Ambajiમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમ્યા, જાણો ભાદરવી પૂનમ મેળાના ઈતિહાસ વિશે


  • Published By :
  • Published Date : 2023-09-29 11:35:06

જ્યાં જ્યાં માતા સતીના અંગ ધરતી પર પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એવું માનવામાં આવે છે ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી દેવસ્થાન પર માતા સતીનું હૃદય પડ્યું હતું. શક્તિપીઠ એમ પણ માઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર હોય છે. પરંતુ પૂનમ તેમજ નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં માનવમહેરામણ જોવા મળતું હોય છે. ભાદરવી પૂનમ નિમિત્તે માઈ ભક્તો અંબાજી મંદિર પહોંચતા હોય છે. અનેક ભક્તો ચાલીને મંદિર પહોંચતા હોય છે. માતાજી પ્રત્યે ભક્તોને અનોખી શ્રદ્ધા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન યોજાતા લોકમેળામાં લાખો ભક્તો આવી ગયા છે. અંદાજીત 40 લાખ ભક્તોએ માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે . ભક્તિમય માહોલ સર્જાયો છે.  

દૂર દૂરથી માતાજીના ભક્તો દર્શન કરવા આવતા હોય છે 

23 સપ્ટેમ્બરથી શક્તિપીઠ અંબાજીમાં લોકમેળાનું આયોજન થતું હોય છે. આ મેળામાં તેમજ ભાદરવી પૂનમે માતાજીના દર્શન કરવા દૂર દૂરથી માઈ ભક્તો આવતા હોય છે. શક્તિપીઠ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ છે. એવી માન્યતા પણ છે કે નવરાત્રી દરમિયાન માતાજી ભક્તના ઘરે પધારે તે માટે ભક્તો તેમને આમંત્રણ આપવા જાય છે. નવરાત્રી દરમિયાન ભક્તના ઘરે માતા પધારે તેવો ભાવ ભક્તોમાં હોય છે. એ એવી પણ માન્યતા છે કે આ દિવસે માતા સતીનું હૃદય અંબાજી સ્થાનક પર પડ્યું હતું. જેને કારણે આ દિવસનું મહત્વ વધી ગયું. આસ્થા સાથે માઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે.


શું છે શક્તિપીઠોનો ઈતિહાસ? 

અંબાજી મંદિરના ઈતિહાસની વાત કરીએ તો દક્ષપ્રજાપતિ એટલે કે દેવી સતીના પિતાએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં તેમણે પોતાની દીકરી સતી અને જમાઈ ભગવાન શંકરને આમંત્રિત કર્યા ન હતા. મહાદેવે સતીને યજ્ઞમાં જવાની ના પાડી પરંતુ તે ગયા હતા. યજ્ઞ દરમિયાન દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કર્યું હતું. તે દેવી સતી સહન કરી શક્યા ન હતા. તેમણે પોતાનો દેહનો ત્યાગ કર્યો. મહાદેવજી સતીના મૃતદેહને લઈ ભટકવા લાગ્યા. ત્યારે ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટૂકડા કર્યા. જે જે જગ્યા પર સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એ જગ્યાને આપણે શક્તિપીઠ તરીકે જાણીએ છીએ,    




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.