ઈન્ડિગોના પાયલટ અને કો-પાઈલટ સામે DGCAની કડક કાર્યવાહી, 3 મહિના માટે લાયસન્સ રદ્દ, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-26 22:12:56

એવિએશન રેગ્યુલેટરી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઈન્ડિગો એરલાઈન્સનું પાઈલટનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે રદ કર્યું છે. 15મી જૂને ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડિંગ કરતી વખતે ટેઈલ સ્ટ્રાઈકનો ભોગ બની હતી. જો એરક્રાફ્ટનો પાછળનો ભાગ ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાય તો તેને ટેલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પછી ઈન્ડિગોએ પણ આ મામલે તપાસના આદેશ જારી કર્યા હતા.


DGCAએ શું કાર્યવાહી કરી?


અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે ટકરાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ DGCAએ પાઈલટ અને કો-પાઈલટને ડી-રોસ્ટર કરવાના આદેશો જારી કર્યા હતા. અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાયલોટના પ્લેન ઉડાડવા પર રોક લગાવી દેવાનો આદેશ આપ્યો હતો.  DGCA દ્વારા ઈન્ડીગોના એક કેપ્ટનનું લાયસન્સ 3 મહિના માટે જ્યારે સહ-પાયલટનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનો રિપોર્ટ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 


શું હતી સમગ્ર ઘટના?


બેંગ્લોરથી ઓપરેટ થતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595ને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. જો કે, વિગતવાર આકારણી અને સમારકામ માટે તેને અમદાવાદમાં ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી. આ પછી, ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ અંગે વિગતવાર તપાસના આદેશ જારી કર્યા હતા.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે