Devanshi Joshiએ સમજાવ્યું 'તેજ'ની ગંભીરતા વિશે! વાવાઝોડાને લઈ હવામાન વિભાગે અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-20 10:47:58

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ચોમાસાએ સત્તાવાર રીતે રાજ્યમાંથી વિદાય લઈ લીધી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. પહેલા આગાહી હતી કે મેચ દરમિયાન વરસાદ આવશે પરંતુ છેલ્લી ઘડીએ આગાહીમાં બદલાવ આવ્યો અને વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી. તે બાદ આગાહી કરવામાં આવી કે  16-17 તારીખો દરમિયાન વરસાદ આવશે જે નવરાત્રીની મજા બગાડશે. પરંતુ આ તારીખો દરમિયાન પણ વરસાદ ન આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ચક્રવાત આવશે તેવી આગાહી, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી!

નવરાત્રી દરમિયાન ન માત્ર વરસાદ પરંતુ બિપોરજોય જેવું ગંભીર વાવાઝોડું આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું 'તેજ' આવશે તેવી આગાહી સાંભળતા જ ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે 'અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ વખતે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. ત્યારે આગામી 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે.’


અંબાલાલ કાકાએ જણાવ્યું સિસ્ટમ કયા દિવસે વધુ સક્રિય થશે!

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા જાય તેવી સૂચના આપવામાં આવી છે. એવું પણ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થશે કે કેમ તે કહેવું હાલ વહેલું પડશે. તે ઉપરાંત વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 'અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબૂત બનશે. 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડુ વધુ મજબુત બનશે. વાવાઝોડાને કારણે પવનની ગતિ 150 કિલોમીટર જેટલી રહેવાની શક્યતા છે. ગુજરાતના વાતાવરણ પર આની અસર થશે તેવી આગાહી છે. વાવાઝોડાને કારણે મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવતું હતું. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .