Dharm : શા માટે ધાર્મિક કર્મની શરૂઆત પહેલા પ્રગટાવવામાં આવે છે દીવો? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીએ રહેલું મહત્વ


  • Published By :
  • Published Date : 2024-01-22 12:34:27

આખા દેશમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી લઈ આ પરંપરા અનુસાર દિવાળીના દિવસો દરમિયાન દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ત્યારે આજે સાંજે પીએમ મોદીએ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે. ત્યારે આજે જાણીએ દીવાનું મહત્વ ધાર્મિક દ્રષ્ટીએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ.

કયા દેવી-દેવતા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ? જાણો દીપકના પ્રકાર અને લાભ –  News18 ગુજરાતી


દીપનારાયણને માનવામાં આવે છે કર્મના સાક્ષી 

આપણે જ્યારે કોઈ પણ શુભ કામ કરીએ છીએ ત્યારે કર્મ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં સુધી કર્મ ચાલે છે ત્યાં સુધી દીવો અખંડ રાખવામાં આવે છે. કર્મ કરતા પહેલા દીવો એટલા માટે પ્રજવલિત કરવામાં આવે છે કારણ કે દીપનારાયણને તેમજ સૂર્ય નારાયણને કર્મના સાક્ષી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દીવો એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે અંધકારને દૂર કરે છે. અંધકાર દૂર કરી સકારાત્મક ઉર્જા મળે છે. જીવનમાં પ્રકાશ ફેલાય તે માટે દીવો આપણે ત્યાં પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી સમક્ષ જ્યારે દીવો પ્રગટાવો છો ત્યારે આડી દીવેટ કરવી જોઈએ અને જ્યારે દેવ આગળ દીવો પ્રજવલિત કરવામાં આવે છે તો ઉભી દીવેટ કરવી જોઈએ.  

વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો  સામનો કરી શકાય છે - Face of Nation

ઘરના મંદિરમાં અનેક લોકો કરતા હોય છે પ્રતિદિન દીવો 

અનેક લોકો પ્રતિદિન મંદિરમાં દીવો કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પ્રતિદિન દીવો કરવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા નથી રહેતી. માતા લક્ષ્મીનો વાસ તે ઘરમાં રહે છે તેવી માન્યતા છે. સામાન્ય રીતે ઘીનો દીવો કરવામાં આવે છે પરંતુ જો ઘીની વ્યવસ્થા ના હોય તો સામાન્ય રીતે તેલનો દીવ પણ કરી શકાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીથી પણ દીવાનું મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે દીવો કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક વાયરસનો નાશ થાય છે. ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં શુદ્ધતા ફેલાય છે. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)       



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?