ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ બન્યા ધનરાજ નથવાણી


  • Published By :
  • Published Date : 2022-11-19 19:19:34

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિમણૂક કરવામાં આવી છે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભાની બેઠક થઈ હતી. આ બેઠકમાં BCCIના પ્રેસિડેન્ટ જય શાહ, ધનરાજ નથવાણી સહિતના ક્રિકેટને લગતા અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ધનરાજ નથવાણી વર્ષ 2025 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે. આજની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા પધાધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. 

Image

શું છે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન 

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એ ગુજરાત રાજ્યમાં ક્રિકેટના વિકાસ અને સંગઠન માટે 10 જિલ્લાઓ અને એક કેન્દ્રશાસિત પ્રદેશની એક પાંખ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ (બુલસર), ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું કાયમી સભ્ય છે.


આ ગ્રાઉન્ડ GCA હેઠળ આવે છે

અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સુરતનું સીબી પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડયમ, વાપીનું બિલાખિયા સ્ટેડિયમ, સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટ્રર સ્ટેડિમ અને વલસાડનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંતર્ગત આવે છે. ઉપરના બધા ગ્રાઉન્ડના મેનેજમેન્ટની જવાબદારી અને રણજી ટ્રોફીમાં રમાતા મેચની જવાબદારી જીસીએની રહેતી હોય છે. ધનરાજ નથવાણી અગાઉ જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ હતા. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.