Ambajiમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમ્યા, જાણો ભાદરવી પૂનમ મેળાના ઈતિહાસ વિશે


  • Published By :
  • Published Date : 2023-09-29 11:35:06

જ્યાં જ્યાં માતા સતીના અંગ ધરતી પર પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એવું માનવામાં આવે છે ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી દેવસ્થાન પર માતા સતીનું હૃદય પડ્યું હતું. શક્તિપીઠ એમ પણ માઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર હોય છે. પરંતુ પૂનમ તેમજ નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં માનવમહેરામણ જોવા મળતું હોય છે. ભાદરવી પૂનમ નિમિત્તે માઈ ભક્તો અંબાજી મંદિર પહોંચતા હોય છે. અનેક ભક્તો ચાલીને મંદિર પહોંચતા હોય છે. માતાજી પ્રત્યે ભક્તોને અનોખી શ્રદ્ધા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન યોજાતા લોકમેળામાં લાખો ભક્તો આવી ગયા છે. અંદાજીત 40 લાખ ભક્તોએ માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે . ભક્તિમય માહોલ સર્જાયો છે.  

દૂર દૂરથી માતાજીના ભક્તો દર્શન કરવા આવતા હોય છે 

23 સપ્ટેમ્બરથી શક્તિપીઠ અંબાજીમાં લોકમેળાનું આયોજન થતું હોય છે. આ મેળામાં તેમજ ભાદરવી પૂનમે માતાજીના દર્શન કરવા દૂર દૂરથી માઈ ભક્તો આવતા હોય છે. શક્તિપીઠ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ છે. એવી માન્યતા પણ છે કે નવરાત્રી દરમિયાન માતાજી ભક્તના ઘરે પધારે તે માટે ભક્તો તેમને આમંત્રણ આપવા જાય છે. નવરાત્રી દરમિયાન ભક્તના ઘરે માતા પધારે તેવો ભાવ ભક્તોમાં હોય છે. એ એવી પણ માન્યતા છે કે આ દિવસે માતા સતીનું હૃદય અંબાજી સ્થાનક પર પડ્યું હતું. જેને કારણે આ દિવસનું મહત્વ વધી ગયું. આસ્થા સાથે માઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે.


શું છે શક્તિપીઠોનો ઈતિહાસ? 

અંબાજી મંદિરના ઈતિહાસની વાત કરીએ તો દક્ષપ્રજાપતિ એટલે કે દેવી સતીના પિતાએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં તેમણે પોતાની દીકરી સતી અને જમાઈ ભગવાન શંકરને આમંત્રિત કર્યા ન હતા. મહાદેવે સતીને યજ્ઞમાં જવાની ના પાડી પરંતુ તે ગયા હતા. યજ્ઞ દરમિયાન દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કર્યું હતું. તે દેવી સતી સહન કરી શક્યા ન હતા. તેમણે પોતાનો દેહનો ત્યાગ કર્યો. મહાદેવજી સતીના મૃતદેહને લઈ ભટકવા લાગ્યા. ત્યારે ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટૂકડા કર્યા. જે જે જગ્યા પર સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એ જગ્યાને આપણે શક્તિપીઠ તરીકે જાણીએ છીએ,    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી