9 વર્ષની દેવાંશીએ સંયમનો માર્ગ અપનાવ્યો, હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-01-18 15:29:45

સુરતમાં 9 વર્ષની દેવાંશીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. સુરતમાં દેવાંશીના દીક્ષા મહોત્સવમાં 35 હજારથી પણ વધુ લોકો ઉમટ્યા હતા. 14મી જાન્યુઆરીથી દેવાંશીનો દીક્ષા મહોત્સવ શરૂ થયો હતો. દેવાંશીને જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજે તેને દીક્ષા અપાવી હતી. દેવાંશીએ દીક્ષા લેતા હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે.

વરસીદાન વરઘોડામાં દેવાંશી સાથે પિતા ધનેશભાઈ અને માતા અમીબેન.

અતિભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યા લોકો


દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી. આ ભવ્ય દીક્ષા મહોત્સવમાં 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં દેવાંશીની ખૂબ જ વાજતે ગાજતે ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. સુરતમાં જ ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. લોકો માટે રાજમહેલ જેવા મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મહેમાનોના જમવાની પણ વ્યવસ્થા હતી. 9 વર્ષની દેવાંશીનો દીક્ષા ઉત્સવ વેસુના બલર ફાર્મમાં શરૂ થયો હતો. જેમાં ગઈકાલે અઠવા ગેટ ચોપાટી પાસેથી ભવ્ય યાત્રા નીકળી હતી અને વરઘોડાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં હાથી, ઘોડા તથા ઊંટ ઉપરાંત ઢોલ અને નગારા સહિત સંગીતના સૂરોની રેલમછેલ હતી.




હિરાના વેપારીની પૌત્રી છે દેવાંશી


દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી 5 ભાષાની જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે.  દેવાંશીએ બે વર્ષે જ ઉપવાસ, 6 વર્ષે વિહાર અને 7મા વર્ષે પૌષધ કર્યા હતા. ઉપરાંત તેણે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કર્યો કે ટીવી પણ નથી જોયું. માત્ર 9 વર્ષની ઉંમરે જ તેણે 367 દીક્ષાના દર્શન કર્યા છે અને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો પણ તેને કંઠસ્થ છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દેવાંશીના પિતા ધનેશ સંઘવીની  કંપનીની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.