બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોનો ઘોડાપુર, શક્તિપીઠ Ambajiમાં ઉમટી ભાવિકોની ભીડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-14 13:10:39

નવા વર્ષની શરૂઆત અનેક લોકો ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે. ત્યારે વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. રાજ્યના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, સોમનાથ, ચોટીલા, ડાકોર, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર દર્શનાર્થીઓ દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ત્યારે નવા વર્ષ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા છે.  

નવા વર્ષે ભક્તો પહોંચ્યા દર્શનાર્થે 

દિવાળીના પર્વને લઈ મંદિરોને વિશેષ શણગારવામાં આવે છે. તહેવાર નિમિત્તે મંદિરો રોશનીના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. પર્વને લઈ મંદિરોના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે. દિવાળી તેમજ નવા વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળતી હોય છે. નવા વર્ષની શરૂઆત અનેક ભક્તો ભગવાનના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી કરતા હોય છે. દેવાલયોમાં ભાવિકોનો ભારે ઘસારો તહેવાર વખતે જોવા મળતો હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોની લાઈન જોવા મળતી હોય છે. ભગવાનના આશીષ લઈ અનેક લોકો પોતાના નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો વહેલી સવારથી ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મંદિરોમાં ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે. 

અનેક મંદિરોના સમયમાં કરાયો છે ફેરફાર

તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેસતા વર્ષથી લઈ લાભ પાંચમ સુધી અનેક ભક્તો દર્શનનો લાભ લઈ શકે તે માટે સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં ફેરફાર કરાયેલા સમયની વાત કરીએ તો બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે. પહેલા પોણા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા બાદ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. જે બાદ સાંજે સાડા વાગ્યાથી સાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. આજે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. ન માત્ર શક્તિપીઠ અંબાજીમાં પરંતુ વિવિધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જમાવટના તમામ દર્શકોને પણ નવા વર્ષની શુભેચ્છા.. નવું વર્ષ વીતે સરસ.... 




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .