Chhotaudepurમાં વિકાસ રઘવાયો થયો! રસ્તા પર ડામર પાથરીને જતી રહી કંપની, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં!


  • Published By :
  • Published Date : 2023-11-01 10:07:12

ખરાબ રોડ રસ્તાની તો વાતો અનેક વખત અમે કરતા હોઈએ છીએ. રસ્તાની બિસ્માર હાલત વિશે તમે પણ જાણો છો.. ખરાબ રસ્તાની સમસ્યા ન માત્ર ગામડાઓમાં પરંતુ શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોમાં પણ ખરાબ રસ્તા એક સમસ્યા છે. રસ્તાઓ બને છે અને થોડા દિવસોની અંદર જ તે તૂટી જાય છે. આવી વાતો હવે સામાન્ય બની ગઈ છે. છોટા ઉદેપુર ફરીથી એક વખત ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો હતો. ત્યાં હવે નકલી રોડનો પર્દાફાશ થયો છે.! એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડામરને રેતી પર પાથરી દેવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના આંધણી ખેરમાર ગામમાં રોડને હાથ લગાવતા જ ડામર ઉખડી ગયો છે.   

વડોદરાની કંપનીએ કર્યું હતું રસ્તાનું નિર્માણ

ખરાબ રસ્તાઓ તો અનેક વખત તમે જોયા હશે પરંતુ આવા રસ્તો તમે ક્યાંય નહીં જોયો જે હાથથી ઉખડી શકે છે. છોટાઉદેપુરના નસવાડીમાં બનેલો આ રોડ છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠે છે.  આંધણી-ખેરમારના રોડ રીપેરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર કંપનીએ વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગ્રામજનો રોષે ભરાયા છે. આવી હલકી ગુણવત્તા વાળું કામ વડોદરાની એકતા એસોસિએટ દ્વારા આ કરવામાં આવ્યું છે. રોડ બનાવતી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.  

આ વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ અનેક જિલ્લાઓની છે...

આ રીતે જો દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા રહીશું તો ગામડાઓ સુધી વિકાસ કદી નહીં પહોંચી શકે. વર્ષો પછી આ વિસ્તારને રસ્તો મળ્યો, અને વર્ષો પછી મળેલો રસ્તો એવો ન મળ્યો જે ટકી શકે. ટકી શકે એવો વિકાસ મળે તેવી ઝંખના ન માત્ર છોટા ઉદેપુરની છે પરંતુ સમગ્ર ગુજરાતની છે. આ વાત ભલે છોટા ઉદેપુર જિલ્લાના એક વિસ્તારની હોય પરંતુ આવી પરિસ્થિતિ ગુજરાતભરની છે. તેમાં પણ ગુજરાતના ગામડાઓની, અંતરિયાળ વિસ્તારોની છે. આપણે રસ્તાઓ ભ્રષ્ટાચાર માટે નથી પરંતુ પોતાના કામને સારી રીતે કરવાની છે જવાબદારી એ કંપનીની છે જે પૈસા લે છે. કામમાં ખાઈકી કરે છે એટલે રસ્તાઓ તૂટે છે.   


પૈસા જનતાના જાય છે અને ગજવા ભરાય છે કોન્ટ્રાક્ટરના!

જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને લાગે છે કે રોડ કામગીરીના નામે માત્ર પાતળો ડામર પાથરી દેવાયો છે. કોન્ટ્રાક્ટરોને સુવિધા આપવામાં નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવામાં રસ વધારે છે. ક્યાં સુધી રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહેશે...આવા તો અનેક દ્રશ્યો આપણી સામે આવતા હશે જેમાં હલકી ગુણવત્તા વાળો સામાન કંપની દ્વારા વાપરવામાં આવે છે પરંતુ સજા સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.