IAS-IPS અધિકારીઓના સોશિયલ એકાઉન્ટ હેક થતાં DGPએ બહાર પાડી એડવાઈઝરી, જાણો અધિકારીઓને શું અપાઈ સૂચના?


  • Published By :
  • Published Date : 2023-09-14 10:53:55

સોશિયલ મીડિયાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દુનિયા સાથે જોડાતા હોય છે. આપણે અનેક વખત જોયું છે કે એક સોશિયલ પોસ્ટને કારણે હિંસા ભડકી ઉઠતી હોય છે. સોશિયલ મીડિયા પોસ્ટને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. અનેક આઈપીએસ તેમજ આઈએએસના ફેક અકાઉન્ટ બન્યા હોવાની ઘટના સામે આવતી હોય છે. 



અધિકારીઓના ગઠિયાઓ બનાવે છે ફેક અકાઉન્ટ 

ઈન્ટરનેટનો ઉપયોગ સારી રીતે પણ થઈ શકે છે અને ખરાબ  રીતે પણ થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક મોટી હસ્તીઓના ફેક અકાઉન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એક જ સરખા નામનું અકાઉન્ટ હોવાને કારણે સોશિયલ મીડિયા વાપરી રહેલા લોકોને ખબર ન હોય કે આ પોસ્ટ ફેક આઈડીથી કરવામાં આવી છે કે ઓરિજિનલ આઈડીથી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર આવા ફેક એકાઉન્ટ બનવાને કારણે ઈમેજ પર ખરાબ અસર પડે છે. 



આઈપીએસ હસુમખ પટેલનું બનાવાયું હતું ફેક એકાઉન્ટ 

અનેક આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીઓના ફેક અકાઉન્ટ બની રહ્યા છે. આ વાતની ગંભીરતાથી નોંધ લેવામાં આવતા આઈએએસ તેમજ આઈપીએસ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આદેશ મુજબ આઈએએસ તેમજ આઈપીએસ સોશિયલ મીડિયામાં પોતાના અકાઉન્ટમાં બ્લૂ ટિક મેળવી લેવી. ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલ, નિવૃત્ત એસીએસ રાજીવ ગુપ્તા સહિત અનેક અધિકારીના ફેક એકાઉન્ટ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. 


IPS-IAS માટે ગાઈડલાઈન્સ કરાઈ જાહેર 

ઓફિસરોના ફેક અકાઉન્ટ બનાવી તેનો દુરૂપયોગ થઈ રહ્યો હોય તેવી માહિતી મળતી ડીજીપી એક્શન મોડમાં આવી ગયા છે. ડીજીપી ડો. શમશેર સિંહે એક એડવાઈઝરી બહાર પાડીને સૂચન કર્યું છે કે જો એકાઉન્ટ કે પ્રોફાઈલ વેરીફાઈ કે બ્લૂ ટીક વાળી હશે તો પ્રોફાઈલ વેરિફિકેશન જલ્દી થશે. સોશિયલ મીડિયામાં જો અધિકારી એકાઉન્ટ ધરાવે છે તો તેમના એકાઉન્ટમાં વેરિફાઈ કરાવીને બ્લુ ટીક મેળવી લે. તે ઉપરાંત પ્રોફાઈલ એકાઉન્ટ લોક રાખવા માટે પણ ભલામણ કરવામાં આવી  છે. તે ઉપરાંત સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા તેમજ સમય સમયે તે બદલવા જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવી છે.       



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી