Devanshi Joshi એવા આશ્રય આશ્રમ પહોંચ્યા જ્યાં રખાય છે ઘરથી વિહોણા થયેલા લોકોને, કરાય છે સેવા...! સ્ટોરી વાંચી, સાંભળી ભાવુક થઈ જશો..


  • Published By :
  • Published Date : 2024-05-15 16:21:23

અનેક સંસ્થાઓ, અનેક એવા આશ્રમો હોય છે જ્યાં ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવતો હોય છે.. જે લોકો ઘરમાં રહેતા હોય છે તે લોકો અનેક વખત પરિવારના સભ્યો સાથે અબોલા કરી લેતા હોય છે, નાની નાની વાત પર ઝઘડા કરી લેતા હોય છે... માતા પિતા સાથે તોછડાયું વર્તન કરતા હોય છે ત્યારે તેવા લોકોએ આવા આશ્રય સ્થાનની મુલાકાત લેવી જોઈએ.. સમાજની, પરિવારના મહત્વની ખરી વાસ્તવિક્તા ખબર પડી જાય..! 


જમાવટની ટીમ પહોંચી હતી એવી જગ્યાએ જ્યાં... 

જમાવટની ટીમ કચ્છના એક એવા આશ્રય સ્થાન આપતા રૈન બસૈરા શેલ્ટર હોમ પહોંચી હતી જેનું નામ હતું મા બાપનું ઘર.. જ્યાં એવા લોકોને રાખવામાં આવે છે જે લોકો પાસે ઘરનો આસરો નથી હોતો, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર રખડતા, ભટકતા લોકો હોય છે તે લોકોને સાચવે છે... એ લોકોને સમજાવવામાં આવે છે કે સમાજ કેવી રીતે ચાલે છે, રમત સાથે તેમને જ્ઞાન આપવાની કોશિશ કરવામાં આવે છે.. લોકોને સાચવવામાં આવે છે.. જે આશ્રય સેન્ટરની મુલાકાત લીધી ત્યાં 50થી વધારે લોકોને રાખવામાં આવ્યા હતા.. 



કોઈ ફરવાના શોખીન હતા તો કોઈ પુસ્તકો વાંચવાના. 

ત્યાં રહેતા લોકો સાથે દેવાંશી જોશીએ વાત કરી.. ત્યાં હાજર લોકોમાં એક વ્યક્તિ એવો હતો જે બીજા લોકોની મદદ કરતો હતો.. જેમને જમતા ના ફાવતું હોય તેમને જમાડે, મદદ કરે છે.. બધા પોતપોતાની રીતે મદદ કરે છે... એક કાકા જે મળ્યા તેમનો પરિવાર હતો પરંતુ તેમના પત્ની તેમને છોડીને જતા રહ્યા જેનો તેમને આઘાત લાગ્યો હતો.. દાદાને ફરવાનો શોખ હતો.. બીજા એક વ્યક્તિ સાથે વાત કરી તે પુસ્તકાલયમાં રહેતા હતા.. અલગ અલગ પુસ્તકો તે વાંચતા હતા. તેમણે કહ્યું કે વાંચવાથી જ્ઞાન મળે છે... અનેક લોકો એવા હતા જે સમજી બધુ શક્તા હતા પરંતુ તે બોલી શક્તા ના હતા.. 


આ સંસ્થા શરૂ કરવા પાછળનો હેતુ જણાવતા કહ્યું કે

ત્યાં હાજર એક કાકાએ શંકર ભગવાનનું ભજન ગાયું.. તે સિવાય અનેક લોકો ગરબે ઘુમ્યા. કોઈ બે મહિનાથી અહીંયા રહેતા હતા તો કોઈ એક વર્ષથી રહેતા હતા.. અનેક લોકો એવા હતા જે આઘાતમાંથી બહાર નતા આવી શક્યા. એકલા એકલા બોલતા રહેતા.. જેમને આ કરવાની પ્રેરણા મળી તે પોતે પણ શારિરીક તકલીફ હતી.. શારિરીક તકલીફ હતી પરંતુ તેમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો જેને કારણે તે આનાથી બહાર આવી શક્યા.. તે બાદ તેમને દિવ્યાંગો માટે કામ કરવાની પ્રેરણા થઈ અને તેમણે આ સંસ્થાની સ્થાપના કરી. 



અનેક લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન 

માનસિક રીતે ચેલેન્જ લોકોને આશ્રય મળે તે માટે તેમણે સંસ્થાની સ્થાપના કરી. માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે આ સંસ્થા કામ કરે છે અને તેમની સારવાર કરાવે છે.. સારવાર બાદ જો પરિવારનું સરનામું મળે તો તેમનું પુન: સ્થાપન કરાવવામાં આવે છે... 135થી વધુ લોકોને પુન સ્થાપિત કરવામાં આવ્યા છે.. અનેક એવા કિસ્સાઓ તેમણે કહ્યા જેમાં ઘરથી વિખુટો પડેલો વ્યક્તિ પરિવારના સભ્યો સાથે વર્ષો પછી મળે છે... 



અનેક લોકો એવા હોય છે આવા લોકોને જોડે નથી રાખવા માગતા...

ઈશ્વરે તેમને સારા કામ કરાવવા માટે તેમને નિમિત્ત બનાવ્યા છે તેવી વાત તેમણે કરી હતી. એ પ્રશ્ન જ્યારે પૂછ્યો કે માણસ સ્વસ્થ થઈ જાય, પરિવારનું સરનામું પણ મળી જાય અને પરિવાર તેમનો સ્વીકાર ના કરે તો? અનેક પરિવાર એવા હોય છે જે આવા માનસિક રીતે ચેલેન્જ લોકોને સ્વીકારવા તૈયાર નથી હોતા.. સમાજનો એક હિસ્સો એવો છે જે આવા લોકોને સ્વીકારે છે, અનેક લોકોને પુન સ્થાપિત કર્યા છે તો એક હિસ્સો એવો પણ છે જે પોતાના જ પરિવારના સભ્યોને સ્વીકારવા તૈયાર નથી...  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.