DGP Vikas Sahayના આદેશ મુજબ Police કર્મીઓએ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવું પડશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 12:33:25

આપણી સામે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા દાદાગીરી કરતા દેખાતા હોય છે. સામાન્ય નાગરિકો પર રોફ બતાવતા દેખાય છે. અનેક એવા વાહનો પણ આપણે જોતા હોઈએ છીએ જેમાં પોલીસની પ્લેટ દેખાતી હોય છે. ત્યારે હવે પોલીસોને પણ અનેક નિયમોનું પાલન કરવું પડશે. અનેક વખત પોલીસને ખુદને નિયમો તોડતા જોયા છે. ત્યારે આપણા મનમાં સવાલ થતો હોય છે કે શા માટે સામાન્ય નાગરિકોએ જ નિયમોનું પાલન કરવું પડે છે, જો કોઈ નિયમનો ભંગ થાય છે તો શા માટે માત્ર સામાન્ય માણસને દંડ ભરવો પડે છે, વગેરે વગેરે....પરંતુ હવેથી પોલીસકર્મીઓએ પણ દરેક નિયમોનું પાલન કરવું પડશે. પોલીસ વડા વિકાસ સહાય એક્ટિવ મોડમાં આવ્યા છે અને પોલીસકર્મીઓ માટે અનેક નિયમો બનાવ્યા છે.    

પોલીસ વિરૂદ્ધ પોલીસ કરશે કાર્યવાહી! 

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં  કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરી જાય. પછી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવા પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસવાળાને નિયમોનું કરવું પડશે પાલન 

પરિપત્રમાં એ પણ  ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબિ ખરાબ થતી હોય છે. પોલીસના ટ્રાફિકના નિયમો માટેના આ વલણને કારણે વાહનચાલકો પણ બેફામ બન્યા છે 


સોશિયલ મીડિયા પર પોલીસ નહીં પોસ્ટ કરી શકે યુનિફોર્મમાં બનાવેલી રિલ 

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ લખેલી અથવા તો પી લખેલી પ્લેટ વાહનો પર નહીં રાખી શકાય. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે પરિવારનો એક જ સભ્ય પોલીસમાં હોય છે પરંતુ ઘરના દરેક વાહનો પર પોલીસ લખેલું જોવા મળતું હોય છે. અનેક વખત એવું બને છે કે પોતાના કામ કઢાવવા માટે પોલીસ ગાડી ઉપર લખવામાં આવતું હોય છે. ત્યારે હવે પોલીસવડાના આદેશ બાદ પોલીસ પોતાના વાહન પર પોલીસ નહીં લખાવી શકે. તે ઉપરાંત પોલીસ યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવી શકે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.