9 વર્ષની દેવાંશીએ સંયમનો માર્ગ અપનાવ્યો, હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-01-18 15:29:45

સુરતમાં 9 વર્ષની દેવાંશીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. સુરતમાં દેવાંશીના દીક્ષા મહોત્સવમાં 35 હજારથી પણ વધુ લોકો ઉમટ્યા હતા. 14મી જાન્યુઆરીથી દેવાંશીનો દીક્ષા મહોત્સવ શરૂ થયો હતો. દેવાંશીને જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજે તેને દીક્ષા અપાવી હતી. દેવાંશીએ દીક્ષા લેતા હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે.

વરસીદાન વરઘોડામાં દેવાંશી સાથે પિતા ધનેશભાઈ અને માતા અમીબેન.

અતિભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યા લોકો


દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી. આ ભવ્ય દીક્ષા મહોત્સવમાં 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં દેવાંશીની ખૂબ જ વાજતે ગાજતે ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. સુરતમાં જ ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. લોકો માટે રાજમહેલ જેવા મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મહેમાનોના જમવાની પણ વ્યવસ્થા હતી. 9 વર્ષની દેવાંશીનો દીક્ષા ઉત્સવ વેસુના બલર ફાર્મમાં શરૂ થયો હતો. જેમાં ગઈકાલે અઠવા ગેટ ચોપાટી પાસેથી ભવ્ય યાત્રા નીકળી હતી અને વરઘોડાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં હાથી, ઘોડા તથા ઊંટ ઉપરાંત ઢોલ અને નગારા સહિત સંગીતના સૂરોની રેલમછેલ હતી.




હિરાના વેપારીની પૌત્રી છે દેવાંશી


દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી 5 ભાષાની જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે.  દેવાંશીએ બે વર્ષે જ ઉપવાસ, 6 વર્ષે વિહાર અને 7મા વર્ષે પૌષધ કર્યા હતા. ઉપરાંત તેણે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કર્યો કે ટીવી પણ નથી જોયું. માત્ર 9 વર્ષની ઉંમરે જ તેણે 367 દીક્ષાના દર્શન કર્યા છે અને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો પણ તેને કંઠસ્થ છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દેવાંશીના પિતા ધનેશ સંઘવીની  કંપનીની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .