Dharm : નવરાત્રીનો આજે અંતિમ દિવસ, નવમા દિવસે થાય છે માતા સિદ્ધિદાત્રીની પૂજા, જાણો કયા મંત્રનો કરવો જોઈએ જપ, અને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2024-04-17 11:04:20

નવરાત્રીનો આજે છેલ્લો  દિવસ છે.. નવરાત્રીના છેલ્લા દિવસે નવ દુર્ગાના અંતિમ સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રાના આઠ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની બીજા દિવસે માતા બ્રહ્મચારિણી, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે, ચોથા દિવસે કુષ્માંડા માતાની જ્યારે પાંચમા નોરતે સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની, સાતમા નોરતે માતા કાલરાત્રિની જ્યારે આઠમા નોરતે મહાગૌરીની પૂજા કરવામાં આવી ત્યારે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી સાધકને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.



કેવું છે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ? 

દરેક માતાજીના અલગ અલગ સ્વરૂપો હોય છે, અલગ અલગ વાહન પર સવારી કરે છે.. માતા સિદ્ધિદાત્રી માતાના સ્વરૂપની વાત કરીએ તો માતાજી કમળ પર બિરાજમાન છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ગદાને ધારણ કરી છે તો બીજા હાથમાં માએ કમળ ધારણ કર્યું છે. તો ત્રીજા હાથમાં માતાજીએ શંખ ધારણ કર્યો છે અને ચોથા હાથમાં માતાજીએ ચક્રને ધારણ કર્યું છે. માન્યતા અનુસાર માતાજીના આ સ્વરૂપની આરાધના કરવાથી માતાજીની અસીમ કૃપા ભક્તો પર રહે છે. 


માતાજીની આરાધના કરવાથી થાય છે સિદ્ધિની પ્રાપ્તિ

શાસ્ત્રમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા લક્ષ્મીની જેમ માતા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન હોય છે. સાધક જો માના રૂપની પૂજા કરે છે તો તેને તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે તે માતાજી પાસે આઠ સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ માતાજી પાસે રહેલી છે.. 


કયા મંત્રથી કરવી માતા સિદ્ધિદાત્રીની પૂજા?

દરેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિશેષ મંત્ર હોય છે. જો એ મંત્રથી માતાજીની પૂજા કરવામાં આવે તો માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. માતાજીને સમર્પિત મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે અને સાધકને મનોવાંચ્છિત ફળ મળે છે. માતાજીની આરાધના કરવા માટે ચંડીપાઠ કરવો જોઈએ પણ જો તે શક્ય નથી તો માતા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવાનો આ મંત્ર છે જેનું ઉચ્ચારણ કરવું જોઈએ 

 

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैमरैरपि|

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी|| 


જેમ માતાજીને સમર્પિત મંત્રો હોય છે તેમ નવરાત્રી દરમિયાન દિવસો પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. નવમા દિવસે માતાજી સમક્ષ ખીર અથવા તો હલવાનો ભોગ અર્પણ કરવો જોઈએ....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.