Devanshi Joshiએ Shailesh Sagapariyaને જ્યારે પૂછ્યું કે સિસ્ટમને બદલવા નિકળેલા અધિકારીઓ શા માટે બની જાય તે જ સિસ્ટમનો ભાગ? સાંભળો જવાબ


  • Published By :
  • Published Date : 2024-05-31 12:44:08

રાજકોટમાં જે ઘટના બની તેને લઈ જમાવટની ટીમે અનેક પત્રકારો સાથે વાત કરી, કેમ આટલા સમય સુધી કોઈ પગલા લેવામાં ના આવ્યા તે સહિતના સવાલો પૂછવામાં આવ્યા. તંત્ર પર સવાલ અનેક વખત ઉઠ્યા, સિસ્ટમની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા. અધિકારીઓ પર પણ સવાલ ઉઠ્યા.. અનેક એવા આઈપીએસ આઈએએસ અધિકારીઓ એવા હશે જેમની પાસે કહેવા માટે સંઘર્ષની કહાણી હશે. સિસ્ટમને બદલવાની આતુરતા હશે પરંતુ તે જ વ્યક્તિ જ્યારે અધિકારી બની સિસ્ટમમાં આવે છે ત્યારે તેણે બદલાવનું સપનું જોયું હતું તે ક્યાંય ભૂલાઈ જાય છે અને સિસ્ટમના રંગમાં રંગાઈ જાય છે. 

જનતા બહુ જલ્દી ભૂલી જાય છે...!

ત્યારે સિસ્ટમ કેવી રીતે ચાલે છે તે જાણવા જમાવટની ટીમે Shailesh sagarpariyaનો સંપર્ક કર્યો હતો અને આ જાણવાની કોશિશ કરી હતી. વાતચીત દરમિયાન પૂર્વ અધિકારી દ્વારા જે વાત કરવામાં આવી તે વિચારવા જેવી છે. અનેક લોકોને ખોટું લાગશે તેવું કહી પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે આમાં જનતાનો વાંક છે.. જનતા બહુ જલ્દી ભૂલી જાય છે, કોઈ પણ ઘટના બની હોય ત્યારે થોડા સમય સુધી લોકો યાદ રાખે છે પરંતુ થોડા સમય બાદ લોકો ભૂલી જાય છે.. લોકોને જલ્દી ભૂલવાની બિમારી થઈ ગઈ હોય તેવો તેમનો કહેવાનો મતલબ હતો. જનતામાં જાગૃતિનો અભાવ છે જેને કારણે અધિકારીઓને લાગે છે કે તે મનફાવે તેમ કરી શકે છે. જો જનતા જાગૃત બને તો અધિકારીઓ પર પ્રેશર બને અને તે વ્યવસ્થિત કામ કરે.. 


સિસ્ટમને બદલવાની ઈચ્છા રાખતા અધિકારીઓ જ... 

જ્યારે સિસ્ટમમાં આવ્યા પછી તેમને સિસ્ટમની અસર લાગી જતી હોય છે. સિસ્ટમને ચેન્જ કરવાના ઈરાદાથી નિકળેલા અધિકારીઓ પોતે સિસ્ટમમાં આવ્યા પછી તે તે જ સિસ્ટમનો ભાગ બની જાય છે.. ત્યારે તેમણે જવાબ આપ્યો કે તમારી આસપાસનું વાતાવરણ છે તે વ્યક્તિ પર ઘણી અસર કરે છે. પાવર છે ને તે હંમેશા વ્યક્તિને બગાડે છે જો તેનો સાચો પ્રયોગ ના કરવામાં આવે.. જો તે પાવરને સંભાળી ના શકે તો.. તેમણે કહ્યું કે બધે જ આવું નથી.. બધા જ અધિકારીઓ એવા નથી હોતા જે સિસ્ટમના રંગમાં રંગાઈ ગયા હોય.. અનેક એવા અધિકારીઓ એવા છે જે દિવસ રાત મહેનત કરે છે કોઈ પણ સ્વાર્થ વગર.. પરંતુ અનેક અધિકારીઓ એવા છે જે પૈસા વગર કામ પણ નથી કરતા.. તેમણે બે કારણો પણ આપ્યા..  


લોકોએ મજબૂતાઈથી ઉઠાવવા પડશે મુદ્દાઓ 

અનેક એવા પરિવારો છે જે ન્યાયની ઝંખના કરી રહ્યા છે.. એ પછી તક્ષશીલા અગ્નિકાંડમાં ભોગ બનેલો પરિવાર હોય કે પછી મોરબીમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો પરિવાર હોય.. ન્યાયની આશા લોકોએ છોડી દીધી હોય તેવું લાગે છે જ્યારે તે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જ્યારે લોકો ન્યાય માટે બોલવાનું બંધ કરી દેશે તો પરિસ્થિતિ અલગ થશે. પરંતુ ધીમે ધીમે લોકોએ બોલવાની શરૂઆત કરી દીધી છે.. તેમણે કહ્યું કે પહેલા કરતા લોકોમાં આક્રોશ વધી ગયો છે.. સહનકરવાની શક્તિ ઓછી થઈ છે જેને કારણે લોકો હવે બોલી રહ્યા છે. જ્યારે આ રોષ બહાર આવે ત્યારે વહીવટી તંત્રને પરિસ્થિતિ સાચવવી ઘણી અઘરી પડતી હોય છે.. ન્યાયમાં ભલે મોડું થાય પરંતુ બોલવાનું બંધ કરી દેવાની બદલીમાં લોકોએ પોતાનો અવાજ મજબૂતીથી ઉઠાવવો પડશે.. તેમણે કહ્યું કે વારેવારે બ્હેરા કાનમાં આ અવાજ સંભળાવવાને કારણે ફેર પડશે..      



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.