Dharm : આજે છે વસંત પંચમી, વિદ્યાની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવાનો અવસર...


  • Published By :
  • Published Date : 2024-02-14 10:00:29

આપણા ધર્મમાં દેવી દેવતાઓની પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. વિવિધ દેવી દેવતાઓની પૂજા માટે એક વિશેષ તિથી આપણા ધર્મમાં જણાવવામાં આવી છે. જેમ ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે, અગિયારસ ભગવાન વિષ્ણુને, આઠમ માતાજીને સમર્પિત હોય છે તેમ મહાસુદ પાંચમ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત હોય છે. આ દિવસને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

વસંત પંચમી : ઋતુરાજ વસંતનાં વધામણાં . | Vasant Panchami: Greetings of  Rituraj Vasant

વસંત પંચમીના દિવસે થાય છે માતા સરસ્વતીની પૂજા 

હિન્દુ ધર્મ અનુસાર આપણે ત્યાં ત્રિગુણાત્મિકા દેવીની પૂજા, આરાધના કરવામાં આવે છે, શક્તિ માટે ભક્તો માતા કાળીની પૂજા કરતા હોય છે, ધન માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જ્યારે વિદ્યા માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી છે. માતા સરસ્વતીને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. વિદ્યાર્થીઓએ આ દિવસે શક્ય હોય તો માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથોમાં દેવી સરસ્વતીની પૂજાને ધણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

vasant panchmi 1200


પીળા વસ્ત્ર ધારણ કરવાથી મળે છે માતા સરસ્વતીના આશીર્વાદ 

માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા વસ્ત્રો પહેરવાથી એવું માનવામાં આવે છે કે માતાની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. પીળા વસ્ત્રધારણ કરી પૂજા આરાધના કરવાથી વિદ્યાર્થીને વિશેષ લાભ મળે છે. વસંત પંચમીના દિવસે અનેક લોકો લગ્ન કરતા હોય છે કારણ કે આ વસંત પંચમીને વણજોયું મૂહર્ત ગણાય છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો હોય તો આ દિવસે કરી શકાય છે. આ દિવસે કોઈ મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. વસંત ઋતુ દરમિયાન પ્રકૃતિ પણ ખીલેલી હોય છે. કૃષ્ણ ભગવાન પોતે કહ્યું છે કે ઋતુમાં હું વસંત છું.... 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.