Dharm - શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભક્તોની ઉમટી ભીડ, આ સ્તોત્રથી કરવી જોઈએ ભગવાન શિવની આરાધના..


  • Published By :
  • Published Date : 2024-08-12 14:05:28

દેવાધિ દેવ મહાદેવને પ્રિય એવો શ્રાવણ મહિનાનો પ્રારંભ ગયા સોમવારથી થઈ ગયો છે.. શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કોઈ વ્યક્તિ આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે તો કોઈ શ્રાવણ મહિનાનો સોમવાર કરે છે. શ્રાવણ મહિના દરમિયાન મહાદેવના મંદિર કરવા દર્શનાર્થીઓની ભીડ ઉમટતી હોય છે. ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સોમનાથ જ્યોતિર્લિગમાં ઉમટી ભક્તોની ભીડ

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.. વહેલી સવારથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવે છે.. જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરના પરિસરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનો મહાસાગર મંદિરમાં જોવા મળી રહ્યો છે. આ સ્તોત્રથી ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ... આ સ્તોત્ર છે શિવપંચાક્ષર સ્તોત્ર... આના સિવાય અનેક એવા સ્તોત્ર છે જેના દ્વારા તમે ભોળાનાથની આરાધના કરી શકો છો..     



नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।

नित्याय शुद्धाय दिगम्बराय तस्मै 'न' काराय नमः शिवाय॥१॥


 मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।

मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै 'म' काराय नमः शिवाय॥२॥


शिवाय गौरीवदनाब्जवृन्द‐सूर्याय दक्षाध्वरनाशकाय।

श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै 'शि' काराय नमः शिवाय॥३॥ 


वसिष्ठकुम्भोद्भवगौतमार्य‐मुनीन्द्रदेवार्चितशेखराय

चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै 'व' काराय नमः शिवाय॥४॥


यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय

दिव्याय देवाय दिगम्बराय तस्मै 'य' काराय नमः शिवाय॥५॥


पञ्चाक्षरमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥


इति श्रीमच्छंकराचार्यविरचितं शिवपञ्चाक्षरस्त्रोतं सम्पूर्णम्।



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .