Kutchના આ ગામમાં વિકાસ પહોંચવાનું ભૂલી ગયો! બાળકો નદી પાર કરીને School જવા મજબૂર! આ પરિસ્થિતિનો સામનો બાળકોને કરવો પડે છે..!


  • Published By :
  • Published Date : 2024-08-02 18:02:24

આપણે નાના હતા તો આપણા મમ્મી પપ્પા આપણને એમ કહેતા કે બેટા અમે તો નદી પાર કરીને નિશાળ જતાં હતા. એમનો કહેવાનો મતલબ હતો કે ત્યારે સુવિધાનો અભાવ હતો જેને કારણે આવી પરિસ્થિતિથી તેમને પસાર થવું પડતું હતું.. મુશ્કેલીઓ વેઠીને સ્કૂલ જતાં.. પણ હવે તો સરકાર હજારો કરોડો રૂપિયા શિક્ષણ અને રસ્તા બનાવવા પાછળ વાપરી રહી છે. પરંતુ તો પણ કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે કે આટલા બધા પૈસા જાય છે ક્યાં? 

આજે પણ નદી પાર કરીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર

જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તે દ્રશ્યો કચ્છના નુંધાતનથી ખરૂઆના છે..  આ રોડ પરથી કંકાવટી નદી પસાર થાય છે. એક બાજુ રબારીવાસ છે જ્યાં માલધારીઓ રહે છે અને બીજી બાજુ શાળા છે. એટલે ત્યાંના બાળકોએ જ્યારે સ્કૂલ જવું હોય ત્યારે આ રીતે જ નદી પાર કરીને શાળાએ જવું પડે છે.. ત્યાંના સ્થાનિક વ્યક્તિએ અમને આ વીડિયો મોકલ્યો અને રજુઆત કરી કારણ કે ત્યાંના નેતાઓ અને આગેવાનો તો બીજી જગ્યાએ વ્યસ્ત છે તો એ કઈ રીતે આ રજુઆત સાંભળે,..


સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને સાંસદને કરી રજૂઆત પરંતુ...

અબડાસાના ધારાસભ્ય, કચ્છના સાંસદ બધાને આ લોકોએ પત્ર લખ્યો અને એક પુલની માગણી કરી. કારણ કે ત્યાં 40 જેટલા પરિવારો રહે છે જેમને દર વર્ષે આ હાલાકીનો સામનો કરવો પડે છે.  બાળકો ચાલીને ભણવા જાય છે પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં કોઈ બિમાર હોય કે કોઈ મહિલા સગર્ભા હોય તો પણ આ સ્થિતિમાં જ એમને લઈ જવા પડે છે.. નદી ઓળંગીને બાળકો તેમજ સ્થાનિક લોકો ત્યાં પહોંચે છે.. 



અનેક ગામડાઓમાં આજે પણ આવી જ હશે પરિસ્થિતિ

આપણે બહું સરળતાથી કહી દઈએ છે કે યોજનાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે. જે પરિસ્થિતિ આ ગામની છે તે પરિસ્થિતિ અનેક ગામડાઓની, અનેક સ્થળોની હશે. આ દ્રશ્યો ગુજરાતની વાસ્તવિક્તા દર્શાવે છે.. આજે પણ  અનેક ગામડાઓ એવા છે જ્યાં બાળકોને આવી રીતે જવું પડે છે... ત્યારે આ દ્રશ્યો જોઈ તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવજો..   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી