બેરોજગારી દિવસ કાર્યક્રમ માટે ભેગા થયેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:25:28

યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન 

આજે વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ના જન્મદિવસ છે ત્યારે યુથ કોગ્રેસ અને NSUI બેરોજગાર દિવસ તરીકે ઉજવે છે આજે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ ઉજવી કાર્યક્રમ NSUI અને યુથ કોંગ્રેસ  દ્વારા રાખવામાં આવ્યો. એલ.જી હોસ્પિટલ પાસે NSUI દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરવા માટે NSUIના કાર્યકરો ભેગા થઈ રહ્યા હતા અને કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતા. પરંતુ પોલીસે તે અગાઉ જ અટકાયત કરી દીધી છે. બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર પાસે બેરોજગારી દિવસ ઉજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ પોલીસે કાર્યક્રમ અગાઉ જ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી.


યુવાનોની લાગણી 

"વડાપ્રધાને લાખો નોકરીનો વાયદો કર્યો હતો જેની સામે આજે કરોડો યુવાઓ બેરોજગાર છે.વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા આજે અમે બેરોજગાર દિવસ ઉજવવા ભેગા થયા હતા"  



ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.