ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ બન્યા ધનરાજ નથવાણી


  • Published By :
  • Published Date : 2022-11-19 19:19:34

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિમણૂક કરવામાં આવી છે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભાની બેઠક થઈ હતી. આ બેઠકમાં BCCIના પ્રેસિડેન્ટ જય શાહ, ધનરાજ નથવાણી સહિતના ક્રિકેટને લગતા અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ધનરાજ નથવાણી વર્ષ 2025 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે. આજની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા પધાધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી. 

Image

શું છે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન 

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એ ગુજરાત રાજ્યમાં ક્રિકેટના વિકાસ અને સંગઠન માટે 10 જિલ્લાઓ અને એક કેન્દ્રશાસિત પ્રદેશની એક પાંખ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ (બુલસર), ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું કાયમી સભ્ય છે.


આ ગ્રાઉન્ડ GCA હેઠળ આવે છે

અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સુરતનું સીબી પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડયમ, વાપીનું બિલાખિયા સ્ટેડિયમ, સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટ્રર સ્ટેડિમ અને વલસાડનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંતર્ગત આવે છે. ઉપરના બધા ગ્રાઉન્ડના મેનેજમેન્ટની જવાબદારી અને રણજી ટ્રોફીમાં રમાતા મેચની જવાબદારી જીસીએની રહેતી હોય છે. ધનરાજ નથવાણી અગાઉ જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ હતા. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.