Dharm : જાણો શા માટે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે 56 પ્રકારના ભોગ? ગોવર્ધન પર્વત સાથે જોડાયેલી છે આ વાર્તા


  • Published By :
  • Published Date : 2024-01-13 17:06:27

ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવતા નૈવેદ્યનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે. અનેક લોકો ભોજન કરતા પહેલા ભગવાન સમક્ષ થાળ મૂકતા હોય છે. અનેક લોકો ભગવાનને જમાડ્યા પછી જ જમતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ભોગ અર્પણ કરવાની વાત આવે તો આપણે કહીએ છીએ કે 56 ભોગ અર્પણ કરવા જોઈએ. પરંતુ શું ખબર છે ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ કેમ અર્પણ કરવામાં આવે છે?

ગોવર્ધન-લીલા' . | Govardhan lila

ગોવર્ધન પૂજા માટે ભગવાન શ્રીકૃષ્ણએ કર્યા પ્રેરિત 

56 ભોગ ધરાવાની પાછળ લોક વાયકા એવી છે કે દ્વાપર યુગમાં લોકો ઈન્દ્ર દેવની પૂજા કરતા હતા. મથૂરા, ગોકુળના લોકો એવું માનતા હતા કે ભગવાન ઈન્દ્રને કારણે જ વરસાદ થાય છે. ઈન્દ્ર ભગવાન વરસાદ કરે છે એટલા માટે તેમનું જીવન પસાર થાય છે. તે સમયે કૃષ્ણ ભગવાને વૃંદાવન અને ગોકુળના લોકોને ગોવર્ધન પૂજા કરવા માટે પ્રેરિત કર્યા. બાળ કૃષ્ણના આવા કહેવાથી ગામના લોકો તેમને સમજાવવા લાગ્યા કે ઈન્દ્રની પૂજા કરવી જોઈએ. પરંતુ કૃષ્ણ ભગવાને કહ્યું કે વરસાદ કરવો તેમની ફરજ છે. આપણું ભરણપોષણ ગોવર્ધન પર્વત કરે છે. આ પર્વત પરથી મળતી વનસ્પતિઓથી આપણું જીવન ચાલે છે. એટલે ઈન્દ્રની નહીં પરંતુ ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ.


લોકોનું રક્ષણ કરવા માટે ભગવાને પર્વતને આંગળી પર ઉપાડ્યો

કનૈયાની વાત તમામ ગામ લોકોએ માની. તે વખતે ઈન્દ્રની નહીં પરંતુ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી હતી. આ વાતને કારણે ઈન્દ્ર ભગવાન ક્રોધિત થયા અને વૃંદાવનમાં ભયંકર વર્ષા કરી. જેને કારણે વૃંદાવનની પરિસ્થિતિ ખરાબ થવા લાગી. પોતાની સમસ્યા લઈ તમામ લોકો કૃષ્ણ ભગવાન પાસે પહોંચ્યા. ભારે વરસાદથી ભગવાને લોકોનું રક્ષણ કરવા ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી ઉપર ઉઠાવી લીધો અને વરસાદથી લોકોને સુરક્ષિત રાખ્યા. આ પ્રકારે શ્રીકૃષ્ણે ઈન્દ્ર દેવનો ઘમંડ ઉતાર્યો. 

Tamatina Religious Art Canvas Painting | Shri Krishna With Maa Yashoda| God  Unframed painting for Home décor|size - 36X24 Inches.60 : Amazon.in: Home &  Kitchen

ભગવાને ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર કર્યો હતો ધારણ

એવું માનવામાં આવે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન માતા યશોદા સાથે રહેતા હતા તે સમયે માતા તેમને 8 વખત ભોજન કરાવતી હતી. પરંતુ ભારે વરસાદ થતા કૃષ્ણએ અઠવાડિયા સુધી ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ધારણ કરી રાખ્યો હતો. કાનૂડાએ 7 દિવસ સુધી કાંઈ ખાધા પીધા વગર પસાર કર્યા. એટલે જ્યારે ઈન્દ્ર દેવે પોતાની ભૂલ સ્વીકારી વરસાદ બંધ કર્યો ત્યારે ભગવાને ગોવર્ધન પર્વતને નીચે મૂક્યો. માતા યશોદાએ પોતાની ગણતરી પ્રમાણે 56 ભોગ બનાવ્યા. અને ત્યારથી ભગવાન કૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે.


(અહીંયા આપેલી માહિતી ધાર્મિક માહિતી પર આધારીત છે)



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.