ઈન્ડિગોના પાયલટ અને કો-પાઈલટ સામે DGCAની કડક કાર્યવાહી, 3 મહિના માટે લાયસન્સ રદ્દ, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-26 22:12:56

એવિએશન રેગ્યુલેટરી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઈન્ડિગો એરલાઈન્સનું પાઈલટનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે રદ કર્યું છે. 15મી જૂને ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડિંગ કરતી વખતે ટેઈલ સ્ટ્રાઈકનો ભોગ બની હતી. જો એરક્રાફ્ટનો પાછળનો ભાગ ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાય તો તેને ટેલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પછી ઈન્ડિગોએ પણ આ મામલે તપાસના આદેશ જારી કર્યા હતા.


DGCAએ શું કાર્યવાહી કરી?


અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે ટકરાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ DGCAએ પાઈલટ અને કો-પાઈલટને ડી-રોસ્ટર કરવાના આદેશો જારી કર્યા હતા. અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાયલોટના પ્લેન ઉડાડવા પર રોક લગાવી દેવાનો આદેશ આપ્યો હતો.  DGCA દ્વારા ઈન્ડીગોના એક કેપ્ટનનું લાયસન્સ 3 મહિના માટે જ્યારે સહ-પાયલટનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનો રિપોર્ટ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 


શું હતી સમગ્ર ઘટના?


બેંગ્લોરથી ઓપરેટ થતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595ને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. જો કે, વિગતવાર આકારણી અને સમારકામ માટે તેને અમદાવાદમાં ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી. આ પછી, ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ અંગે વિગતવાર તપાસના આદેશ જારી કર્યા હતા.    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.