Devanshi Joshiએ સમજાવ્યું કે મંત્રીઓ દ્વારા કરવામાં આવતું રિયાલિટી ચેક શા માટે જરૂરી છે... સાંભળો CMની સરપ્રાઈઝ વીઝિટ વિશે શું કહ્યું..


  • Published By :
  • Published Date : 2023-08-11 09:12:54

રાજનેતાઓ જ્યારે પોતાના ચેમ્બર છોડીને જ્યારે અનાચક રિયાલિટી ચેક કરવા જાય છે, સરપ્રાઈઝ વીઝિટ કરવા જાય છે ત્યારે ખરી વાસ્તવિક્તા બહાર આવે છે. સ્થાનની જમીની હકીકત છું છે, લોકોને પડતી મુશ્કેલી વિશે રાજનેતાઓને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે તે પોતાની ચેમ્બર છોડી ગ્રાઉન્ડ પર જાય. શિક્ષણની સ્થિતિ ગંભીર રીતે કથળતી જઈ રહી છે. અનેક એવી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ અનેક સમસ્યાનો સામનો કરતા કરી રહ્યા હોય છે. તંત્રને રજૂઆત કરે તો પણ તેમનો અવાજ સાંભળે કોણ? કારણ કે અનેક એવા દાખલા આપણી સામે ઉપસ્થિત છે જેમાં રજૂઆતો છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવતો.

મુખ્યમંત્રીએ ઓચિંતી કરી હતી શાળાની મુલાકાત 

થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ ઓચિંતી એક પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. શાળાની મુલાકાત લેવી તે હાલની શિક્ષણની પરિસ્થિતિને જોતા જરૂરી બની ગયું છે. જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર જઈ જાતે નિરીક્ષણ નહીં કરવામાં આવે ત્યાં સુધી નેતાઓને, મુખ્યમંત્રીને એ જ માહિતી ખબર હશે જે તેમની ઓફિસ સુધી પહોંચાડવામાં આવશે. પરંતુ નરી વાસ્તવિક્તા ત્યારે જ ખબર પડશે જ્યારે ઓચિંતી કોઈ સ્થળની મુલાકાત લેવામાં આવે.શાળાઓની હાલતના પ્રશ્નો અંગે અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. અનેક સ્કૂલોની બિલ્ડીંગ એવી હશે જ્યાંના રૂમ અથવા તો આખે આખી શાળા જર્જરિત હાલતમાં જોવા મળશે. ગ્રાઉન્ડ પર ઉતરીને રિયાલીટી ચેક કરવું ઘણું સારું છે પરંતુ તે બાદ તે ખામીઓને સુધારવી પણ જરૂરી છે.

શાળામાં ખુલ્લા વાયર જોવા મળતા કલેક્ટરને સીએમે ખખડાવ્યા હતા

ઈન્સપેક્શન અથવા તો સરપ્રાઈઝ વિઝીટ બાદ પણ રાજનેતાઓ પોતાની આંખો પર પટ્ટી બાંધી દે કે અમે કર્યું છે એટલે તેમાં કોઈ ખામી ન હોય તેવું ન હોય. જ્યાં સુધી ભૂલ થઈ છે તે સ્વીકારવાની વૃત્તિ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ બદલાવની આશા રાખવી બેકાર છે.  જ્યાં સુધી આપણે સ્વીકારીશું જ નહીં કે આ વસ્તુમાં ખામી છે ત્યાં સુધી સુધારાને કોઈ અવકાશ નથી. જ્યાં સુધી એવું માનવામાં આવશે કે અમે કોઈ દિવસ ખોટું કરતા જ નથી,અમારાથી કોઈ ભૂલ થાય જ નહીં ત્યાં સુધી આપણે જે ચેન્જ લાવવા માંગીએ છીએ તે પોસિબલ નથી. મુખ્યમંત્રીએ જ્યારે શાળામાં ખુલ્લા વાયરો જોયા ત્યારે તેમણે તરત કલેક્ટરને પ્રશ્ન પૂછ્યો કે તમે શું કોઈ દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યા છો? 


જ્યાં સુધી દુર્ઘટના નથી સર્જાતી ત્યાં સુધી આપણે કોઈ વાતને નથી લેતા ગંભીરતાથી! 

અનેક વખત જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાતી ત્યાં સુધી આપણે કોઈ વસ્તુને ગંભીરતાથી નથી લેતા. આપણે જાણે કોઈ દુર્ઘટના સર્જાવાની રાહ જોતા હોઈએ તેવું લાગે. પરંતુ આ વખતે મુખ્યમંત્રી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેને લોકો બિરદાવી રહ્યા છે. મુખ્યમંત્રીના ખખડાવ્યા પછી તેમને આશ્વાશન આપવામાં આવ્યું કે  આ સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીશું, બાળકોને અગવડ ન પડે તેવી રીતે કામ કરીશું. 


શાળામાં માત્ર વિદ્યાર્થીઓ નથી ભણતા પરંતુ દેશનું ભાવિ ભણે છે...

મુખ્યમંત્રી માટે પહેલા પણ કહ્યું છે કે તેમણે રિપોર્ટ માગ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે સારૂં નહીં પરંતુ સાચું બતાવજો. કોઈ પણ પરિવર્તન આવવાની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણામાં ભૂલ સ્વીકારવાની અથવા તો એ વસ્તુને સ્વીકારવાની ઈચ્છા હોય. અમે આશા રાખીએ છીએ કે શાળાની તેમજ શિક્ષણ વિભાગની કથળતી જતી પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવે અને શિક્ષણમાં સુધારા કરવામાં આવે. કારણ કે શાળામાં જે બાળક  ભણે છે તે માત્ર વિદ્યાર્થી નથી પરંતુ દેશનું ભવિષ્ય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.