IAS-IPS અધિકારીઓના સોશિયલ એકાઉન્ટ હેક થતાં DGPએ બહાર પાડી એડવાઈઝરી, જાણો અધિકારીઓને શું અપાઈ સૂચના?


  • Published By :
  • Published Date : 2023-09-14 10:53:55

સોશિયલ મીડિયાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દુનિયા સાથે જોડાતા હોય છે. આપણે અનેક વખત જોયું છે કે એક સોશિયલ પોસ્ટને કારણે હિંસા ભડકી ઉઠતી હોય છે. સોશિયલ મીડિયા પોસ્ટને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. અનેક આઈપીએસ તેમજ આઈએએસના ફેક અકાઉન્ટ બન્યા હોવાની ઘટના સામે આવતી હોય છે. 



અધિકારીઓના ગઠિયાઓ બનાવે છે ફેક અકાઉન્ટ 

ઈન્ટરનેટનો ઉપયોગ સારી રીતે પણ થઈ શકે છે અને ખરાબ  રીતે પણ થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક મોટી હસ્તીઓના ફેક અકાઉન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એક જ સરખા નામનું અકાઉન્ટ હોવાને કારણે સોશિયલ મીડિયા વાપરી રહેલા લોકોને ખબર ન હોય કે આ પોસ્ટ ફેક આઈડીથી કરવામાં આવી છે કે ઓરિજિનલ આઈડીથી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર આવા ફેક એકાઉન્ટ બનવાને કારણે ઈમેજ પર ખરાબ અસર પડે છે. 



આઈપીએસ હસુમખ પટેલનું બનાવાયું હતું ફેક એકાઉન્ટ 

અનેક આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીઓના ફેક અકાઉન્ટ બની રહ્યા છે. આ વાતની ગંભીરતાથી નોંધ લેવામાં આવતા આઈએએસ તેમજ આઈપીએસ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આદેશ મુજબ આઈએએસ તેમજ આઈપીએસ સોશિયલ મીડિયામાં પોતાના અકાઉન્ટમાં બ્લૂ ટિક મેળવી લેવી. ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલ, નિવૃત્ત એસીએસ રાજીવ ગુપ્તા સહિત અનેક અધિકારીના ફેક એકાઉન્ટ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. 


IPS-IAS માટે ગાઈડલાઈન્સ કરાઈ જાહેર 

ઓફિસરોના ફેક અકાઉન્ટ બનાવી તેનો દુરૂપયોગ થઈ રહ્યો હોય તેવી માહિતી મળતી ડીજીપી એક્શન મોડમાં આવી ગયા છે. ડીજીપી ડો. શમશેર સિંહે એક એડવાઈઝરી બહાર પાડીને સૂચન કર્યું છે કે જો એકાઉન્ટ કે પ્રોફાઈલ વેરીફાઈ કે બ્લૂ ટીક વાળી હશે તો પ્રોફાઈલ વેરિફિકેશન જલ્દી થશે. સોશિયલ મીડિયામાં જો અધિકારી એકાઉન્ટ ધરાવે છે તો તેમના એકાઉન્ટમાં વેરિફાઈ કરાવીને બ્લુ ટીક મેળવી લે. તે ઉપરાંત પ્રોફાઈલ એકાઉન્ટ લોક રાખવા માટે પણ ભલામણ કરવામાં આવી  છે. તે ઉપરાંત સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા તેમજ સમય સમયે તે બદલવા જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવી છે.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.