ગાંધીનગરના ચડાસણામાં દલિત યુવકના વરઘોડા પર હુમલા મામલે 4 લોકોની અટકાયત, મામલો વિધાનસભામાં ગાંજ્યો


  • Published By :
  • Published Date : 2024-02-13 22:33:02

દેશમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ જાતિવાદનું ઝેર ઓછું થવાના બદલે વધી રહ્યું છે. પાટનગર ગાંધીનગરના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારીને માર મારવાનો મામલો વણસ્યો છે.  ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા દેવાયો ન હતો. જ્યારે જાનમાં સામેલ ડીજે વાળાને ધમકાવી ભગાડી મૂક્યો હતો. ગામના ચાર માથાભારે શખ્સોએ જાન લઇને આવેલા દલિત પરિવારને વરઘોડા કાઢવાની ના પાડી દીધી હતી, અને બાદમાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે માણસા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી, હવે પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓની અટકાયત કરી છે. 


પોલીસે આ શખ્સોની કરી અટકાયત 


ચડાસણા ગામમાં એક દલિત યુવકના વરઘોડાને રોકવા મામલે પોલીસે શૈલેષજી સરતાનજી ઠાકોર, જયેશકુમાર જીવણજી ઠાકોર, સમીરકુમાર દિનેશજી ઠાકોર અને અશ્વિનકુમાર રજૂજી ઠાકોર સહિતની અટકાયત કરી છે. 


શું છે સમગ્ર મામલો?


ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા ચાવડા પરિવારના સભ્યો તેમના પુત્ર વિકાસના લગ્ન હોઈ, જાન લઈને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામ પહોંચ્યા હતા. 12 ફેબ્રુઆરીએ ચાવડા પરિવારના સભ્યો જ્યારે ચડાસણ ગામના ચોકમાં પહોંચ્યા ત્યારે સામેથી દીકરી પક્ષના લોકો સામૈયું લઈને આવ્યા હતા. જાનૈયાઓ ડીજેના તાલે નાચતાં નાચતાં કન્યાપક્ષના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ બાઈક પર આવી ચડેલા એક શખસે ઘોડી પર સવાર વરરાજાની ફેટ પકડીને નીચે ઉતાર્યો હતો. માથાભારે શખસે કહ્યું, તું કે 'દલિતોએ વરઘોડો નહીં કાઢવાનો. ગામનો રિવાજ ખબર નથી?, વરઘોડો કાઢવો હોય તો અમારી પરમિશન લેવી પડે' ગાળો બોલી રહેલા શખસને જાનૈયાઓએ શાંત પાડવાનો પ્રયાસ કરતાં આ સમયે અન્ય ત્રણ લોકો તેનું ઉપરાણું લઈને આવ્યા હતા અને જાનૈયાઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી.


મામલો વિધાનસભામાં ગાંજ્યો


ગાંધીનગરના ચડાસણામાં બનેલી વરઘોડાની મારામારીની ઘટનાના પડઘા આજે વિધાનસભા પણ પડ્યા હતા. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજ પર થઇ રહેલા અત્યાચર પર હવે સરકાર સામે અનેક સવાલો કર્યા હતા. ચડાસણાની ઘટનાને લઈ મેવાણીના સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, આ ઘટનાને જીગ્નેશ મેવાણીએ વખોડી કાઢી છે, જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, સમાજમાં એકતાને લઈ સરકાર કોઈ અભિયાન નથી ચલાવતી, વિધાનસભામાં પણ મે આ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ચડાસણા ગામે લગ્ન પ્રસંગે વરરાજાને માર માર્યો અને બાદમાં ઘોડી વાળાને ધમકાવી ઘટના સ્થળેથી ભગાડી મુક્યો હતો. જાતિ આધારીત ભેદભાવ ક્યારે થશે બંધ થશે.? ચડાસણાની આ ઘટના જીગ્નેશ મેવાણીના વિરોધ બાદ કોંગ્રેસ અને આપે પણ વખોડી કાઢી હતી, અને સરકારને આ ઘટના પર દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે