Dharm - આજથી શ્રાવણ મહિનાનો થયો પ્રારંભ, મહાદેવજીને કયા મંત્રથી કરવા જોઈએ બીલીપત્ર અર્પણ? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-05 16:09:59

આપણે ત્યાં અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ દેવોની પૂજા કરવામાં આવે છે. સોમવારે મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. અને એમાં પણ જો શ્રાવણ મહિનો હોય ત્યારે તો મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શંકરને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવામાં આવતી હોય છે. આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. શિવાલયોમાં મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવશે. ભસ્મ, રૂદ્રાક્ષ, ડમરૂ જેવી અનેક વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તેમાં પણ ભગવાન શંકરને બીલીપત્ર અતિશય પ્રિય માનવામાં આવે છે. બીલીપત્ર અર્પણ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે. 

Mahashivratri: એક બીલીપત્ર કેવી રીતે પ્રાપ્ત કરાવશે મહાદેવની મહાકૃપા ? જાણો  અત્યંત ફળદાયી વિધિ - Gujarati News | How can a bilva patra give Mahadev's  great grace Learn the most fruitful ...

આ મંત્રથી મહાદેવજીને બીલીપત્ર કરવી જોઈએ અર્પણ

હિંદુ ધર્મમાં બીલીપત્રના ઝાડને વિશેષ મહત્વ આપવામાં આવે છે. બીલીપત્રને ત્રણ પાંદડા હોય છે. બીલીપત્ર વગર ભગવાન શંકરની પૂજા અધૂરી ગણવામાં આવે છે. 3 પત્તા હોવાને કારણે તેને ત્રિમૂર્તિનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સર્વકામ પ્રદે બીલ્વં દારિદ્રયસ્ય પ્રણાશનમ્| બિલ્વાત્પરતરં નાસ્તિ યેન તુષ્યતિ શંકર:||

દરેક પુષ્પને આપણે સીધું અર્પણ કરતા હોઈએ છીએ પરંતુ બીલીપત્રને ઉંધું ચઢાવવામાં આવે છે. 



બીલીપત્રમાં ત્રણેય દેવતાનો વાસ હોવાની માન્યતા!

બીલીપત્રમાં ત્રણ દળ હોય છે જેને સત્વ, રજસ અને તમો ગુણનું પ્રતિક માનવામાં આવે છે. આ ગુણોને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગણવામાં આવ્યા છે. બ્રહ્મા સંસારનું સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન વિશ્વનું પાલન કરે છે જ્યારે ભગવાન શિવ સંસારનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે બીલીપત્રમાં ત્રણેય દેવતાઓનો વાસ હોય છે. 



મહાદેવજીને અભિષેક પણ છે પ્રિય 

અનેક લોકો ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરતા હોય છે. તો અનેક ભક્ત સોમવારના દિવસે બીલીપત્ર અર્પણ કરે છે. બીલીપત્રની સાથે સાથે દૂધ તેમજ મધનો અભિષેક પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને મનોવાંચ્છિત ફળ આપે છે. શ્રાવણ મહિનાને મહાદેવજીનો મહિનો ગણવામાં આવે છે. આખા શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શંકરની વિશેષ ભક્તિ કરવામાં આવે છે. બીલીપત્રનો શણગાર કરવામાં આવે છે. 



શ્રાવણ મહિનામાં વિશેષરૂપથી મહાદેવજીને અર્પણ થાય છે બીલીપત્ર 

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે. આપણે ત્યાં ચાલતી પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન બીમારીઓ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે. ત્યારે બીલીપત્રનો સ્પર્શ કરવાથી જીવાણું દૂર રહે છે. ઉપરાંત બીલીપત્રનો ઉપયોગ રસાયણ બનાવામાં પણ થતો હોય છે. વિષનાશનનો ગુણ ધર્મ બિલીપત્રમાં હોય છે. આયુર્વેદમાં પણ બીલીપત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.        



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .