જામીન મળતા જ દેવાયત ખવડે લોકડાયરામાં ફરી જમાવટ કરી, જો કે તેમના આ નિવેદને વિવાદ સર્જ્યો


  • Published By :
  • Published Date : 2023-03-06 13:34:20

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ જામીન મળતા ફરી સક્રિય થયા છે. તેઓ ગઈકાલ રાતે ભાવનગરના પાલિતાણામાં આયોજીત એક લોકડાયરામાં પહોંચ્યા હતા લોકડાયરામાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને માથે સાફો પહેરાવી સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક કલાક સુધી તેમણે લોકસંગીતની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં દેવાયત ખાવડના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે લગભગ એક કલાકથી વધુ સમય સુધી સતત દેવાયત ખવડ પર રૂપિયાનો અને ડોલરનો વરસાદ કર્યો હતો. જો કે દેવાયતે આ દરમિયાન એક નિવેદન કરી ફરી વિવાદને આમંત્રણ આપ્યું છે.


શું બોલ્યા દેવાયત ખવડ? 


પાલિતાણામાં આવેલા કોલંબા ધામ કમળાઈ માતાજીના મંદિર ખાતે તારીખ 5 માર્ચ 2023ને રવિવારના રોજ રાત્રિના કમળાઈ માતાજી હુતાશની પર્વ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે માતાજીની આરાધના સાથે પોતાની કલાની શરૂઆત કર્યા બાદ સ્ટેજ પરથી  કહ્યું કે, જેલમાં નીકળ્યા બાદનો મારો આ પ્રથમ ડાયરો છે  કે આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, કારણ કે વાઇડાઇ કોઇ દી જીતે નહીં, માત્ર વ્યવહારની જ વાત કરીશ,વ્યવહાર જ જીતે છે. એટલે જે કાંઇ વાતો કરવી છે આપડે, આનંદ કરવો છે મા જગદંબાના ખોળામાં. પહેલાં પણ બોલતો અને હજુ પણ બોલું છું કે ઝુકેગા નહીં સાલા...  


જામીન અંગે કરી આ વાત


દેવાયત ખવડે કહ્યું કે, આમ તો સમય ઘણોય વીતી ગયો છે બધાના પ્રેમ, લાગણી અને બધાનાએ હેત સમાજનો તો છે પણ અઢ્ઢારે વરણનો પ્રેમ અને લાગણી હતી. મારા માટે જેણે પ્રાર્થના કરી હશે એ માના ચરણોમાં આજનો ડાયરો સમર્પિત કરૂ છું. તેમણે ઉમેર્યું કે, મારા હિતની પાર્થના ન હોય. જામીન રિજેક્ટ પર રિજક્ટ  થતાં તા ત્યારે દુનિયા દાંતે ચડી હતી પણ એને ખબર ન નથી નવઘણના ભાલે બેઠેલી મારે કલમે બેસે તો સમજજો કે, મારા ગઢડાવાળી આવી છે. તેમણે કહ્યું કે, મા પર ભરોશો હોય- મા જંગદબા પર ભરોશો હોય આબરુ રાખે જ. અત્રે ઉલ્લેખનિય છે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં  મયુરસિંહ રાણા નામના એક યુવક પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ ફરિયાદ થતા તેમની ધરપકડ થઈ હતી અને તેમને 72 દિવસ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.


આ ખ્યાતનામ કલાકારોએ જમાવટ કરી


કોલંબા ધામમાં આયોજીત આ ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો, આ ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત સહિત નામી કલાકારોએ હાજરી આપી હતી. હજારોની સંખ્યામાં લોકો ડાયરો સાંભળવા સૌરાષ્ટ્રભરમાંથી ઊમટી પડ્યા હતા. હરહંમેશની જેમ દરેક કલાકાર પર રૂપિયાનો વરસાદ થતો નજરે પડ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.