Kutchના આ ગામમાં વિકાસ પહોંચવાનું ભૂલી ગયો! બાળકો નદી પાર કરીને School જવા મજબૂર! આ પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડે છે..!


  • Published By :
  • Published Date : 2024-08-02 18:02:24

આપણે નાના હતા તો આપણા મમ્મી પપ્પા આપણને એમ કહેતા કે બેટા અમે તો નદી પાર કરીને નિશાળ જતાં હતા. એમનો કહેવાનો મતલબ હતો કે ત્યારે સુવિધાનો અભાવ હતો જેને કારણે આવી પરિસ્થિતિથી તેમને પસાર થવું પડતું હતું.. મુશ્કેલીઓ વેઠીને સ્કૂલ જતાં.. પણ હવે તો સરકાર હજારો કરોડો રૂપિયા શિક્ષણ અને રસ્તા બનાવવા પાછળ વાપરી રહી છે. પરંતુ તો પણ કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે કે આટલા બધા પૈસા જાય છે ક્યાં? 

આજે પણ નદી પાર કરીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર

જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તે દ્રશ્યો કચ્છના નુંધાતનથી ખરૂઆના છે..  આ રોડ પરથી કંકાવટી નદી પસાર થાય છે. એક બાજુ રબારીવાસ છે જ્યાં માલધારીઓ રહે છે અને બીજી બાજુ શાળા છે. એટલે ત્યાંના બાળકોએ જ્યારે સ્કૂલ જવું હોય ત્યારે આ રીતે જ નદી પાર કરીને શાળાએ જવું પડે છે.. ત્યાંના સ્થાનિક વ્યક્તિએ અમને આ વીડિયો મોકલ્યો અને રજુઆત કરી કારણ કે ત્યાંના નેતાઓ અને આગેવાનો તો બીજી જગ્યાએ વ્યસ્ત છે તો એ કઈ રીતે આ રજુઆત સાંભળે,..


સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને સાંસદને કરી રજૂઆત પરંતુ...

અબડાસાના ધારાસભ્ય, કચ્છના સાંસદ બધાને આ લોકોએ પત્ર લખ્યો અને એક પુલની માગણી કરી. કારણ કે ત્યાં 40 જેટલા પરિવારો રહે છે જેમને દર વર્ષે આ હાલાકીનો સામનો કરવો પડે છે.  બાળકો ચાલીને ભણવા જાય છે પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં કોઈ બિમાર હોય કે કોઈ મહિલા સગર્ભા હોય તો પણ આ સ્થિતિમાં જ એમને લઈ જવા પડે છે.. નદી ઓળંગીને બાળકો તેમજ સ્થાનિક લોકો ત્યાં પહોંચે છે.. 



અનેક ગામડાઓમાં આજે પણ આવી જ હશે પરિસ્થિતિ

આપણે બહું સરળતાથી કહી દઈએ છે કે યોજનાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે. જે પરિસ્થિતિ આ ગામની છે તે પરિસ્થિતિ અનેક ગામડાઓની, અનેક સ્થળોની હશે. આ દ્રશ્યો ગુજરાતની વાસ્તવિક્તા દર્શાવે છે.. આજે પણ  અનેક ગામડાઓ એવા છે જ્યાં બાળકોને આવી રીતે જવું પડે છે... ત્યારે આ દ્રશ્યો જોઈ તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.