ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ બન્યા ધનરાજ નથવાણી


  • Published By :
  • Published Date : 2022-11-19 19:19:34

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિમણૂક કરવામાં આવી છે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભાની બેઠક થઈ હતી. આ બેઠકમાં BCCIના પ્રેસિડેન્ટ જય શાહ, ધનરાજ નથવાણી સહિતના ક્રિકેટને લગતા અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ધનરાજ નથવાણી વર્ષ 2025 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે. આજની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા પધાધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. 

Image

શું છે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન 

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એ ગુજરાત રાજ્યમાં ક્રિકેટના વિકાસ અને સંગઠન માટે 10 જિલ્લાઓ અને એક કેન્દ્રશાસિત પ્રદેશની એક પાંખ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ (બુલસર), ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું કાયમી સભ્ય છે.


આ ગ્રાઉન્ડ GCA હેઠળ આવે છે

અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સુરતનું સીબી પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડયમ, વાપીનું બિલાખિયા સ્ટેડિયમ, સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટ્રર સ્ટેડિમ અને વલસાડનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંતર્ગત આવે છે. ઉપરના બધા ગ્રાઉન્ડના મેનેજમેન્ટની જવાબદારી અને રણજી ટ્રોફીમાં રમાતા મેચની જવાબદારી જીસીએની રહેતી હોય છે. ધનરાજ નથવાણી અગાઉ જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ હતા. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.