Dharma : આજે ગંગા સપ્તમી, જાણો શા માટે મનાવવામાં આવે છે ગંગા સપ્તમી?


  • Published By :
  • Published Date : 2024-05-14 16:29:37

આપણા હિન્દુ ધર્મમાં નદીઓને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.. આપણે નદીને માતા કહીએ છીએ.. ગંગા નદીનો આપણે ત્યાં વિશેષ મહિમા છે.. ગંગા નદીને આપણે ત્યાં પાપનાશીની કહેવામાં આવે છે.. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. આજે ગંગા સપ્તમી છે.. આપણા ધર્મમાં ગંગા સપ્તમીનું વિશેષ મહત્વ છે.. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી સપ્તમીને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે.. આ દિવસે ગંગાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.. 

विष्णुपदी गंगा के 108 नाम व अष्टोत्तरशतनाम स्तोत्र - Aaradhika.com

ગંગા દેવીને પાર્વતી માતાની બહેન માનવામાં આવે છે

હિંદુ શાસ્ત્રો અનુસાર ગંગા નદી ઉતર્યા હતા આ દિવસે... શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલીવાર દશેરાના દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિ જહ્નુ નદીનું પાણી બધુ પી ગયા. ત્યારે ભગીરથે તેમજ દેવતાઓએ ગંગાને છોડવા માટે વિનંતી કરી.. અને આ રીતે દેવી ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું.. દેવી ગંગાને માતા પાર્વતીની બહેન પણ માનવામાં આવે છે.. ગંગા પર્વત રાજા હિમવન અને મૈનાની પુત્રી છે, અને માતા ગંગા દેવી પાર્વતીની બહેન છે.

Auspicious Coincidence Ganga Saptami Will Be Celebrated In Three Big Yogas,  Along With Bath donation, The Whole Day Will Be Auspicious For Shopping And  New | શુભ સંયોગ: ત્રણ મોટા યોગમાં ગંગા

શું છે પૌરાણીક કથા? 

બીજી એક કથા અનુસાર રાજા ભગીરથે પોતાના પૂર્વજોને પાપોમાંથી મુક્ત કરવા માટે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું.. બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે આશ્વાસન આપ્યું કે ગાંગા નદી ભૂ લોક પર આવશે.. ભગીરથજીના પૂર્વજોને શાંતિ મળશે. ગંગા નદીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ભગવાન શંકરની પૂજા કરવા માટે ભગીરથજીને કહેવામાં આવ્યું કારણ કે જો ગંગા નદી સીધી રીતે ભૂ લોક પર આવી જાય તો વિનાશ સર્જાઈ જાય.. માટે ભગીરથજી ભગવાન શંકરની પૂજા કરે છે અને તેમની પૂજાથી શંકર ભગવાન પ્રસન્ન થાય છે. અને તે ગંગાજીનો પ્રવાહ પોતાની જટામાં સમાઈ લે છે. અને તે બાદ ગંગા નદીનું અવતરણ પૃથ્વી પર થાય છે.. અને એટલા માટે જ ગંગા નદીને ભાગીરથી તરીકે ઓખળવામાં આવે છે..   

ગંગા નદી - વિકિપીડિયા

ગંગા સ્નાન કરવાનો હોય છે વિશેષ મહિમા

ગંગા સપ્તમીના દિવસે માતા ગંગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગંગા નદીમાં સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી જીવનના સમસ્ત પાપથી છુટકારો મળે છે. અને જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે. આપ સર્વેને ગંગા સપ્તમીની હાર્દિક શુભકામના... 


(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.