ધનતેરસ પર બુલિયન માર્કેટમાં થઈ ધનવર્ષા, 30 હજાર કરોડના સોનું અને ચાંદીનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-11-10 17:02:02

આજે દેશભરમાં ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિલ્હીમાં દુકાનો સામાન્ય દિવસોમાં 11-12 વાગ્યે ખુલતી હતી તે આજે 8 વાગ્યે જ ખુલી હતી. તહેવારનો ઉત્સાહ જુઓ, વરસાદ હોવા છતાં સવારથી જ ગ્રાહકોનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ આજે સમગ્ર દેશમાં રૂ. 50 હજાર કરોડથી વધુનો વેપાર થયો હતો. 30 હજાર કરોડનો વેપાર માત્ર સોના-ચાંદીમાં જ થયો હતો.


ગયા વર્ષની સરખામણીએ દોઢ ગણાથી વધુનું વેચાણ 


દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ વિમલ ગોયલનું કહેવું છે કે બુલિયન માર્કેટમાં સવારથી જ ભારે ભીડ છે. સવારથી જ ગ્રાહકો તૂટી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે દોઢ ગણા વધુ ગ્રાહકો છે. તેથી વેચાણ પણ જબરદસ્ત બની રહ્યું છે. તેમના મતે, સામાન્ય દિવસોમાં બુલિયન માર્કેટ સાંજે સાત વાગ્યે બંધ થાય છે. પરંતુ આજે મધરાત સુધી કામકાજ થશે.


50 હજાર કરોડનો બિઝનેસ


CATનું કહેવું છે કે આજે દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો. એકલા દિલ્હીમાં આજે 5 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. ધનતેરસના દિવસે ગણેશ, લક્ષ્મી, કુબેરની મૂર્તિઓ કે ચિત્રો ખરીદવામાં આવે છે. આજે મોટર વાહનો, સોના-ચાંદીના આભૂષણો, વાસણો, રસોડાનાં ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું પણ વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.


લગભગ 30 હજાર કરોડના  સોના-ચાંદીનું વેચાણ


CATનું કહેવું છે કે આજે સોના અને ચાંદીનું કુલ વેચાણ લગભગ 30 હજાર કરોડ રૂપિયા હતું. જેમાં સોનાનો હિસ્સો 27 હજાર કરોડ રૂપિયા હતો જ્યારે ચાંદીનો હિસ્સો લગભગ 3000 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષે ધનતેરસ પર આ બિઝનેસ લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો હતો. ગયા વર્ષે સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે આ વખતે તે 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, ગત દિવાળીમાં ચાંદી રૂ. 58,000ના ભાવે વેચાતી હતી અને હવે તેની કિંમત રૂ. 72,000 પ્રતિ કિલો છે. એક અંદાજ મુજબ આજે ધનતેરસના દિવસે દેશમાં લગભગ 41 ટન સોનું અને લગભગ 400 ટન ચાંદીના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ થયું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે