ત્રીપાંખિયો જંગ તો બહું સાંભળ્યું, હવે લોકોની રણનીતિ શું છે તે સાંભળો...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:02:58

Story by Saddam Sheikh

વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પારંપરિક કોંગ્રેસ અને 27 વર્ષના શાસનવાળી ભાજપ એમ બે પક્ષો વર્ષોથી ગુજરાતમાં સામસામે ચૂંટણી લડતા આવ્યાં છે. જોકે, આ વખતેની ચૂંટણી થોડી અલગ રહેશે કારણ કે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં કૂદકો માર્યો છે. ગુજરાતની રાજનીતિમાં વાદ-વિવાદોનો મારો વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા દિલ્હી મોવડી મંડળને ઉમેદવારોની પ્રથમ સંભવિત યાદી મોકલવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. અત્યારે તમામ પક્ષો સારી છબી ધરાવતા ઉમેદવારો શોધવામાં લાગ્યા છે અને કોને ટિકિટ આપવી તેને લઈ રાજકારણમાં 'ટિકિટનું ટેંશન' જોવા મળી રહ્યું છે. તો આવો જોઈએ કોની કેવી છે રણનીતિ? 


ભાજપ ચૂંટણી જીતવા શું મથામણ કરી રહ્યું છે?

ગુજરાતમાં ભાજપની ચૂંટણીલક્ષી કવાયતો તેજ દેખાઈ રહી છે. ઉમેદવારો નક્કી કરવાની ભાજપની એક પ્રક્રિયા રહી છે કે નિરીક્ષકો ઝોન મુજબ કાર્યકર્તાઓને મળતા હોય છે અને તેમની પાસેથી બાયોડેટા સ્વીકારવામાં આવતો હોય છે. ભાજપે આજ વખતે કાર્યકરોને પૂછવાનું ટાળ્યું છે અને ઉમેદવારોની પસંદગી કરવા નિરીક્ષકોની જ નિયુક્તિ કરી નાખી છે. ભાજપે ઉમેદવાર ચયન પ્રકિયા હાથ ધરી છે જેમાં આગામી 27, 28 અને 29 ઓક્ટોબરે ભાજપના નિરીક્ષકો તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે અને ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોને સાંભળશે. નિરીક્ષકોએ નિયુક્તિ કરેલા ઉમેદવારોના નામ કેંદ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થશે. આ નિરીક્ષકો રજાના દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં જશે અને ટિકિટ વાંછુંકોને મળશે.  


કોંગ્રેસ છૂપી રીતે શું પ્લાન બનાવી રહી છે?

કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી થશે દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ દાવેદારી કરનાર અનેક ઉમેદવારોમાં નારાજગી પણ રહેશે. જેથી નારાજ કાર્યકરો કે નેતાઓને મનાવવા તથા પક્ષ છોડીને કોઈ નેતા ના જાય તે માટે પણ બેઠકમાં મંથન કરવામાં આવશે. જોકે મિશન 2022ને લઇ કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે યુવાઓને આકર્ષવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસ 50 વર્ષથી ઓછી ઉંમરના 50 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તેવી ચર્ચા છે. કહેવાય છે કે હારેલી બેઠક પર કોંગ્રેસ નવા અને યુવા ચહેરાને ચૂંટણી લડાવશે.  


આમ આદમી પાર્ટીની શું છે રણનીતિ?

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે. ગુજરાત ઈલેક્શનને લઈને ઉમેદવારો જાહેર કરતી આ છઠ્ઠી યાદીમાં વધુ 20 નામ બહાર આવ્યા છે. આમ આદમી પાર્ટી મુખ્યત્વે શિક્ષિત ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરી રહી છે 


આ તો પક્ષોની વાત થણ પણ જનતાની રણનીતિ શું એ પણ સાંભળી લો?

આ વખતે ગુજરાતની જનતા પાસે બેની જગ્યાએ ત્રણ વિકલ્પ છે. ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવ્યો છે. ચૂંટણી આવે એટલે લોભામણી લાલચોનો વરસાદ થતો હોય છે. આપણને ચૂંટણી આવે ને કૂવામાંથી સીઝનેબલ દેડકા નીકળતા હોય એવા નેતા નથી જોઈતા આપણે એ નેતા જોઈએ છે જે આપણી વચ્ચે રહે, આપણી વાત સાંભળે. જોકે હવે જનતાએ નક્કી કરવાનું છે કે કોણ આપણને પ્રાથમિક સુવિધાઓ આપશે? કોણ શાળાઓની અને શિક્ષણની સ્થિતિ સુધારશે? કોણ સારા હોસ્પિટલ બનાવશે? કોણ આપણી વાત સાંભળશે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.