Devanshi Joshi એવા આશ્રય આશ્રમ પહોંચ્યા જ્યાં રખાય છે ઘરથી વિહોણા થયેલા લોકોને, કરાય છે સેવા...! સ્ટોરી વાંચી, સાંભળી ભાવુક થઈ જશો..


  • Published By :
  • Published Date : 2024-05-15 16:21:23

અનેક સંસ્થાઓ, અનેક એવા આશ્રમો હોય છે જ્યાં ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવતો હોય છે.. જે લોકો ઘરમાં રહેતા હોય છે તે લોકો અનેક વખત પરિવારના સભ્યો સાથે અબોલા કરી લેતા હોય છે, નાની નાની વાત પર ઝઘડા કરી લેતા હોય છે... માતા પિતા સાથે તોછડાયું વર્તન કરતા હોય છે ત્યારે તેવા લોકોએ આવા આશ્રય સ્થાનની મુલાકાત લેવી જોઈએ.. સમાજની, પરિવારના મહત્વની ખરી વાસ્તવિક્તા ખબર પડી જાય..! 


જમાવટની ટીમ પહોંચી હતી એવી જગ્યાએ જ્યાં... 

જમાવટની ટીમ કચ્છના એક એવા આશ્રય સ્થાન આપતા રૈન બસૈરા શેલ્ટર હોમ પહોંચી હતી જેનું નામ હતું મા બાપનું ઘર.. જ્યાં એવા લોકોને રાખવામાં આવે છે જે લોકો પાસે ઘરનો આસરો નથી હોતો, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર રખડતા, ભટકતા લોકો હોય છે તે લોકોને સાચવે છે... એ લોકોને સમજાવવામાં આવે છે કે સમાજ કેવી રીતે ચાલે છે, રમત સાથે તેમને જ્ઞાન આપવાની કોશિશ કરવામાં આવે છે.. લોકોને સાચવવામાં આવે છે.. જે આશ્રય સેન્ટરની મુલાકાત લીધી ત્યાં 50થી વધારે લોકોને રાખવામાં આવ્યા હતા.. 



કોઈ ફરવાના શોખીન હતા તો કોઈ પુસ્તકો વાંચવાના. 

ત્યાં રહેતા લોકો સાથે દેવાંશી જોશીએ વાત કરી.. ત્યાં હાજર લોકોમાં એક વ્યક્તિ એવો હતો જે બીજા લોકોની મદદ કરતો હતો.. જેમને જમતા ના ફાવતું હોય તેમને જમાડે, મદદ કરે છે.. બધા પોતપોતાની રીતે મદદ કરે છે... એક કાકા જે મળ્યા તેમનો પરિવાર હતો પરંતુ તેમના પત્ની તેમને છોડીને જતા રહ્યા જેનો તેમને આઘાત લાગ્યો હતો.. દાદાને ફરવાનો શોખ હતો.. બીજા એક વ્યક્તિ સાથે વાત કરી તે પુસ્તકાલયમાં રહેતા હતા.. અલગ અલગ પુસ્તકો તે વાંચતા હતા. તેમણે કહ્યું કે વાંચવાથી જ્ઞાન મળે છે... અનેક લોકો એવા હતા જે સમજી બધુ શક્તા હતા પરંતુ તે બોલી શક્તા ના હતા.. 


આ સંસ્થા શરૂ કરવા પાછળનો હેતુ જણાવતા કહ્યું કે

ત્યાં હાજર એક કાકાએ શંકર ભગવાનનું ભજન ગાયું.. તે સિવાય અનેક લોકો ગરબે ઘુમ્યા. કોઈ બે મહિનાથી અહીંયા રહેતા હતા તો કોઈ એક વર્ષથી રહેતા હતા.. અનેક લોકો એવા હતા જે આઘાતમાંથી બહાર નતા આવી શક્યા. એકલા એકલા બોલતા રહેતા.. જેમને આ કરવાની પ્રેરણા મળી તે પોતે પણ શારિરીક તકલીફ હતી.. શારિરીક તકલીફ હતી પરંતુ તેમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો જેને કારણે તે આનાથી બહાર આવી શક્યા.. તે બાદ તેમને દિવ્યાંગો માટે કામ કરવાની પ્રેરણા થઈ અને તેમણે આ સંસ્થાની સ્થાપના કરી. 



અનેક લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન 

માનસિક રીતે ચેલેન્જ લોકોને આશ્રય મળે તે માટે તેમણે સંસ્થાની સ્થાપના કરી. માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે આ સંસ્થા કામ કરે છે અને તેમની સારવાર કરાવે છે.. સારવાર બાદ જો પરિવારનું સરનામું મળે તો તેમનું પુન: સ્થાપન કરાવવામાં આવે છે... 135થી વધુ લોકોને પુન સ્થાપિત કરવામાં આવ્યા છે.. અનેક એવા કિસ્સાઓ તેમણે કહ્યા જેમાં ઘરથી વિખુટો પડેલો વ્યક્તિ પરિવારના સભ્યો સાથે વર્ષો પછી મળે છે... 



અનેક લોકો એવા હોય છે આવા લોકોને જોડે નથી રાખવા માગતા...

ઈશ્વરે તેમને સારા કામ કરાવવા માટે તેમને નિમિત્ત બનાવ્યા છે તેવી વાત તેમણે કરી હતી. એ પ્રશ્ન જ્યારે પૂછ્યો કે માણસ સ્વસ્થ થઈ જાય, પરિવારનું સરનામું પણ મળી જાય અને પરિવાર તેમનો સ્વીકાર ના કરે તો? અનેક પરિવાર એવા હોય છે જે આવા માનસિક રીતે ચેલેન્જ લોકોને સ્વીકારવા તૈયાર નથી હોતા.. સમાજનો એક હિસ્સો એવો છે જે આવા લોકોને સ્વીકારે છે, અનેક લોકોને પુન સ્થાપિત કર્યા છે તો એક હિસ્સો એવો પણ છે જે પોતાના જ પરિવારના સભ્યોને સ્વીકારવા તૈયાર નથી...  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.