Dharm - હિંદુ ધર્મમાં તિલકને કેમ આપવામાં આવ્યું છે આટલું મહત્વ? તિલક કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું?


  • Published By :
  • Published Date : 2024-11-30 11:14:21

આપણે ત્યાં જ્યારે પણ કોઈ પૂજા અથવા ધાર્મિક પ્રસંગો દરમિયાન તિલક કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો કંકુ, ચંદન અથવા તો હળદરનું તિલક કરતા હોય છે. ત્યારે બંને આઈબ્રો વચ્ચે ચાંદલો કરવા પાછળનું કારણ તો આપણે જાણીયે છીએ . ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.  


શું છે તિલક કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ?

આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ ત્યારે ચાંદલો અવશ્ય કરતા હોઈએ છીએ. ઘરની બહાર જતા પહેલા પણ તિલક કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટ્રિએ તેનું મહત્વ તો રહેલું છે પરંતુ તિલક કરવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ પણ છૂપાયેલું છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક કરવાથી એકાગ્રતા વધે છે. ઉપરાંત મનને શાંતિ પણ મળે છે. ચંદનનું તિલક કરવાથી શાંતિ મળે છે. કેસર-ચંદનનું તિલક કરવાથી વિચક્ષણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ હળદરનું તિલક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપરાંત અનેક લોકો ભસ્મનું તિલક પણ કરે છે. ભસ્મ તિલક કરવાથી નિર્મોહીપણું આવે છે જ્યારે કંકુનું તિલક કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.


કઈ આંગળીથી કરવું જોઈએ તિલક?

ચાંદલાનું તો મહત્વ રહેલું છે પરંતુ કંઈ આંગળીથી કરવામાં આવે છે તેનું પણ મહત્વ રહેલું છે. અનામિકા આંગળીથી તિલક કરવાથી મનને શાંતિ મળે છે. મધ્યમા આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે. અંગુઠાથી તિલક પુષ્ટિ દાયક હોય છે. તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાંદલો કર્યા પછી અક્ષત લગાડવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અક્ષતને શ્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષતને ચોખા પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચોખાને શુદ્ધ અનાજ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પણ અક્ષત અર્પણ કરવામાં આવે છે. ચોખાને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોખા લગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. તિલકને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.