યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમામાં ઉમટ્યા માઈભક્તો, દર્શન કરી અનુભવી ધન્યતા


  • Published By :
  • Published Date : 2023-02-15 13:32:11

આપણે ત્યાં શક્તિપીઠને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પૌરાણીક કથા અનુસાર જ્યાં જ્યાં માતા સતીના દેહના અંગ પડ્યા હતા તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. વિશ્વભરમાં આવેલા શક્તિપીઠોમાંથી અંબાજી ખાતે આવેલા શક્તિપીઠને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું.  આ સ્થાનનું મહત્વ એટલે વધી પણ જાય છે. ત્યારે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. ત્રણ દિવસમાં અંદાજીત 1,65,500 જેટલા માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે. પરિક્રમાને વધુ એક દિવસ લંબાવામાં આવી છે. 

ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી

અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઈ  

ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 ફેબ્રુઆરી સુધી ચાલતા આ મહોત્સવમાં માઈ ભક્તો ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની જ્યોત ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી અને પરિક્રમા માર્ગ પરના તમામ શક્તિપીઠોની જ્યોત પ્રગટાવવામાં આવી. માઈભક્તોનો ઉત્સાહ જોતા આ પરિક્રમા વધુ એક દિવસ લંબાવામાં આવી છે. પરિક્રમા જે પાંચ દિવસ ચાલવાની હતી તે હવે 6 દિવસ ચાલવાની છે.  


લાખો માઈભક્તોએ લીધો પરિક્રમાનો લાભ

અંબાજી શક્તિપીઠને મહત્વનું શક્તિપીઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું. આ જગ્યાનું પહેલેથી જ વિશેષ સ્થાન હતું પરંતુ માઈ ભક્તો એક જ જગ્યા પર શક્તિપીઠોના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે  51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 તારીખ સુધી ચાલનારા આ મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિઓની પ્રક્ષાલન વિધી, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે.         




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.