બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોનો ઘોડાપુર, શક્તિપીઠ Ambajiમાં ઉમટી ભાવિકોની ભીડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-14 13:10:39

નવા વર્ષની શરૂઆત અનેક લોકો ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે. ત્યારે વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. રાજ્યના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, સોમનાથ, ચોટીલા, ડાકોર, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર દર્શનાર્થીઓ દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ત્યારે નવા વર્ષ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા છે.  

નવા વર્ષે ભક્તો પહોંચ્યા દર્શનાર્થે 

દિવાળીના પર્વને લઈ મંદિરોને વિશેષ શણગારવામાં આવે છે. તહેવાર નિમિત્તે મંદિરો રોશનીના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. પર્વને લઈ મંદિરોના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે. દિવાળી તેમજ નવા વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળતી હોય છે. નવા વર્ષની શરૂઆત અનેક ભક્તો ભગવાનના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી કરતા હોય છે. દેવાલયોમાં ભાવિકોનો ભારે ઘસારો તહેવાર વખતે જોવા મળતો હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોની લાઈન જોવા મળતી હોય છે. ભગવાનના આશીષ લઈ અનેક લોકો પોતાના નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો વહેલી સવારથી ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મંદિરોમાં ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે. 

અનેક મંદિરોના સમયમાં કરાયો છે ફેરફાર

તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેસતા વર્ષથી લઈ લાભ પાંચમ સુધી અનેક ભક્તો દર્શનનો લાભ લઈ શકે તે માટે સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં ફેરફાર કરાયેલા સમયની વાત કરીએ તો બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે. પહેલા પોણા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા બાદ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. જે બાદ સાંજે સાડા વાગ્યાથી સાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. આજે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. ન માત્ર શક્તિપીઠ અંબાજીમાં પરંતુ વિવિધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જમાવટના તમામ દર્શકોને પણ નવા વર્ષની શુભેચ્છા.. નવું વર્ષ વીતે સરસ.... 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.