Dharm : શા માટે ધાર્મિક કર્મની શરૂઆત પહેલા પ્રગટાવવામાં આવે છે દીવો? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીએ રહેલું મહત્વ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-22 12:34:27

આખા દેશમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી લઈ આ પરંપરા અનુસાર દિવાળીના દિવસો દરમિયાન દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ત્યારે આજે સાંજે પીએમ મોદીએ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે. ત્યારે આજે જાણીએ દીવાનું મહત્વ ધાર્મિક દ્રષ્ટીએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ.

કયા દેવી-દેવતા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ? જાણો દીપકના પ્રકાર અને લાભ –  News18 ગુજરાતી


દીપનારાયણને માનવામાં આવે છે કર્મના સાક્ષી 

આપણે જ્યારે કોઈ પણ શુભ કામ કરીએ છીએ ત્યારે કર્મ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં સુધી કર્મ ચાલે છે ત્યાં સુધી દીવો અખંડ રાખવામાં આવે છે. કર્મ કરતા પહેલા દીવો એટલા માટે પ્રજવલિત કરવામાં આવે છે કારણ કે દીપનારાયણને તેમજ સૂર્ય નારાયણને કર્મના સાક્ષી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દીવો એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે અંધકારને દૂર કરે છે. અંધકાર દૂર કરી સકારાત્મક ઉર્જા મળે છે. જીવનમાં પ્રકાશ ફેલાય તે માટે દીવો આપણે ત્યાં પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી સમક્ષ જ્યારે દીવો પ્રગટાવો છો ત્યારે આડી દીવેટ કરવી જોઈએ અને જ્યારે દેવ આગળ દીવો પ્રજવલિત કરવામાં આવે છે તો ઉભી દીવેટ કરવી જોઈએ.  

વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો  સામનો કરી શકાય છે - Face of Nation

ઘરના મંદિરમાં અનેક લોકો કરતા હોય છે પ્રતિદિન દીવો 

અનેક લોકો પ્રતિદિન મંદિરમાં દીવો કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પ્રતિદિન દીવો કરવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા નથી રહેતી. માતા લક્ષ્મીનો વાસ તે ઘરમાં રહે છે તેવી માન્યતા છે. સામાન્ય રીતે ઘીનો દીવો કરવામાં આવે છે પરંતુ જો ઘીની વ્યવસ્થા ના હોય તો સામાન્ય રીતે તેલનો દીવ પણ કરી શકાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીથી પણ દીવાનું મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે દીવો કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક વાયરસનો નાશ થાય છે. ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં શુદ્ધતા ફેલાય છે. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)       



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.