Devanshi Joshiએ સમજાવ્યું 'તેજ'ની ગંભીરતા વિશે! વાવાઝોડાને લઈ હવામાન વિભાગે અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-20 10:47:58

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ચોમાસાએ સત્તાવાર રીતે રાજ્યમાંથી વિદાય લઈ લીધી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. પહેલા આગાહી હતી કે મેચ દરમિયાન વરસાદ આવશે પરંતુ છેલ્લી ઘડીએ આગાહીમાં બદલાવ આવ્યો અને વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી. તે બાદ આગાહી કરવામાં આવી કે  16-17 તારીખો દરમિયાન વરસાદ આવશે જે નવરાત્રીની મજા બગાડશે. પરંતુ આ તારીખો દરમિયાન પણ વરસાદ ન આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ચક્રવાત આવશે તેવી આગાહી, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી!

નવરાત્રી દરમિયાન ન માત્ર વરસાદ પરંતુ બિપોરજોય જેવું ગંભીર વાવાઝોડું આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું 'તેજ' આવશે તેવી આગાહી સાંભળતા જ ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે 'અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ વખતે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. ત્યારે આગામી 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે.’


અંબાલાલ કાકાએ જણાવ્યું સિસ્ટમ કયા દિવસે વધુ સક્રિય થશે!

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા જાય તેવી સૂચના આપવામાં આવી છે. એવું પણ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થશે કે કેમ તે કહેવું હાલ વહેલું પડશે. તે ઉપરાંત વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 'અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબૂત બનશે. 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડુ વધુ મજબુત બનશે. વાવાઝોડાને કારણે પવનની ગતિ 150 કિલોમીટર જેટલી રહેવાની શક્યતા છે. ગુજરાતના વાતાવરણ પર આની અસર થશે તેવી આગાહી છે. વાવાઝોડાને કારણે મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવતું હતું. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.