ઈન્ડિગોના પાયલટ અને કો-પાઈલટ સામે DGCAની કડક કાર્યવાહી, 3 મહિના માટે લાયસન્સ રદ્દ, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-26 22:12:56

એવિએશન રેગ્યુલેટરી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઈન્ડિગો એરલાઈન્સનું પાઈલટનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે રદ કર્યું છે. 15મી જૂને ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડિંગ કરતી વખતે ટેઈલ સ્ટ્રાઈકનો ભોગ બની હતી. જો એરક્રાફ્ટનો પાછળનો ભાગ ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાય તો તેને ટેલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પછી ઈન્ડિગોએ પણ આ મામલે તપાસના આદેશ જારી કર્યા હતા.


DGCAએ શું કાર્યવાહી કરી?


અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે ટકરાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ DGCAએ પાઈલટ અને કો-પાઈલટને ડી-રોસ્ટર કરવાના આદેશો જારી કર્યા હતા. અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાયલોટના પ્લેન ઉડાડવા પર રોક લગાવી દેવાનો આદેશ આપ્યો હતો.  DGCA દ્વારા ઈન્ડીગોના એક કેપ્ટનનું લાયસન્સ 3 મહિના માટે જ્યારે સહ-પાયલટનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનો રિપોર્ટ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 


શું હતી સમગ્ર ઘટના?


બેંગ્લોરથી ઓપરેટ થતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595ને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. જો કે, વિગતવાર આકારણી અને સમારકામ માટે તેને અમદાવાદમાં ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી. આ પછી, ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ અંગે વિગતવાર તપાસના આદેશ જારી કર્યા હતા.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે