DGP Vikas Sahayના આદેશ મુજબ Police કર્મીઓએ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવું પડશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 12:33:25

આપણી સામે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા દાદાગીરી કરતા દેખાતા હોય છે. સામાન્ય નાગરિકો પર રોફ બતાવતા દેખાય છે. અનેક એવા વાહનો પણ આપણે જોતા હોઈએ છીએ જેમાં પોલીસની પ્લેટ દેખાતી હોય છે. ત્યારે હવે પોલીસોને પણ અનેક નિયમોનું પાલન કરવું પડશે. અનેક વખત પોલીસને ખુદને નિયમો તોડતા જોયા છે. ત્યારે આપણા મનમાં સવાલ થતો હોય છે કે શા માટે સામાન્ય નાગરિકોએ જ નિયમોનું પાલન કરવું પડે છે, જો કોઈ નિયમનો ભંગ થાય છે તો શા માટે માત્ર સામાન્ય માણસને દંડ ભરવો પડે છે, વગેરે વગેરે....પરંતુ હવેથી પોલીસકર્મીઓએ પણ દરેક નિયમોનું પાલન કરવું પડશે. પોલીસ વડા વિકાસ સહાય એક્ટિવ મોડમાં આવ્યા છે અને પોલીસકર્મીઓ માટે અનેક નિયમો બનાવ્યા છે.    

પોલીસ વિરૂદ્ધ પોલીસ કરશે કાર્યવાહી! 

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં  કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરી જાય. પછી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવા પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસવાળાને નિયમોનું કરવું પડશે પાલન 

પરિપત્રમાં એ પણ  ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબિ ખરાબ થતી હોય છે. પોલીસના ટ્રાફિકના નિયમો માટેના આ વલણને કારણે વાહનચાલકો પણ બેફામ બન્યા છે 


સોશિયલ મીડિયા પર પોલીસ નહીં પોસ્ટ કરી શકે યુનિફોર્મમાં બનાવેલી રિલ 

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ લખેલી અથવા તો પી લખેલી પ્લેટ વાહનો પર નહીં રાખી શકાય. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે પરિવારનો એક જ સભ્ય પોલીસમાં હોય છે પરંતુ ઘરના દરેક વાહનો પર પોલીસ લખેલું જોવા મળતું હોય છે. અનેક વખત એવું બને છે કે પોતાના કામ કઢાવવા માટે પોલીસ ગાડી ઉપર લખવામાં આવતું હોય છે. ત્યારે હવે પોલીસવડાના આદેશ બાદ પોલીસ પોતાના વાહન પર પોલીસ નહીં લખાવી શકે. તે ઉપરાંત પોલીસ યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવી શકે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.