Devanshi Joshiએ સમજાવ્યું 'તેજ'ની ગંભીરતા વિશે! વાવાઝોડાને લઈ હવામાન વિભાગે અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-20 10:47:58

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ચોમાસાએ સત્તાવાર રીતે રાજ્યમાંથી વિદાય લઈ લીધી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. પહેલા આગાહી હતી કે મેચ દરમિયાન વરસાદ આવશે પરંતુ છેલ્લી ઘડીએ આગાહીમાં બદલાવ આવ્યો અને વરસાદ નહીં આવે તેવી વાત કરવામાં આવી. તે બાદ આગાહી કરવામાં આવી કે  16-17 તારીખો દરમિયાન વરસાદ આવશે જે નવરાત્રીની મજા બગાડશે. પરંતુ આ તારીખો દરમિયાન પણ વરસાદ ન આવ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ચક્રવાત આવશે તેવી આગાહી, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી!

નવરાત્રી દરમિયાન ન માત્ર વરસાદ પરંતુ બિપોરજોય જેવું ગંભીર વાવાઝોડું આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું 'તેજ' આવશે તેવી આગાહી સાંભળતા જ ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે 'અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ વખતે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. ત્યારે આગામી 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે.’


અંબાલાલ કાકાએ જણાવ્યું સિસ્ટમ કયા દિવસે વધુ સક્રિય થશે!

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા જાય તેવી સૂચના આપવામાં આવી છે. એવું પણ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થશે કે કેમ તે કહેવું હાલ વહેલું પડશે. તે ઉપરાંત વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 'અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબૂત બનશે. 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડુ વધુ મજબુત બનશે. વાવાઝોડાને કારણે પવનની ગતિ 150 કિલોમીટર જેટલી રહેવાની શક્યતા છે. ગુજરાતના વાતાવરણ પર આની અસર થશે તેવી આગાહી છે. વાવાઝોડાને કારણે મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવતું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.