Dharm - શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભક્તોની ઉમટી ભીડ, આ સ્તોત્રથી કરવી જોઈએ ભગવાન શિવની આરાધના..


  • Published By :
  • Published Date : 2024-08-12 14:05:28

દેવાધિ દેવ મહાદેવને પ્રિય એવો શ્રાવણ મહિનાનો પ્રારંભ ગયા સોમવારથી થઈ ગયો છે.. શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કોઈ વ્યક્તિ આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે તો કોઈ શ્રાવણ મહિનાનો સોમવાર કરે છે. શ્રાવણ મહિના દરમિયાન મહાદેવના મંદિર કરવા દર્શનાર્થીઓની ભીડ ઉમટતી હોય છે. ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સોમનાથ જ્યોતિર્લિગમાં ઉમટી ભક્તોની ભીડ

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.. વહેલી સવારથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવે છે.. જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરના પરિસરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનો મહાસાગર મંદિરમાં જોવા મળી રહ્યો છે. આ સ્તોત્રથી ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ... આ સ્તોત્ર છે શિવપંચાક્ષર સ્તોત્ર... આના સિવાય અનેક એવા સ્તોત્ર છે જેના દ્વારા તમે ભોળાનાથની આરાધના કરી શકો છો..     



नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।

नित्याय शुद्धाय दिगम्बराय तस्मै 'न' काराय नमः शिवाय॥१॥


 मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।

मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै 'म' काराय नमः शिवाय॥२॥


शिवाय गौरीवदनाब्जवृन्द‐सूर्याय दक्षाध्वरनाशकाय।

श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै 'शि' काराय नमः शिवाय॥३॥ 


वसिष्ठकुम्भोद्भवगौतमार्य‐मुनीन्द्रदेवार्चितशेखराय

चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै 'व' काराय नमः शिवाय॥४॥


यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय

दिव्याय देवाय दिगम्बराय तस्मै 'य' काराय नमः शिवाय॥५॥


पञ्चाक्षरमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥


इति श्रीमच्छंकराचार्यविरचितं शिवपञ्चाक्षरस्त्रोतं सम्पूर्णम्।



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.