જામીન મળતા જ દેવાયત ખવડે લોકડાયરામાં ફરી જમાવટ કરી, જો કે તેમના આ નિવેદને વિવાદ સર્જ્યો


  • Published By :
  • Published Date : 2023-03-06 13:34:20

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ જામીન મળતા ફરી સક્રિય થયા છે. તેઓ ગઈકાલ રાતે ભાવનગરના પાલિતાણામાં આયોજીત એક લોકડાયરામાં પહોંચ્યા હતા લોકડાયરામાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને માથે સાફો પહેરાવી સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક કલાક સુધી તેમણે લોકસંગીતની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં દેવાયત ખાવડના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે લગભગ એક કલાકથી વધુ સમય સુધી સતત દેવાયત ખવડ પર રૂપિયાનો અને ડોલરનો વરસાદ કર્યો હતો. જો કે દેવાયતે આ દરમિયાન એક નિવેદન કરી ફરી વિવાદને આમંત્રણ આપ્યું છે.


શું બોલ્યા દેવાયત ખવડ? 


પાલિતાણામાં આવેલા કોલંબા ધામ કમળાઈ માતાજીના મંદિર ખાતે તારીખ 5 માર્ચ 2023ને રવિવારના રોજ રાત્રિના કમળાઈ માતાજી હુતાશની પર્વ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે માતાજીની આરાધના સાથે પોતાની કલાની શરૂઆત કર્યા બાદ સ્ટેજ પરથી  કહ્યું કે, જેલમાં નીકળ્યા બાદનો મારો આ પ્રથમ ડાયરો છે  કે આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, કારણ કે વાઇડાઇ કોઇ દી જીતે નહીં, માત્ર વ્યવહારની જ વાત કરીશ,વ્યવહાર જ જીતે છે. એટલે જે કાંઇ વાતો કરવી છે આપડે, આનંદ કરવો છે મા જગદંબાના ખોળામાં. પહેલાં પણ બોલતો અને હજુ પણ બોલું છું કે ઝુકેગા નહીં સાલા...  


જામીન અંગે કરી આ વાત


દેવાયત ખવડે કહ્યું કે, આમ તો સમય ઘણોય વીતી ગયો છે બધાના પ્રેમ, લાગણી અને બધાનાએ હેત સમાજનો તો છે પણ અઢ્ઢારે વરણનો પ્રેમ અને લાગણી હતી. મારા માટે જેણે પ્રાર્થના કરી હશે એ માના ચરણોમાં આજનો ડાયરો સમર્પિત કરૂ છું. તેમણે ઉમેર્યું કે, મારા હિતની પાર્થના ન હોય. જામીન રિજેક્ટ પર રિજક્ટ  થતાં તા ત્યારે દુનિયા દાંતે ચડી હતી પણ એને ખબર ન નથી નવઘણના ભાલે બેઠેલી મારે કલમે બેસે તો સમજજો કે, મારા ગઢડાવાળી આવી છે. તેમણે કહ્યું કે, મા પર ભરોશો હોય- મા જંગદબા પર ભરોશો હોય આબરુ રાખે જ. અત્રે ઉલ્લેખનિય છે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં  મયુરસિંહ રાણા નામના એક યુવક પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ ફરિયાદ થતા તેમની ધરપકડ થઈ હતી અને તેમને 72 દિવસ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.


આ ખ્યાતનામ કલાકારોએ જમાવટ કરી


કોલંબા ધામમાં આયોજીત આ ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો, આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત સહિત નામી કલાકારોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં લોકો ડાયરો સાંભળવા સૌરાષ્ટ્રભરમાંથી ઊમટી પડ્યા હતા. હરહંમેશની જેમ દરેક કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો નજરે પડ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.