Dharm : શા માટે ધાર્મિક કર્મની શરૂઆત પહેલા પ્રગટાવવામાં આવે છે દીવો? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીએ રહેલું મહત્વ


  • Published By :
  • Published Date : 2024-01-22 12:34:27

આખા દેશમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી લઈ આ પરંપરા અનુસાર દિવાળીના દિવસો દરમિયાન દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ત્યારે આજે સાંજે પીએમ મોદીએ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે. ત્યારે આજે જાણીએ દીવાનું મહત્વ ધાર્મિક દ્રષ્ટીએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ.

કયા દેવી-દેવતા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ? જાણો દીપકના પ્રકાર અને લાભ –  News18 ગુજરાતી


દીપનારાયણને માનવામાં આવે છે કર્મના સાક્ષી 

આપણે જ્યારે કોઈ પણ શુભ કામ કરીએ છીએ ત્યારે કર્મ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યાં સુધી કર્મ ચાલે છે ત્યાં સુધી દીવો અખંડ રાખવામાં આવે છે. કર્મ કરતા પહેલા દીવો એટલા માટે પ્રજવલિત કરવામાં આવે છે કારણ કે દીપનારાયણને તેમજ સૂર્ય નારાયણને કર્મના સાક્ષી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દીવો એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે અંધકારને દૂર કરે છે. અંધકાર દૂર કરી સકારાત્મક ઉર્જા મળે છે. જીવનમાં પ્રકાશ ફેલાય તે માટે દીવો આપણે ત્યાં પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજી સમક્ષ જ્યારે દીવો પ્રગટાવો છો ત્યારે આડી દીવેટ કરવી જોઈએ અને જ્યારે દેવ આગળ દીવો પ્રજવલિત કરવામાં આવે છે તો ઉભી દીવેટ કરવી જોઈએ.  

વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો  સામનો કરી શકાય છે - Face of Nation

ઘરના મંદિરમાં અનેક લોકો કરતા હોય છે પ્રતિદિન દીવો 

અનેક લોકો પ્રતિદિન મંદિરમાં દીવો કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પ્રતિદિન દીવો કરવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા નથી રહેતી. માતા લક્ષ્મીનો વાસ તે ઘરમાં રહે છે તેવી માન્યતા છે. સામાન્ય રીતે ઘીનો દીવો કરવામાં આવે છે પરંતુ જો ઘીની વ્યવસ્થા ના હોય તો સામાન્ય રીતે તેલનો દીવ પણ કરી શકાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીથી પણ દીવાનું મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે દીવો કરવાથી વાતાવરણમાં રહેલા હાનિકારક વાયરસનો નાશ થાય છે. ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં શુદ્ધતા ફેલાય છે. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે)       



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.