યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમામાં ઉમટ્યા માઈભક્તો, દર્શન કરી અનુભવી ધન્યતા


  • Published By :
  • Published Date : 2023-02-15 13:32:11

આપણે ત્યાં શક્તિપીઠને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પૌરાણીક કથા અનુસાર જ્યાં જ્યાં માતા સતીના દેહના અંગ પડ્યા હતા તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. વિશ્વભરમાં આવેલા શક્તિપીઠોમાંથી અંબાજી ખાતે આવેલા શક્તિપીઠને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું.  આ સ્થાનનું મહત્વ એટલે વધી પણ જાય છે. ત્યારે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. ત્રણ દિવસમાં અંદાજીત 1,65,500 જેટલા માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે. પરિક્રમાને વધુ એક દિવસ લંબાવામાં આવી છે. 

ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી

અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઈ  

ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 ફેબ્રુઆરી સુધી ચાલતા આ મહોત્સવમાં માઈ ભક્તો ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની જ્યોત ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી અને પરિક્રમા માર્ગ પરના તમામ શક્તિપીઠોની જ્યોત પ્રગટાવવામાં આવી. માઈભક્તોનો ઉત્સાહ જોતા આ પરિક્રમા વધુ એક દિવસ લંબાવામાં આવી છે. પરિક્રમા જે પાંચ દિવસ ચાલવાની હતી તે હવે 6 દિવસ ચાલવાની છે.  


લાખો માઈભક્તોએ લીધો પરિક્રમાનો લાભ

અંબાજી શક્તિપીઠને મહત્વનું શક્તિપીઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું. આ જગ્યાનું પહેલેથી જ વિશેષ સ્થાન હતું પરંતુ માઈ ભક્તો એક જ જગ્યા પર શક્તિપીઠોના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે  51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 તારીખ સુધી ચાલનારા આ મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિઓની પ્રક્ષાલન વિધી, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે.         




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.