Chhotaudepurમાં વિકાસ રઘવાયો થયો! રસ્તા પર ડામર પાથરીને જતી રહી કંપની, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં!


  • Published By :
  • Published Date : 2023-11-01 10:07:12

ખરાબ રોડ રસ્તાની તો વાતો અનેક વખત અમે કરતા હોઈએ છીએ. રસ્તાની બિસ્માર હાલત વિશે તમે પણ જાણો છો.. ખરાબ રસ્તાની સમસ્યા ન માત્ર ગામડાઓમાં પરંતુ શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોમાં પણ ખરાબ રસ્તા એક સમસ્યા છે. રસ્તાઓ બને છે અને થોડા દિવસોની અંદર જ તે તૂટી જાય છે. આવી વાતો હવે સામાન્ય બની ગઈ છે. છોટા ઉદેપુર ફરીથી એક વખત ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો હતો. ત્યાં હવે નકલી રોડનો પર્દાફાશ થયો છે.! એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડામરને રેતી પર પાથરી દેવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના આંધણી ખેરમાર ગામમાં રોડને હાથ લગાવતા જ ડામર ઉખડી ગયો છે.   

વડોદરાની કંપનીએ કર્યું હતું રસ્તાનું નિર્માણ

ખરાબ રસ્તાઓ તો અનેક વખત તમે જોયા હશે પરંતુ આવા રસ્તો તમે ક્યાંય નહીં જોયો જે હાથથી ઉખડી શકે છે. છોટાઉદેપુરના નસવાડીમાં બનેલો આ રોડ છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠે છે.  આંધણી-ખેરમારના રોડ રીપેરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર કંપનીએ વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગ્રામજનો રોષે ભરાયા છે. આવી હલકી ગુણવત્તા વાળું કામ વડોદરાની એકતા એસોસિએટ દ્વારા આ કરવામાં આવ્યું છે. રોડ બનાવતી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.  

આ વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ અનેક જિલ્લાઓની છે...

આ રીતે જો દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા રહીશું તો ગામડાઓ સુધી વિકાસ કદી નહીં પહોંચી શકે. વર્ષો પછી આ વિસ્તારને રસ્તો મળ્યો, અને વર્ષો પછી મળેલો રસ્તો એવો ન મળ્યો જે ટકી શકે. ટકી શકે એવો વિકાસ મળે તેવી ઝંખના ન માત્ર છોટા ઉદેપુરની છે પરંતુ સમગ્ર ગુજરાતની છે. આ વાત ભલે છોટા ઉદેપુર જિલ્લાના એક વિસ્તારની હોય પરંતુ આવી પરિસ્થિતિ ગુજરાતભરની છે. તેમાં પણ ગુજરાતના ગામડાઓની, અંતરિયાળ વિસ્તારોની છે. આપણે રસ્તાઓ ભ્રષ્ટાચાર માટે નથી પરંતુ પોતાના કામને સારી રીતે કરવાની છે જવાબદારી એ કંપનીની છે જે પૈસા લે છે. કામમાં ખાઈકી કરે છે એટલે રસ્તાઓ તૂટે છે.   


પૈસા જનતાના જાય છે અને ગજવા ભરાય છે કોન્ટ્રાક્ટરના!

જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને લાગે છે કે રોડ કામગીરીના નામે માત્ર પાતળો ડામર પાથરી દેવાયો છે. કોન્ટ્રાક્ટરોને સુવિધા આપવામાં નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવામાં રસ વધારે છે. ક્યાં સુધી રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહેશે...આવા તો અનેક દ્રશ્યો આપણી સામે આવતા હશે જેમાં હલકી ગુણવત્તા વાળો સામાન કંપની દ્વારા વાપરવામાં આવે છે પરંતુ સજા સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.