપણી સંસ્કૃતિ જેનો આપણે ગર્વ લઈએ છે એમાં ગુરુનું સ્થાન મહત્વનું છે, એક સમયે રાજા પણ ગુરુ અને આચાર્યો સામે દંડવત થઈ જતા હતા એ ગુરુ અલગ હતા અને અત્યારના ગુરુની પરિસ્થિતિ અલગ છે. અત્યારના ગુરુને ગુરુ હોવા માટે પણ લડવું પડી રહ્યું છે. ગુજરાતમાં આજથી 24 ઓગસ્ટ સુધી 7 હજારથી વધુ અનુદાનિત શાળાના કર્મચારી અને 60 હજારથી વધુ શિક્ષકો કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવી રહ્યા છે.


24 ઓગસ્ટ સુધી શિક્ષકો નોંધાવવાના છે વિરોધ 

ગુજરાતની 7 હજારથી વધુ અનુદાનિત શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ક્લાર્ક સહિતના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને આજથી 24 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન કરવાના છે. 60 હજાર શિક્ષકો પોતાની જવાબદારીનું ભાન રાખીને શૈક્ષણિક કાર્ય સાથે વિરોધ પ્રદર્શન કરવાના છે. તેમની અમુક માગણીઓ છે કે અનુદાનિત શાળાના કર્મચારીઓના પડતર પ્રશ્નો સાંભળી શિક્ષકો, ગ્રંથપાલો, ક્લાર્ક, પટ્ટાવાળા અને આચાર્યની કાયમી ભરતી કરવામાં આવે.


સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો સરકારી ઠરાવ અનુસાર કરવામાં આવે 

આ સિવાય તેમની માગણી છે કે સરકારના ઠરાવનો અમલ તો 1965માં થયેલ છે પણ હજુય પાલન નથી થતું તે આચાર્ય માટેના લાભોને આપવામાં આવે. એટલે કે આચાર્ય શિક્ષક બને તો તેમને પગાર વધારો આપવામાં આવે. અનુદાનિત શાળાના કર્મચારીઓની માગ છે કે સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો સરકારી ઠરાવ અનુસાર તેમને મળવો જોઈએ. સરકારે અનુદાનિત શાળામાં અમુક જ ભરતી કરી છે તો જે ભરતી સરકારે પોતાની હેઠળ નથી લીધી તે ક્લાર્ક, પટ્ટાવાળા, ગ્રંથપાલ વગેરેની ભરતી સમિતિ કરે તેવી છૂટ મળે. આ સિવાય અનુદાનિત શાળાની માગણી છે કે ચાર વર્ગોએ એક ખેલ સહાયક આપવામાં આવે. 


ઉદાહરણથી સમજો શું છે શિક્ષકોની વાત

આ તો અત્યારની માગણી થઈ ગઈ પણ શું તમને ખબર છે અનુદાનિત શાળામાં શાળા સંચાલક મંડળો શું કાંડ કરે છે? એ લોકો સરકારી શિક્ષકો પાસેથી પૈસા લે છે. જે શિક્ષક સરકારી પરીક્ષા પાસ કરીને પોતાની લાયકાત સાબિત કરીને શાળામાં આવ્યો છે તેને પણ પૈસા આપવા માટે મજબૂર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો રામ નામના એક શિક્ષકે સરકારી પરીક્ષા પાસ કરી અને તેને શાળામાં નોકરી મળી ગઈ. પણ હવે જે શાળામાં નોકરી મળી છે તે અનુદાનિત શાળા છે. ચાલો રામ ત્યાં જતા પણ રહ્યા પણ હવે થાય છે એવું કે શાળા સંચાલક મંડળો તેમની પાસેથી રૂપિયા માગે છે એ પણ હજારોમાં નહીં લાખો રૂપિયા માગવામાં આવે છે. 


હવે તમને થશે તો શાળા સંચાલકો માગે તો તેમને ન આપવા જોઈએ શિક્ષકોએ રૂપિયા. પણ એટલું સહેલું નથી તમને મહિસાગરનું એક ઉદાહરણ આપું છું. મહીસાગરના એક શિક્ષિકા પાસેથી શાળા સંચાલક મંડળે રૂપિયા માગ્યા હતા પણ તેણે ના પાડી દીધી હતી કે હું રૂપિયા નહીં આપું. અત્યારે આટલા સમય બાદ પણ તેમની બઢતી કે પગાર વધારો વગેરે બધુ અટકેલું પડ્યું છે. તેમણે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી કે મારી સાથે આવું થયું છે હું સરકારી શિક્ષક છું તો પણ. તો તેમને જવાબ મળ્યો કે એમાં તો અમેં શું કરી શકીએ. માની લો કે તમે ગરીબ પરિવારમાંથી આવો છો અને તમે રૂપિયા આપવા માટે સક્ષમ નથી તો એના માટે શાળા સંચાલક મંડળો હપ્તાની પણ સુવિધા કરી આપે છે કે તમે હપ્તે અમને રૂપિયા આપો પણ રૂપિયા તો તમારે આપવા જ પડશે. 


સરકાર પાસેથી શિક્ષકોએ કરી આ માગ 

આ તો અમે એક વાત કરી જે ગુજરાતમાં ચાલી રહી છે આવી તો અનેક બાબતો છે જે ચાલી રહી છે તેનું સમાધાન પણ કંઈ નથી જ્યારે સરકારના જ શિક્ષકો સરકાર પાસે માગ કરે છે તો સરકાર જ ઉંચા હાથ કરી દે છે. આવું છે બધુ હવે અમારી પાસે તો સત્તા છે કે અમે માહિતી પહોંચાડી શકીએ છીએ અને બધું તમારી સામે ખુલ્લું પાડીને રાખી શકીએ છીએ. કામ કરવું કે નહીં સફાઈ કરવી કે નહીં એ તો હવે જેના હાથમાં છે એને જોવાનું છે




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.