Dharm - નવરાત્રીના બીજા નોરતે થાય છે માતા બ્રહ્મચારિણી માતાની આરાધના, જાણો કયા મંત્રથી કરવી જોઈએ માની ઉપાસના?


  • Published By :
  • Published Date : 2024-10-04 13:02:40

ગઈકાલથી માના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે.... નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે.. નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. માતાજીના નામનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. બ્રહ્મચારિણી એટલે જેમણે તપનું આચરણ કર્યું છે. માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતાજી એક હાથમાં કમંડળ ધારણ કરે છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. 

Navratri 2023 Maa Brahmacharini: Shardiya Navratri 2023 Day 2 Maa  Brahmacharini Puja Vidhi | Navratri 2023 Maa Brahmacharini: નવરાત્રિના બીજા  દિવસે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, કરિયરમાં મળશે લાભ ...



કેવું છે માતા બ્રહ્મચારિણીનું રૂપ?  

માતાજીના દરેક સ્વરૂપ અલગ અલગ સંદેશો આપે છે. શંકર ભગવાનને પતિ તરીકે પામવા માટે માતાજીએ તપ કર્યું હતું. નારદજીએ માતાજીને તપ કરવાનું કહ્યું અને આ જાણ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા માટે હજારો વર્ષ સુધી તપ કર્યું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું. અનેક વર્ષો સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરીતે બાદ અનેક વર્ષો સુધી માત્ર સુકાયેલા બીલિપત્ર ખાધા. માતાજીએ તપ કર્યું તેને કારણે તેમને બ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે.   




કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની આરાધના? 

दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू|

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा||


સામાન્ય રીતે માતાજીના બીજ મંત્રીથી પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે પરંતુ જો માતાજીના વિશેષ મંત્રથી તેમની આરાધના કરવામાં આવે તો દેવીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. માતા બ્રહ્મચારિણીના મંત્રની વાત કરીએ તો આ ઉપર જણાવેલા મંત્રથી માતાજીની આરાધના કરવી જોઈએ. અથવા તો તેમના બીજ મંત્રની ઉપાસના કરવી જોઈએ. માતા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની આરાધના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. 




કયું નૈવેદ્ય કરવું જોઈએ માતાજીને અર્પણ? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. બીજા દિવસે નૈવેદ્ય તરીકે સાકર અર્પણ કરવામાં આવે છે. સાકર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."