હિંદુઓ સમયસર લગ્ન કરી, પાંચ-છ બાળકો પેદા કરો: ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર


  • Published By :
  • Published Date : 2023-02-20 18:41:25

દેશના જાણીતા ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજે તેમના નિવેદનથી ફરી વિવાદ સર્જ્યો છે.આ વખતે તેઓ વસ્તી નિયંત્રણ કાયદા પર નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક હિંદુએ પાંચથી છ બાળકો પેદા કરવા જોઈએ. દેવકીનંદને સનાતન બોર્ડની રચના કરવાની પણ માંગ કરી છે અને કહ્યું છે કે આ બોર્ડમાં માત્ર ધર્માચાર્યો જ રહેશે. 


સનાતન ધર્મ પર સૌથી મોટો હુમલો


ભાગવત કથાકાર અને વૃંદાવનમાં ઠાકુર પ્રિયકાંત ઝૂ મંદિરના સ્થાપક દેવકીનંદન ઠાકુરે કહ્યું, "હું કહું છું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક સનાતનીએ વધુને વધુ બાળકો પેદા કરવા જોઈએ. આ માટે સમયસર લગ્ન કરો અને પાંચ-છ બાળકોને જન્મ આપો". 


દેવકીનંદન ઠાકુરે વધુમાં કહ્યું કે આજ સુધી વસ્તી પર નિયંત્રણ નથી આવ્યું. વસ્તી વિસ્ફોટ કેટલો મોટો થયો છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. 4 બીબી અને 40 બાળકો જેવી બાબતો પર બોલનાર કોઈ નથી. આઝાદી પછી સૌથી મોટો હુમલો સનાતન ધર્મ પર થયો છે.


હિંદુઓ પાસે છે સોનેરી તક


દેવકીનંદને કહ્યું કે, જ્યારે સુધી ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગૂ નથી, ત્યાં સુધી દરેક સનાતની પાસે એક સોનેરી મોકો છે. પણ કાયદો લાગૂ થયા બાદ તે હિસાબે પરિવાર નિયોજન કરો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે,અમે હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, અમુક લોકોને ખુલ્લા સાંઢની માફક છોડી મુકવામાં આવ્યા છે અને આપણને ફક્ત બે બાળકો સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશ ત્યાં સુધી જ સેક્યુલરવાદ છે, જ્યાં સુધી સનાતની બહુસંખ્યક છે. જે દિવસે આપણે અલ્પસંખ્યક થઈ જઈશું, તો આપણી હાલત બદલી જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.