જામીન મળતા જ દેવાયત ખવડે લોકડાયરામાં ફરી જમાવટ કરી, જો કે તેમના આ નિવેદને વિવાદ સર્જ્યો


  • Published By :
  • Published Date : 2023-03-06 13:34:20

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ જામીન મળતા ફરી સક્રિય થયા છે. તેઓ ગઈકાલ રાતે ભાવનગરના પાલિતાણામાં આયોજીત એક લોકડાયરામાં પહોંચ્યા હતા લોકડાયરામાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને માથે સાફો પહેરાવી સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક કલાક સુધી તેમણે લોકસંગીતની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં દેવાયત ખાવડના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે લગભગ એક કલાકથી વધુ સમય સુધી સતત દેવાયત ખવડ પર રૂપિયાનો અને ડોલરનો વરસાદ કર્યો હતો. જો કે દેવાયતે આ દરમિયાન એક નિવેદન કરી ફરી વિવાદને આમંત્રણ આપ્યું છે.


શું બોલ્યા દેવાયત ખવડ? 


પાલિતાણામાં આવેલા કોલંબા ધામ કમળાઈ માતાજીના મંદિર ખાતે તારીખ 5 માર્ચ 2023ને રવિવારના રોજ રાત્રિના કમળાઈ માતાજી હુતાશની પર્વ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે માતાજીની આરાધના સાથે પોતાની કલાની શરૂઆત કર્યા બાદ સ્ટેજ પરથી  કહ્યું કે, જેલમાં નીકળ્યા બાદનો મારો આ પ્રથમ ડાયરો છે  કે આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, કારણ કે વાઇડાઇ કોઇ દી જીતે નહીં, માત્ર વ્યવહારની જ વાત કરીશ,વ્યવહાર જ જીતે છે. એટલે જે કાંઇ વાતો કરવી છે આપડે, આનંદ કરવો છે મા જગદંબાના ખોળામાં. પહેલાં પણ બોલતો અને હજુ પણ બોલું છું કે ઝુકેગા નહીં સાલા...  


જામીન અંગે કરી આ વાત


દેવાયત ખવડે કહ્યું કે, આમ તો સમય ઘણોય વીતી ગયો છે બધાના પ્રેમ, લાગણી અને બધાનાએ હેત સમાજનો તો છે પણ અઢ્ઢારે વરણનો પ્રેમ અને લાગણી હતી. મારા માટે જેણે પ્રાર્થના કરી હશે એ માના ચરણોમાં આજનો ડાયરો સમર્પિત કરૂ છું. તેમણે ઉમેર્યું કે, મારા હિતની પાર્થના ન હોય. જામીન રિજેક્ટ પર રિજક્ટ  થતાં તા ત્યારે દુનિયા દાંતે ચડી હતી પણ એને ખબર ન નથી નવઘણના ભાલે બેઠેલી મારે કલમે બેસે તો સમજજો કે, મારા ગઢડાવાળી આવી છે. તેમણે કહ્યું કે, મા પર ભરોશો હોય- મા જંગદબા પર ભરોશો હોય આબરુ રાખે જ. અત્રે ઉલ્લેખનિય છે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં  મયુરસિંહ રાણા નામના એક યુવક પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ ફરિયાદ થતા તેમની ધરપકડ થઈ હતી અને તેમને 72 દિવસ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.


આ ખ્યાતનામ કલાકારોએ જમાવટ કરી


કોલંબા ધામમાં આયોજીત આ ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો, આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત સહિત નામી કલાકારોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં લોકો ડાયરો સાંભળવા સૌરાષ્ટ્રભરમાંથી ઊમટી પડ્યા હતા. હરહંમેશની જેમ દરેક કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો નજરે પડ્યો હતો.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.