Dharm : આજે છે વસંત પંચમી, વિદ્યાની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવાનો અવસર...


  • Published By :
  • Published Date : 2024-02-14 10:00:29

આપણા ધર્મમાં દેવી દેવતાઓની પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. વિવિધ દેવી દેવતાઓની પૂજા માટે એક વિશેષ તિથી આપણા ધર્મમાં જણાવવામાં આવી છે. જેમ ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે, અગિયારસ ભગવાન વિષ્ણુને, આઠમ માતાજીને સમર્પિત હોય છે તેમ મહાસુદ પાંચમ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત હોય છે. આ દિવસને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

વસંત પંચમી : ઋતુરાજ વસંતનાં વધામણાં . | Vasant Panchami: Greetings of  Rituraj Vasant

વસંત પંચમીના દિવસે થાય છે માતા સરસ્વતીની પૂજા 

હિન્દુ ધર્મ અનુસાર આપણે ત્યાં ત્રિગુણાત્મિકા દેવીની પૂજા, આરાધના કરવામાં આવે છે, શક્તિ માટે ભક્તો માતા કાળીની પૂજા કરતા હોય છે, ધન માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જ્યારે વિદ્યા માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી છે. માતા સરસ્વતીને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. વિદ્યાર્થીઓએ આ દિવસે શક્ય હોય તો માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથોમાં દેવી સરસ્વતીની પૂજાને ધણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

vasant panchmi 1200


પીળા વસ્ત્ર ધારણ કરવાથી મળે છે માતા સરસ્વતીના આશીર્વાદ 

માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા વસ્ત્રો પહેરવાથી એવું માનવામાં આવે છે કે માતાની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. પીળા વસ્ત્રધારણ કરી પૂજા આરાધના કરવાથી વિદ્યાર્થીને વિશેષ લાભ મળે છે. વસંત પંચમીના દિવસે અનેક લોકો લગ્ન કરતા હોય છે કારણ કે આ વસંત પંચમીને વણજોયું મૂહર્ત ગણાય છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો હોય તો આ દિવસે કરી શકાય છે. આ દિવસે કોઈ મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. વસંત ઋતુ દરમિયાન પ્રકૃતિ પણ ખીલેલી હોય છે. કૃષ્ણ ભગવાન પોતે કહ્યું છે કે ઋતુમાં હું વસંત છું.... 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .