બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોનો ઘોડાપુર, શક્તિપીઠ Ambajiમાં ઉમટી ભાવિકોની ભીડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-14 13:10:39

નવા વર્ષની શરૂઆત અનેક લોકો ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે. ત્યારે વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. રાજ્યના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, સોમનાથ, ચોટીલા, ડાકોર, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર દર્શનાર્થીઓ દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ત્યારે નવા વર્ષ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા છે.  

નવા વર્ષે ભક્તો પહોંચ્યા દર્શનાર્થે 

દિવાળીના પર્વને લઈ મંદિરોને વિશેષ શણગારવામાં આવે છે. તહેવાર નિમિત્તે મંદિરો રોશનીના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. પર્વને લઈ મંદિરોના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે. દિવાળી તેમજ નવા વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળતી હોય છે. નવા વર્ષની શરૂઆત અનેક ભક્તો ભગવાનના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી કરતા હોય છે. દેવાલયોમાં ભાવિકોનો ભારે ઘસારો તહેવાર વખતે જોવા મળતો હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોની લાઈન જોવા મળતી હોય છે. ભગવાનના આશીષ લઈ અનેક લોકો પોતાના નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો વહેલી સવારથી ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મંદિરોમાં ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે. 

અનેક મંદિરોના સમયમાં કરાયો છે ફેરફાર

તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેસતા વર્ષથી લઈ લાભ પાંચમ સુધી અનેક ભક્તો દર્શનનો લાભ લઈ શકે તે માટે સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં ફેરફાર કરાયેલા સમયની વાત કરીએ તો બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે. પહેલા પોણા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા બાદ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. જે બાદ સાંજે સાડા વાગ્યાથી સાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. આજે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. ન માત્ર શક્તિપીઠ અંબાજીમાં પરંતુ વિવિધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જમાવટના તમામ દર્શકોને પણ નવા વર્ષની શુભેચ્છા.. નવું વર્ષ વીતે સરસ.... 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.