Devanshi Joshi એવા આશ્રય આશ્રમ પહોંચ્યા જ્યાં રખાય છે ઘરથી વિહોણા થયેલા લોકોને, કરાય છે સેવા...! સ્ટોરી વાંચી, સાંભળી ભાવુક થઈ જશો..


  • Published By :
  • Published Date : 2024-05-15 16:21:23

અનેક સંસ્થાઓ, અનેક એવા આશ્રમો હોય છે જ્યાં ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવતો હોય છે.. જે લોકો ઘરમાં રહેતા હોય છે તે લોકો અનેક વખત પરિવારના સભ્યો સાથે અબોલા કરી લેતા હોય છે, નાની નાની વાત પર ઝઘડા કરી લેતા હોય છે... માતા પિતા સાથે તોછડાયું વર્તન કરતા હોય છે ત્યારે તેવા લોકોએ આવા આશ્રય સ્થાનની મુલાકાત લેવી જોઈએ.. સમાજની, પરિવારના મહત્વની ખરી વાસ્તવિક્તા ખબર પડી જાય..! 


જમાવટની ટીમ પહોંચી હતી એવી જગ્યાએ જ્યાં... 

જમાવટની ટીમ કચ્છના એક એવા આશ્રય સ્થાન આપતા રૈન બસૈરા શેલ્ટર હોમ પહોંચી હતી જેનું નામ હતું મા બાપનું ઘર.. જ્યાં એવા લોકોને રાખવામાં આવે છે જે લોકો પાસે ઘરનો આસરો નથી હોતો, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર રખડતા, ભટકતા લોકો હોય છે તે લોકોને સાચવે છે... એ લોકોને સમજાવવામાં આવે છે કે સમાજ કેવી રીતે ચાલે છે, રમત સાથે તેમને જ્ઞાન આપવાની કોશિશ કરવામાં આવે છે.. લોકોને સાચવવામાં આવે છે.. જે આશ્રય સેન્ટરની મુલાકાત લીધી ત્યાં 50થી વધારે લોકોને રાખવામાં આવ્યા હતા.. 



કોઈ ફરવાના શોખીન હતા તો કોઈ પુસ્તકો વાંચવાના. 

ત્યાં રહેતા લોકો સાથે દેવાંશી જોશીએ વાત કરી.. ત્યાં હાજર લોકોમાં એક વ્યક્તિ એવો હતો જે બીજા લોકોની મદદ કરતો હતો.. જેમને જમતા ના ફાવતું હોય તેમને જમાડે, મદદ કરે છે.. બધા પોતપોતાની રીતે મદદ કરે છે... એક કાકા જે મળ્યા તેમનો પરિવાર હતો પરંતુ તેમના પત્ની તેમને છોડીને જતા રહ્યા જેનો તેમને આઘાત લાગ્યો હતો.. દાદાને ફરવાનો શોખ હતો.. બીજા એક વ્યક્તિ સાથે વાત કરી તે પુસ્તકાલયમાં રહેતા હતા.. અલગ અલગ પુસ્તકો તે વાંચતા હતા. તેમણે કહ્યું કે વાંચવાથી જ્ઞાન મળે છે... અનેક લોકો એવા હતા જે સમજી બધુ શક્તા હતા પરંતુ તે બોલી શક્તા ના હતા.. 


આ સંસ્થા શરૂ કરવા પાછળનો હેતુ જણાવતા કહ્યું કે

ત્યાં હાજર એક કાકાએ શંકર ભગવાનનું ભજન ગાયું.. તે સિવાય અનેક લોકો ગરબે ઘુમ્યા. કોઈ બે મહિનાથી અહીંયા રહેતા હતા તો કોઈ એક વર્ષથી રહેતા હતા.. અનેક લોકો એવા હતા જે આઘાતમાંથી બહાર નતા આવી શક્યા. એકલા એકલા બોલતા રહેતા.. જેમને આ કરવાની પ્રેરણા મળી તે પોતે પણ શારિરીક તકલીફ હતી.. શારિરીક તકલીફ હતી પરંતુ તેમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો જેને કારણે તે આનાથી બહાર આવી શક્યા.. તે બાદ તેમને દિવ્યાંગો માટે કામ કરવાની પ્રેરણા થઈ અને તેમણે આ સંસ્થાની સ્થાપના કરી. 



અનેક લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન 

માનસિક રીતે ચેલેન્જ લોકોને આશ્રય મળે તે માટે તેમણે સંસ્થાની સ્થાપના કરી. માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે આ સંસ્થા કામ કરે છે અને તેમની સારવાર કરાવે છે.. સારવાર બાદ જો પરિવારનું સરનામું મળે તો તેમનું પુન: સ્થાપન કરાવવામાં આવે છે... 135થી વધુ લોકોને પુન સ્થાપિત કરવામાં આવ્યા છે.. અનેક એવા કિસ્સાઓ તેમણે કહ્યા જેમાં ઘરથી વિખુટો પડેલો વ્યક્તિ પરિવારના સભ્યો સાથે વર્ષો પછી મળે છે... 



અનેક લોકો એવા હોય છે આવા લોકોને જોડે નથી રાખવા માગતા...

ઈશ્વરે તેમને સારા કામ કરાવવા માટે તેમને નિમિત્ત બનાવ્યા છે તેવી વાત તેમણે કરી હતી. એ પ્રશ્ન જ્યારે પૂછ્યો કે માણસ સ્વસ્થ થઈ જાય, પરિવારનું સરનામું પણ મળી જાય અને પરિવાર તેમનો સ્વીકાર ના કરે તો? અનેક પરિવાર એવા હોય છે જે આવા માનસિક રીતે ચેલેન્જ લોકોને સ્વીકારવા તૈયાર નથી હોતા.. સમાજનો એક હિસ્સો એવો છે જે આવા લોકોને સ્વીકારે છે, અનેક લોકોને પુન સ્થાપિત કર્યા છે તો એક હિસ્સો એવો પણ છે જે પોતાના જ પરિવારના સભ્યોને સ્વીકારવા તૈયાર નથી...  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.