DGP Vikas Sahayના આદેશ મુજબ Police કર્મીઓએ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવું પડશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 12:33:25

આપણી સામે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા દાદાગીરી કરતા દેખાતા હોય છે. સામાન્ય નાગરિકો પર રોફ બતાવતા દેખાય છે. અનેક એવા વાહનો પણ આપણે જોતા હોઈએ છીએ જેમાં પોલીસની પ્લેટ દેખાતી હોય છે. ત્યારે હવે પોલીસોને પણ અનેક નિયમોનું પાલન કરવું પડશે. અનેક વખત પોલીસને ખુદને નિયમો તોડતા જોયા છે. ત્યારે આપણા મનમાં સવાલ થતો હોય છે કે શા માટે સામાન્ય નાગરિકોએ જ નિયમોનું પાલન કરવું પડે છે, જો કોઈ નિયમનો ભંગ થાય છે તો શા માટે માત્ર સામાન્ય માણસને દંડ ભરવો પડે છે, વગેરે વગેરે....પરંતુ હવેથી પોલીસકર્મીઓએ પણ દરેક નિયમોનું પાલન કરવું પડશે. પોલીસ વડા વિકાસ સહાય એક્ટિવ મોડમાં આવ્યા છે અને પોલીસકર્મીઓ માટે અનેક નિયમો બનાવ્યા છે.    

પોલીસ વિરૂદ્ધ પોલીસ કરશે કાર્યવાહી! 

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં  કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરી જાય. પછી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવા પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસવાળાને નિયમોનું કરવું પડશે પાલન 

પરિપત્રમાં એ પણ  ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબિ ખરાબ થતી હોય છે. પોલીસના ટ્રાફિકના નિયમો માટેના આ વલણને કારણે વાહનચાલકો પણ બેફામ બન્યા છે 


સોશિયલ મીડિયા પર પોલીસ નહીં પોસ્ટ કરી શકે યુનિફોર્મમાં બનાવેલી રિલ 

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ લખેલી અથવા તો પી લખેલી પ્લેટ વાહનો પર નહીં રાખી શકાય. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે પરિવારનો એક જ સભ્ય પોલીસમાં હોય છે પરંતુ ઘરના દરેક વાહનો પર પોલીસ લખેલું જોવા મળતું હોય છે. અનેક વખત એવું બને છે કે પોતાના કામ કઢાવવા માટે પોલીસ ગાડી ઉપર લખવામાં આવતું હોય છે. ત્યારે હવે પોલીસવડાના આદેશ બાદ પોલીસ પોતાના વાહન પર પોલીસ નહીં લખાવી શકે. તે ઉપરાંત પોલીસ યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવી શકે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.