9 વર્ષની દેવાંશીએ સંયમનો માર્ગ અપનાવ્યો, હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-01-18 15:29:45

સુરતમાં 9 વર્ષની દેવાંશીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. સુરતમાં દેવાંશીના દીક્ષા મહોત્સવમાં 35 હજારથી પણ વધુ લોકો ઉમટ્યા હતા. 14મી જાન્યુઆરીથી દેવાંશીનો દીક્ષા મહોત્સવ શરૂ થયો હતો. દેવાંશીને જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજે તેને દીક્ષા અપાવી હતી. દેવાંશીએ દીક્ષા લેતા હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ.સા.તરીકે ઓળખાશે.

વરસીદાન વરઘોડામાં દેવાંશી સાથે પિતા ધનેશભાઈ અને માતા અમીબેન.

અતિભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યા લોકો


દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી. આ ભવ્ય દીક્ષા મહોત્સવમાં 35 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં દેવાંશીની ખૂબ જ વાજતે ગાજતે ભવ્યાતિ ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયો હતો. સુરતમાં જ ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. લોકો માટે રાજમહેલ જેવા મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મહેમાનોના જમવાની પણ વ્યવસ્થા હતી. 9 વર્ષની દેવાંશીનો દીક્ષા ઉત્સવ વેસુના બલર ફાર્મમાં શરૂ થયો હતો. જેમાં ગઈકાલે અઠવા ગેટ ચોપાટી પાસેથી ભવ્ય યાત્રા નીકળી હતી અને વરઘોડાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં હાથી, ઘોડા તથા ઊંટ ઉપરાંત ઢોલ અને નગારા સહિત સંગીતના સૂરોની રેલમછેલ હતી.




હિરાના વેપારીની પૌત્રી છે દેવાંશી


દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી 5 ભાષાની જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે.  દેવાંશીએ બે વર્ષે જ ઉપવાસ, 6 વર્ષે વિહાર અને 7મા વર્ષે પૌષધ કર્યા હતા. ઉપરાંત તેણે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કર્યો કે ટીવી પણ નથી જોયું. માત્ર 9 વર્ષની ઉંમરે જ તેણે 367 દીક્ષાના દર્શન કર્યા છે અને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો પણ તેને કંઠસ્થ છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દેવાંશીના પિતા ધનેશ સંઘવીની  કંપનીની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.