ઈન્ડિગોના પાયલટ અને કો-પાઈલટ સામે DGCAની કડક કાર્યવાહી, 3 મહિના માટે લાયસન્સ રદ્દ, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-26 22:12:56

એવિએશન રેગ્યુલેટરી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઈન્ડિગો એરલાઈન્સનું પાઈલટનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે રદ કર્યું છે. 15મી જૂને ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડિંગ કરતી વખતે ટેઈલ સ્ટ્રાઈકનો ભોગ બની હતી. જો એરક્રાફ્ટનો પાછળનો ભાગ ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાય તો તેને ટેલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પછી ઈન્ડિગોએ પણ આ મામલે તપાસના આદેશ જારી કર્યા હતા.


DGCAએ શું કાર્યવાહી કરી?


અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે ટકરાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ DGCAએ પાઈલટ અને કો-પાઈલટને ડી-રોસ્ટર કરવાના આદેશો જારી કર્યા હતા. અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાયલોટના પ્લેન ઉડાડવા પર રોક લગાવી દેવાનો આદેશ આપ્યો હતો.  DGCA દ્વારા ઈન્ડીગોના એક કેપ્ટનનું લાયસન્સ 3 મહિના માટે જ્યારે સહ-પાયલટનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનો રિપોર્ટ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 


શું હતી સમગ્ર ઘટના?


બેંગ્લોરથી ઓપરેટ થતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595ને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. જો કે, વિગતવાર આકારણી અને સમારકામ માટે તેને અમદાવાદમાં ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી. આ પછી, ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ અંગે વિગતવાર તપાસના આદેશ જારી કર્યા હતા.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.