Chhotaudepurમાં વિકાસ રઘવાયો થયો! રસ્તા પર ડામર પાથરીને જતી રહી કંપની, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં!


  • Published By :
  • Published Date : 2023-11-01 10:07:12

ખરાબ રોડ રસ્તાની તો વાતો અનેક વખત અમે કરતા હોઈએ છીએ. રસ્તાની બિસ્માર હાલત વિશે તમે પણ જાણો છો.. ખરાબ રસ્તાની સમસ્યા ન માત્ર ગામડાઓમાં પરંતુ શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોમાં પણ ખરાબ રસ્તા એક સમસ્યા છે. રસ્તાઓ બને છે અને થોડા દિવસોની અંદર જ તે તૂટી જાય છે. આવી વાતો હવે સામાન્ય બની ગઈ છે. છોટા ઉદેપુર ફરીથી એક વખત ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો હતો. ત્યાં હવે નકલી રોડનો પર્દાફાશ થયો છે.! એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડામરને રેતી પર પાથરી દેવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના આંધણી ખેરમાર ગામમાં રોડને હાથ લગાવતા જ ડામર ઉખડી ગયો છે.   

વડોદરાની કંપનીએ કર્યું હતું રસ્તાનું નિર્માણ

ખરાબ રસ્તાઓ તો અનેક વખત તમે જોયા હશે પરંતુ આવા રસ્તો તમે ક્યાંય નહીં જોયો જે હાથથી ઉખડી શકે છે. છોટાઉદેપુરના નસવાડીમાં બનેલો આ રોડ છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠે છે.  આંધણી-ખેરમારના રોડ રીપેરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર કંપનીએ વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગ્રામજનો રોષે ભરાયા છે. આવી હલકી ગુણવત્તા વાળું કામ વડોદરાની એકતા એસોસિએટ દ્વારા આ કરવામાં આવ્યું છે. રોડ બનાવતી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.  

આ વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ અનેક જિલ્લાઓની છે...

આ રીતે જો દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા રહીશું તો ગામડાઓ સુધી વિકાસ કદી નહીં પહોંચી શકે. વર્ષો પછી આ વિસ્તારને રસ્તો મળ્યો, અને વર્ષો પછી મળેલો રસ્તો એવો ન મળ્યો જે ટકી શકે. ટકી શકે એવો વિકાસ મળે તેવી ઝંખના ન માત્ર છોટા ઉદેપુરની છે પરંતુ સમગ્ર ગુજરાતની છે. આ વાત ભલે છોટા ઉદેપુર જિલ્લાના એક વિસ્તારની હોય પરંતુ આવી પરિસ્થિતિ ગુજરાતભરની છે. તેમાં પણ ગુજરાતના ગામડાઓની, અંતરિયાળ વિસ્તારોની છે. આપણે રસ્તાઓ ભ્રષ્ટાચાર માટે નથી પરંતુ પોતાના કામને સારી રીતે કરવાની છે જવાબદારી એ કંપનીની છે જે પૈસા લે છે. કામમાં ખાઈકી કરે છે એટલે રસ્તાઓ તૂટે છે.   


પૈસા જનતાના જાય છે અને ગજવા ભરાય છે કોન્ટ્રાક્ટરના!

જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને લાગે છે કે રોડ કામગીરીના નામે માત્ર પાતળો ડામર પાથરી દેવાયો છે. કોન્ટ્રાક્ટરોને સુવિધા આપવામાં નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવામાં રસ વધારે છે. ક્યાં સુધી રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહેશે...આવા તો અનેક દ્રશ્યો આપણી સામે આવતા હશે જેમાં હલકી ગુણવત્તા વાળો સામાન કંપની દ્વારા વાપરવામાં આવે છે પરંતુ સજા સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.