હિંદુઓ સમયસર લગ્ન કરી, પાંચ-છ બાળકો પેદા કરો: ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર


  • Published By :
  • Published Date : 2023-02-20 18:41:25

દેશના જાણીતા ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજે તેમના નિવેદનથી ફરી વિવાદ સર્જ્યો છે.આ વખતે તેઓ વસ્તી નિયંત્રણ કાયદા પર નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક હિંદુએ પાંચથી છ બાળકો પેદા કરવા જોઈએ. દેવકીનંદને સનાતન બોર્ડની રચના કરવાની પણ માંગ કરી છે અને કહ્યું છે કે આ બોર્ડમાં માત્ર ધર્માચાર્યો જ રહેશે. 


સનાતન ધર્મ પર સૌથી મોટો હુમલો


ભાગવત કથાકાર અને વૃંદાવનમાં ઠાકુર પ્રિયકાંત ઝૂ મંદિરના સ્થાપક દેવકીનંદન ઠાકુરે કહ્યું, "હું કહું છું કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણ કાયદો ન આવે ત્યાં સુધી દરેક સનાતનીએ વધુને વધુ બાળકો પેદા કરવા જોઈએ. આ માટે સમયસર લગ્ન કરો અને પાંચ-છ બાળકોને જન્મ આપો". 


દેવકીનંદન ઠાકુરે વધુમાં કહ્યું કે આજ સુધી વસ્તી પર નિયંત્રણ નથી આવ્યું. વસ્તી વિસ્ફોટ કેટલો મોટો થયો છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. 4 બીબી અને 40 બાળકો જેવી બાબતો પર બોલનાર કોઈ નથી. આઝાદી પછી સૌથી મોટો હુમલો સનાતન ધર્મ પર થયો છે.


હિંદુઓ પાસે છે સોનેરી તક


દેવકીનંદને કહ્યું કે, જ્યારે સુધી ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગૂ નથી, ત્યાં સુધી દરેક સનાતની પાસે એક સોનેરી મોકો છે. પણ કાયદો લાગૂ થયા બાદ તે હિસાબે પરિવાર નિયોજન કરો. દેવકીનંદન ઠાકુરે કહ્યું કે,અમે હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, અમુક લોકોને ખુલ્લા સાંઢની માફક છોડી મુકવામાં આવ્યા છે અને આપણને ફક્ત બે બાળકો સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશ ત્યાં સુધી જ સેક્યુલરવાદ છે, જ્યાં સુધી સનાતની બહુસંખ્યક છે. જે દિવસે આપણે અલ્પસંખ્યક થઈ જઈશું, તો આપણી હાલત બદલી જશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.