IAS-IPS અધિકારીઓના સોશિયલ એકાઉન્ટ હેક થતાં DGPએ બહાર પાડી એડવાઈઝરી, જાણો અધિકારીઓને શું અપાઈ સૂચના?


  • Published By :
  • Published Date : 2023-09-14 10:53:55

સોશિયલ મીડિયાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દુનિયા સાથે જોડાતા હોય છે. આપણે અનેક વખત જોયું છે કે એક સોશિયલ પોસ્ટને કારણે હિંસા ભડકી ઉઠતી હોય છે. સોશિયલ મીડિયા પોસ્ટને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. અનેક આઈપીએસ તેમજ આઈએએસના ફેક અકાઉન્ટ બન્યા હોવાની ઘટના સામે આવતી હોય છે. 



અધિકારીઓના ગઠિયાઓ બનાવે છે ફેક અકાઉન્ટ 

ઈન્ટરનેટનો ઉપયોગ સારી રીતે પણ થઈ શકે છે અને ખરાબ  રીતે પણ થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક મોટી હસ્તીઓના ફેક અકાઉન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એક જ સરખા નામનું અકાઉન્ટ હોવાને કારણે સોશિયલ મીડિયા વાપરી રહેલા લોકોને ખબર ન હોય કે આ પોસ્ટ ફેક આઈડીથી કરવામાં આવી છે કે ઓરિજિનલ આઈડીથી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર આવા ફેક એકાઉન્ટ બનવાને કારણે ઈમેજ પર ખરાબ અસર પડે છે. 



આઈપીએસ હસુમખ પટેલનું બનાવાયું હતું ફેક એકાઉન્ટ 

અનેક આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીઓના ફેક અકાઉન્ટ બની રહ્યા છે. આ વાતની ગંભીરતાથી નોંધ લેવામાં આવતા આઈએએસ તેમજ આઈપીએસ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આદેશ મુજબ આઈએએસ તેમજ આઈપીએસ સોશિયલ મીડિયામાં પોતાના અકાઉન્ટમાં બ્લૂ ટિક મેળવી લેવી. ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલ, નિવૃત્ત એસીએસ રાજીવ ગુપ્તા સહિત અનેક અધિકારીના ફેક એકાઉન્ટ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. 


IPS-IAS માટે ગાઈડલાઈન્સ કરાઈ જાહેર 

ઓફિસરોના ફેક અકાઉન્ટ બનાવી તેનો દુરૂપયોગ થઈ રહ્યો હોય તેવી માહિતી મળતી ડીજીપી એક્શન મોડમાં આવી ગયા છે. ડીજીપી ડો. શમશેર સિંહે એક એડવાઈઝરી બહાર પાડીને સૂચન કર્યું છે કે જો એકાઉન્ટ કે પ્રોફાઈલ વેરીફાઈ કે બ્લૂ ટીક વાળી હશે તો પ્રોફાઈલ વેરિફિકેશન જલ્દી થશે. સોશિયલ મીડિયામાં જો અધિકારી એકાઉન્ટ ધરાવે છે તો તેમના એકાઉન્ટમાં વેરિફાઈ કરાવીને બ્લુ ટીક મેળવી લે. તે ઉપરાંત પ્રોફાઈલ એકાઉન્ટ લોક રાખવા માટે પણ ભલામણ કરવામાં આવી  છે. તે ઉપરાંત સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા તેમજ સમય સમયે તે બદલવા જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવી છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.