Dharm : આજે છે નૃસિંહ જયંતી, જાણો શા માટે ભગવાને લીધો હતો આ અવતાર? કયા મંત્રથી કરવી ભગવાનની પૂજા?


  • Published By :
  • Published Date : 2024-05-21 17:20:21

ભક્તની રક્ષા કરવા માટે, મનુષ્યોની રક્ષા કરવા માટે ભગવાને અલગ અલગ સ્વરૂપો, અવતારો ધારણ કર્યા છે. ભગવાન નારાયણે અનેક અવતારો લીધા છે ત્યારે આજે વાત કરવી છે ભગવાનના નૃસિંહ અવતારની. કારણ કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતી તરીકે મનાવવમાાં આવે છે.. નૃસિંહ ભગવાનનું અડધું શરીર નરનું હતું અને અડધું શરીર સિંહનું હતું. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે અને હિરણ્યકશિપુનો વધ કરવા માટે તેમણે આવું રૂપ ધારણ કર્યું હતું..

Narsimha Jayanti 2023: નરસિંહ જયંતિ ક્યારે છે? આ દિવસે ભગવાન વિષ્ણુને આ 6  ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે


પ્રહલાદ માટે થાંભલામાંથી પ્રગટ થયા ભગવાન નારાયણ  

ભક્તિ કરતી વખતે દિલમાં સાચી શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ.. ઈશ્વર મારી સાથે જ છે તેવું જો આપણે માનીશું તો ઈશ્વર આપણી સાથે રહેશે! આપણાં શાસ્ત્રોમાં અવતારોનું વર્ણન મળી આવે છે. ઈશ્વર આપણને પોતાના સંતાન માને છે અને બાળક રૂપી ભક્તનું રક્ષણ કરવા માટે ભગવાન કોઈ પણ અવતાર ધારણ કરી શકે છે.. ભક્ત પ્રહલાદને થાંભલામાં પણ ભગવાન દેખાયા, ભક્તની લાજ રાખવા માટે ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા.. 


ઘોર તપ કરી બ્રહ્માજીને કર્યા પ્રસન્ન 

ધાર્મિક શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું હિરણ્યકશિપુએ.. પ્રસન્ન થઈ બ્રહ્માજીએ વરદાન માગવાનું કહ્યું.. વરદાનમાં તેણે માગ્યું કે  માનવ, પશુ, દેવતા, દૈત્ય કે કોઈપણ જીવ થકી અથવા અસ્ત્ર શસ્ત્ર થી મારું મૃત્યુ ન થાય. ઘર કે બહાર, દિવસ કે રાત, પૃથ્વી આકાશ કયાંય હું ન મરું. ભગવાને વરદાન આપ્યું..  હિરણ્યકશિપુને લાગ્યું તે અમર થઈ ગયો અને તેણે દુરાચાર કરવાનું વધારે શરૂ કરી દીધું. હિરણયકશિપુનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. 

Narasimha Jayanti 2023 On Narasimha Jayanti today, this mantra will get rid  of all troubles | Narasimha Jayanti 2023: નરસિંહ જયંતિ આજે, આ મંત્ર અપાવેશે  દરેક મુસીબતથી છુટકારો


થાંભલાને ફરતે અગ્નિ પ્રગટાવી અને... 

ભગવાનના નામનું ગુણગાન તે ગાયા કરતો.. ત્યારે ગુસ્સામાં આવીને હિરણ્યકશિપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધગધગતો લાલઘુમ બનાવ્યો અને પોતાના દીકરાને કહ્યું કે જૉ આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને તું ગળે લાગ.. પ્રહલાદે થાંભલાને બાથ ભરી અને થાંભલામાંથી ભયંકર અવાજ આવ્યો અને થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા.. 


પોતાના નખથી નૃસિંહ ભગવાને કર્યો હિરણ્યકશિપુનો વધ

ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુને ખોળામાં લઈને ઉંબરા પર બેસી ગયા. ઉંબરામાં વચ્ચોવચ બેસી ગયા એટલે ના ઘરની અંદર ના તો ઘરની બહાર.. બીજું વરદાન એ હતું કે ના કોઈ શસ્ત્રથી ના તો કોઈ અસ્ત્રથી તેનું મૃત્યુ થાય ત્યારે ભગવાને તેને મારવા માટે પોતાના નખનો ઉપયોગ કર્યો.. ના તો માનવે  ના તો પશુથી તેનું મૃત્યુ થાય તેવું વરદાન માગ્યું હતું એટલે ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું.. 


તમામ કષ્ટોમાંથી મળે છે મુક્તિ!

ભગવાન નૃસિંહની પૂજા કરવાથી સાધકના દરેક કષ્ટ દૂર થાય છે.  ભગવાનનો આ અવતાર મનમાંથી તમામ ભય દૂર કરે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે. ભગવાન નૃસિંહની પૂજા આ મંત્રથી કરવી જોઈએ.. ॐ क्ष्रौं नमो भगवते नरसिंहाय.. આપ સૌને નૃસિંહ જયંતીની હાર્કિદ શુભકામના.. 



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે... )




"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.