Dharm : નવરાત્રીનો આજે અંતિમ દિવસ, નવમા દિવસે થાય છે માતા સિદ્ધિદાત્રીની પૂજા, જાણો કયા મંત્રનો કરવો જોઈએ જપ, અને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2024-04-17 11:04:20

નવરાત્રીનો આજે છેલ્લો  દિવસ છે.. નવરાત્રીના છેલ્લા દિવસે નવ દુર્ગાના અંતિમ સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રાના આઠ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની બીજા દિવસે માતા બ્રહ્મચારિણી, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે, ચોથા દિવસે કુષ્માંડા માતાની જ્યારે પાંચમા નોરતે સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની, સાતમા નોરતે માતા કાલરાત્રિની જ્યારે આઠમા નોરતે મહાગૌરીની પૂજા કરવામાં આવી ત્યારે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી સાધકને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.



કેવું છે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ? 

દરેક માતાજીના અલગ અલગ સ્વરૂપો હોય છે, અલગ અલગ વાહન પર સવારી કરે છે.. માતા સિદ્ધિદાત્રી માતાના સ્વરૂપની વાત કરીએ તો માતાજી કમળ પર બિરાજમાન છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ગદાને ધારણ કરી છે તો બીજા હાથમાં માએ કમળ ધારણ કર્યું છે. તો ત્રીજા હાથમાં માતાજીએ શંખ ધારણ કર્યો છે અને ચોથા હાથમાં માતાજીએ ચક્રને ધારણ કર્યું છે. માન્યતા અનુસાર માતાજીના આ સ્વરૂપની આરાધના કરવાથી માતાજીની અસીમ કૃપા ભક્તો પર રહે છે. 


માતાજીની આરાધના કરવાથી થાય છે સિદ્ધિની પ્રાપ્તિ

શાસ્ત્રમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા લક્ષ્મીની જેમ માતા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન હોય છે. સાધક જો માના રૂપની પૂજા કરે છે તો તેને તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે તે માતાજી પાસે આઠ સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ માતાજી પાસે રહેલી છે.. 


કયા મંત્રથી કરવી માતા સિદ્ધિદાત્રીની પૂજા?

દરેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિશેષ મંત્ર હોય છે. જો એ મંત્રથી માતાજીની પૂજા કરવામાં આવે તો માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. માતાજીને સમર્પિત મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે અને સાધકને મનોવાંચ્છિત ફળ મળે છે. માતાજીની આરાધના કરવા માટે ચંડીપાઠ કરવો જોઈએ પણ જો તે શક્ય નથી તો માતા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવાનો આ મંત્ર છે જેનું ઉચ્ચારણ કરવું જોઈએ 

 

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैमरैरपि|

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी|| 


જેમ માતાજીને સમર્પિત મંત્રો હોય છે તેમ નવરાત્રી દરમિયાન દિવસો પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. નવમા દિવસે માતાજી સમક્ષ ખીર અથવા તો હલવાનો ભોગ અર્પણ કરવો જોઈએ....


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.