Kutchના આ ગામમાં વિકાસ પહોંચવાનું ભૂલી ગયો! બાળકો નદી પાર કરીને School જવા મજબૂર! આ પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડે છે..!


  • Published By :
  • Published Date : 2024-08-02 18:02:24

આપણે નાના હતા તો આપણા મમ્મી પપ્પા આપણને એમ કહેતા કે બેટા અમે તો નદી પાર કરીને નિશાળ જતાં હતા. એમનો કહેવાનો મતલબ હતો કે ત્યારે સુવિધાનો અભાવ હતો જેને કારણે આવી પરિસ્થિતિથી તેમને પસાર થવું પડતું હતું.. મુશ્કેલીઓ વેઠીને સ્કૂલ જતાં.. પણ હવે તો સરકાર હજારો કરોડો રૂપિયા શિક્ષણ અને રસ્તા બનાવવા પાછળ વાપરી રહી છે. પરંતુ તો પણ કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે કે આટલા બધા પૈસા જાય છે ક્યાં? 

આજે પણ નદી પાર કરીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર

જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તે દ્રશ્યો કચ્છના નુંધાતનથી ખરૂઆના છે..  આ રોડ પરથી કંકાવટી નદી પસાર થાય છે. એક બાજુ રબારીવાસ છે જ્યાં માલધારીઓ રહે છે અને બીજી બાજુ શાળા છે. એટલે ત્યાંના બાળકોએ જ્યારે સ્કૂલ જવું હોય ત્યારે આ રીતે જ નદી પાર કરીને શાળાએ જવું પડે છે.. ત્યાંના સ્થાનિક વ્યક્તિએ અમને આ વીડિયો મોકલ્યો અને રજુઆત કરી કારણ કે ત્યાંના નેતાઓ અને આગેવાનો તો બીજી જગ્યાએ વ્યસ્ત છે તો એ કઈ રીતે આ રજુઆત સાંભળે,..


સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને સાંસદને કરી રજૂઆત પરંતુ...

અબડાસાના ધારાસભ્ય, કચ્છના સાંસદ બધાને આ લોકોએ પત્ર લખ્યો અને એક પુલની માગણી કરી. કારણ કે ત્યાં 40 જેટલા પરિવારો રહે છે જેમને દર વર્ષે આ હાલાકીનો સામનો કરવો પડે છે.  બાળકો ચાલીને ભણવા જાય છે પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં કોઈ બિમાર હોય કે કોઈ મહિલા સગર્ભા હોય તો પણ આ સ્થિતિમાં જ એમને લઈ જવા પડે છે.. નદી ઓળંગીને બાળકો તેમજ સ્થાનિક લોકો ત્યાં પહોંચે છે.. 



અનેક ગામડાઓમાં આજે પણ આવી જ હશે પરિસ્થિતિ

આપણે બહું સરળતાથી કહી દઈએ છે કે યોજનાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે. જે પરિસ્થિતિ આ ગામની છે તે પરિસ્થિતિ અનેક ગામડાઓની, અનેક સ્થળોની હશે. આ દ્રશ્યો ગુજરાતની વાસ્તવિક્તા દર્શાવે છે.. આજે પણ  અનેક ગામડાઓ એવા છે જ્યાં બાળકોને આવી રીતે જવું પડે છે... ત્યારે આ દ્રશ્યો જોઈ તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.