બેરોજગારી દિવસ કાર્યક્રમ માટે ભેગા થયેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 18:25:28

યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન 

આજે વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ના જન્મદિવસ છે ત્યારે યુથ કોગ્રેસ અને NSUI બેરોજગાર દિવસ તરીકે ઉજવે છે આજે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ ઉજવી કાર્યક્રમ NSUI અને યુથ કોંગ્રેસ  દ્વારા રાખવામાં આવ્યો. એલ.જી હોસ્પિટલ પાસે NSUI દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરવા માટે NSUIના કાર્યકરો ભેગા થઈ રહ્યા હતા અને કાર્યક્રમ કરીને વિરોધ કરવાના હતા. પરંતુ પોલીસે તે અગાઉ જ અટકાયત કરી દીધી છે. બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર પાસે બેરોજગારી દિવસ ઉજવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ પોલીસે કાર્યક્રમ અગાઉ જ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી.


યુવાનોની લાગણી 

"વડાપ્રધાને લાખો નોકરીનો વાયદો કર્યો હતો જેની સામે આજે કરોડો યુવાઓ બેરોજગાર છે.વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા આજે અમે બેરોજગાર દિવસ ઉજવવા ભેગા થયા હતા"  



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે