Dharm : શા માટે ધાર્મિક કર્મની શરૂઆત પહેલા પ્રગટાવવામાં આવે છે દીવો? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીએ રહેલું મહત્વ


  • Published By :
  • Published Date : 2024-01-22 12:34:27

આખા દેશમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી લઈ આ પરંપરા અનુસાર દિવાળીના દિવસો દરમિયાન દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ત્યારે આજે સાંજે પીએમ મોદીએ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે. ત્યારે આજે જાણીએ દીવાનું મહત્વ ધાર્મિક દ્રષ્ટીએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ.

કયા દેવી-દેવતા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ? જાણો દીપકના પ્રકાર અને લાભ –  News18 ગુજરાતી


દીપનારાયણને માનવામાં આવે છે કર્મના સાક્ષી 

આપણે જ્યારે કોઈ પણ શુભ કામ કરીએ છીએ ત્યારે કર્મ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં સુધી કર્મ ચાલે છે ત્યાં સુધી દીવો અખંડ રાખવામાં આવે છે. કર્મ કરતા પહેલા દીવો એટલા માટે પ્રજવલિત કરવામાં આવે છે કારણ કે દીપનારાયણને તેમજ સૂર્ય નારાયણને કર્મના સાક્ષી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દીવો એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે અંધકારને દૂર કરે છે. અંધકાર દૂર કરી સકારાત્મક ઉર્જા મળે છે. જીવનમાં પ્રકાશ ફેલાય તે માટે દીવો આપણે ત્યાં પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી સમક્ષ જ્યારે દીવો પ્રગટાવો છો ત્યારે આડી દીવેટ કરવી જોઈએ અને જ્યારે દેવ આગળ દીવો પ્રજવલિત કરવામાં આવે છે તો ઉભી દીવેટ કરવી જોઈએ.  

વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો  સામનો કરી શકાય છે - Face of Nation

ઘરના મંદિરમાં અનેક લોકો કરતા હોય છે પ્રતિદિન દીવો 

અનેક લોકો પ્રતિદિન મંદિરમાં દીવો કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પ્રતિદિન દીવો કરવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા નથી રહેતી. માતા લક્ષ્મીનો વાસ તે ઘરમાં રહે છે તેવી માન્યતા છે. સામાન્ય રીતે ઘીનો દીવો કરવામાં આવે છે પરંતુ જો ઘીની વ્યવસ્થા ના હોય તો સામાન્ય રીતે તેલનો દીવ પણ કરી શકાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીથી પણ દીવાનું મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે દીવો કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક વાયરસનો નાશ થાય છે. ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં શુદ્ધતા ફેલાય છે. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)       



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.