Chhotaudepurમાં વિકાસ રઘવાયો થયો! રસ્તા પર ડામર પાથરીને જતી રહી કંપની, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં!


  • Published By :
  • Published Date : 2023-11-01 10:07:12

ખરાબ રોડ રસ્તાની તો વાતો અનેક વખત અમે કરતા હોઈએ છીએ. રસ્તાની બિસ્માર હાલત વિશે તમે પણ જાણો છો.. ખરાબ રસ્તાની સમસ્યા ન માત્ર ગામડાઓમાં પરંતુ શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોમાં પણ ખરાબ રસ્તા એક સમસ્યા છે. રસ્તાઓ બને છે અને થોડા દિવસોની અંદર જ તે તૂટી જાય છે. આવી વાતો હવે સામાન્ય બની ગઈ છે. છોટા ઉદેપુર ફરીથી એક વખત ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો હતો. ત્યાં હવે નકલી રોડનો પર્દાફાશ થયો છે.! એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડામરને રેતી પર પાથરી દેવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના આંધણી ખેરમાર ગામમાં રોડને હાથ લગાવતા જ ડામર ઉખડી ગયો છે.   

વડોદરાની કંપનીએ કર્યું હતું રસ્તાનું નિર્માણ

ખરાબ રસ્તાઓ તો અનેક વખત તમે જોયા હશે પરંતુ આવા રસ્તો તમે ક્યાંય નહીં જોયો જે હાથથી ઉખડી શકે છે. છોટાઉદેપુરના નસવાડીમાં બનેલો આ રોડ છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠે છે.  આંધણી-ખેરમારના રોડ રીપેરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર કંપનીએ વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગ્રામજનો રોષે ભરાયા છે. આવી હલકી ગુણવત્તા વાળું કામ વડોદરાની એકતા એસોસિએટ દ્વારા આ કરવામાં આવ્યું છે. રોડ બનાવતી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.  

આ વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ અનેક જિલ્લાઓની છે...

આ રીતે જો દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા રહીશું તો ગામડાઓ સુધી વિકાસ કદી નહીં પહોંચી શકે. વર્ષો પછી આ વિસ્તારને રસ્તો મળ્યો, અને વર્ષો પછી મળેલો રસ્તો એવો ન મળ્યો જે ટકી શકે. ટકી શકે એવો વિકાસ મળે તેવી ઝંખના ન માત્ર છોટા ઉદેપુરની છે પરંતુ સમગ્ર ગુજરાતની છે. આ વાત ભલે છોટા ઉદેપુર જિલ્લાના એક વિસ્તારની હોય પરંતુ આવી પરિસ્થિતિ ગુજરાતભરની છે. તેમાં પણ ગુજરાતના ગામડાઓની, અંતરિયાળ વિસ્તારોની છે. આપણે રસ્તાઓ ભ્રષ્ટાચાર માટે નથી પરંતુ પોતાના કામને સારી રીતે કરવાની છે જવાબદારી એ કંપનીની છે જે પૈસા લે છે. કામમાં ખાઈકી કરે છે એટલે રસ્તાઓ તૂટે છે.   


પૈસા જનતાના જાય છે અને ગજવા ભરાય છે કોન્ટ્રાક્ટરના!

જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને લાગે છે કે રોડ કામગીરીના નામે માત્ર પાતળો ડામર પાથરી દેવાયો છે. કોન્ટ્રાક્ટરોને સુવિધા આપવામાં નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવામાં રસ વધારે છે. ક્યાં સુધી રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહેશે...આવા તો અનેક દ્રશ્યો આપણી સામે આવતા હશે જેમાં હલકી ગુણવત્તા વાળો સામાન કંપની દ્વારા વાપરવામાં આવે છે પરંતુ સજા સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી