Dharm - માતા ચંદ્રઘંટાની થાય છે નવરાત્રીના ત્રીજા નોરતે આરાધના, તેમની પૂજા કરવાથી ભક્ત બને છે સાહસિક


  • Published By :
  • Published Date : 2024-10-05 12:11:28

આજે આસો નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ રૂપોનું પૂજન કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ એટલે માતા ચંદ્રઘંટા.. માતા ચંદ્રઘંટા માથા પર ચંદ્ર ધારણ કરે છે માટે તેમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રઘંટા માતાજીની આરાધના કરવાથી સાધક સાહસિક અને નિર્ભય બને છે. ભક્તમાં સાહસ વધે છે.. 

Navratri: Mother incarnated from the mouth of Trinity read the unique story  of Mother Chandraghanta. | Navratri: त्रिदेवों के मुख से माता हुई अवतरित,  पढ़ें मां चंद्रघंटा की अनोखी कहानी


કેવું છે માતા ચંદ્રઘંટાનું રૂપ? 

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે ત્યારે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાના સ્વરૂપની વાત કરીએ તો માતાજીની દસ ભૂજાઓ છે. દસ ભૂજામાં દેવી કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશુળ, ગદા જેવા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે. સિંહની સવારી માતા કરે છે. એવું માનવામાં આવે છે કે દૈત્યનો સંહાર કરવા માતાજીએ આ સ્વરૂપ ધારણ કર્યું છે. દેવીના આ સ્વરૂપની આરાધના કરવાથી સાધકના તમામ કષ્ટો દુર થાય છે.  




કયા મંત્રથી કરવી માતાજીની આરાધના? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ત્રીજા દિવસે દૂધ અર્પણ કરવાથી માતાજીની વિશેષ કૃપા મળે છે તેવી માન્યતાઓ છે. દુધ અર્પણ કરવાથી ધન, વૈભવ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે... દરેક માતાજીની પૂજા કરવા માટે વિશેષ મંત્ર હોય છે. માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર - “ऊं देवी चन्द्रघण्टायै नमः.. જો શક્ય હોય તો નવરાત્રીના દિવસો દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.  




(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.