Dharm : આજે છે વસંત પંચમી, વિદ્યાની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવાનો અવસર...


  • Published By :
  • Published Date : 2024-02-14 10:00:29

આપણા ધર્મમાં દેવી દેવતાઓની પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. વિવિધ દેવી દેવતાઓની પૂજા માટે એક વિશેષ તિથી આપણા ધર્મમાં જણાવવામાં આવી છે. જેમ ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે, અગિયારસ ભગવાન વિષ્ણુને, આઠમ માતાજીને સમર્પિત હોય છે તેમ મહાસુદ પાંચમ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત હોય છે. આ દિવસને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

વસંત પંચમી : ઋતુરાજ વસંતનાં વધામણાં . | Vasant Panchami: Greetings of  Rituraj Vasant

વસંત પંચમીના દિવસે થાય છે માતા સરસ્વતીની પૂજા 

હિન્દુ ધર્મ અનુસાર આપણે ત્યાં ત્રિગુણાત્મિકા દેવીની પૂજા, આરાધના કરવામાં આવે છે, શક્તિ માટે ભક્તો માતા કાળીની પૂજા કરતા હોય છે, ધન માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જ્યારે વિદ્યા માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી છે. માતા સરસ્વતીને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. વિદ્યાર્થીઓએ આ દિવસે શક્ય હોય તો માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથોમાં દેવી સરસ્વતીની પૂજાને ધણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

vasant panchmi 1200


પીળા વસ્ત્ર ધારણ કરવાથી મળે છે માતા સરસ્વતીના આશીર્વાદ 

માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા વસ્ત્રો પહેરવાથી એવું માનવામાં આવે છે કે માતાની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. પીળા વસ્ત્રધારણ કરી પૂજા આરાધના કરવાથી વિદ્યાર્થીને વિશેષ લાભ મળે છે. વસંત પંચમીના દિવસે અનેક લોકો લગ્ન કરતા હોય છે કારણ કે આ વસંત પંચમીને વણજોયું મૂહર્ત ગણાય છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો હોય તો આ દિવસે કરી શકાય છે. આ દિવસે કોઈ મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. વસંત ઋતુ દરમિયાન પ્રકૃતિ પણ ખીલેલી હોય છે. કૃષ્ણ ભગવાન પોતે કહ્યું છે કે ઋતુમાં હું વસંત છું.... 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.