ત્રીપાંખિયો જંગ તો બહું સાંભળ્યું, હવે લોકોની રણનીતિ શું છે તે સાંભળો...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:02:58

Story by Saddam Sheikh

વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પારંપરિક કોંગ્રેસ અને 27 વર્ષના શાસનવાળી ભાજપ એમ બે પક્ષો વર્ષોથી ગુજરાતમાં સામસામે ચૂંટણી લડતા આવ્યાં છે. જોકે, આ વખતેની ચૂંટણી થોડી અલગ રહેશે કારણ કે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં કૂદકો માર્યો છે. ગુજરાતની રાજનીતિમાં વાદ-વિવાદોનો મારો વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા દિલ્હી મોવડી મંડળને ઉમેદવારોની પ્રથમ સંભવિત યાદી મોકલવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. અત્યારે તમામ પક્ષો સારી છબી ધરાવતા ઉમેદવારો શોધવામાં લાગ્યા છે અને કોને ટિકિટ આપવી તેને લઈ રાજકારણમાં 'ટિકિટનું ટેંશન' જોવા મળી રહ્યું છે. તો આવો જોઈએ કોની કેવી છે રણનીતિ? 


ભાજપ ચૂંટણી જીતવા શું મથામણ કરી રહ્યું છે?

ગુજરાતમાં ભાજપની ચૂંટણીલક્ષી કવાયતો તેજ દેખાઈ રહી છે. ઉમેદવારો નક્કી કરવાની ભાજપની એક પ્રક્રિયા રહી છે કે નિરીક્ષકો ઝોન મુજબ કાર્યકર્તાઓને મળતા હોય છે અને તેમની પાસેથી બાયોડેટા સ્વીકારવામાં આવતો હોય છે. ભાજપે આજ વખતે કાર્યકરોને પૂછવાનું ટાળ્યું છે અને ઉમેદવારોની પસંદગી કરવા નિરીક્ષકોની જ નિયુક્તિ કરી નાખી છે. ભાજપે ઉમેદવાર ચયન પ્રકિયા હાથ ધરી છે જેમાં આગામી 27, 28 અને 29 ઓક્ટોબરે ભાજપના નિરીક્ષકો તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે અને ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોને સાંભળશે. નિરીક્ષકોએ નિયુક્તિ કરેલા ઉમેદવારોના નામ કેંદ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થશે. આ નિરીક્ષકો રજાના દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં જશે અને ટિકિટ વાંછુંકોને મળશે.  


કોંગ્રેસ છૂપી રીતે શું પ્લાન બનાવી રહી છે?

કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી થશે દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ દાવેદારી કરનાર અનેક ઉમેદવારોમાં નારાજગી પણ રહેશે. જેથી નારાજ કાર્યકરો કે નેતાઓને મનાવવા તથા પક્ષ છોડીને કોઈ નેતા ના જાય તે માટે પણ બેઠકમાં મંથન કરવામાં આવશે. જોકે મિશન 2022ને લઇ કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે યુવાઓને આકર્ષવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસ 50 વર્ષથી ઓછી ઉંમરના 50 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તેવી ચર્ચા છે. કહેવાય છે કે હારેલી બેઠક પર કોંગ્રેસ નવા અને યુવા ચહેરાને ચૂંટણી લડાવશે.  


આમ આદમી પાર્ટીની શું છે રણનીતિ?

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે. ગુજરાત ઈલેક્શનને લઈને ઉમેદવારો જાહેર કરતી આ છઠ્ઠી યાદીમાં વધુ 20 નામ બહાર આવ્યા છે. આમ આદમી પાર્ટી મુખ્યત્વે શિક્ષિત ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરી રહી છે 


આ તો પક્ષોની વાત થણ પણ જનતાની રણનીતિ શું એ પણ સાંભળી લો?

આ વખતે ગુજરાતની જનતા પાસે બેની જગ્યાએ ત્રણ વિકલ્પ છે. ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવ્યો છે. ચૂંટણી આવે એટલે લોભામણી લાલચોનો વરસાદ થતો હોય છે. આપણને ચૂંટણી આવે ને કૂવામાંથી સીઝનેબલ દેડકા નીકળતા હોય એવા નેતા નથી જોઈતા આપણે એ નેતા જોઈએ છે જે આપણી વચ્ચે રહે, આપણી વાત સાંભળે. જોકે હવે જનતાએ નક્કી કરવાનું છે કે કોણ આપણને પ્રાથમિક સુવિધાઓ આપશે? કોણ શાળાઓની અને શિક્ષણની સ્થિતિ સુધારશે? કોણ સારા હોસ્પિટલ બનાવશે? કોણ આપણી વાત સાંભળશે?



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"