Dharma : આજે ગંગા સપ્તમી, જાણો શા માટે મનાવવામાં આવે છે ગંગા સપ્તમી?


  • Published By :
  • Published Date : 2024-05-14 16:29:37

આપણા હિન્દુ ધર્મમાં નદીઓને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.. આપણે નદીને માતા કહીએ છીએ.. ગંગા નદીનો આપણે ત્યાં વિશેષ મહિમા છે.. ગંગા નદીને આપણે ત્યાં પાપનાશીની કહેવામાં આવે છે.. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. આજે ગંગા સપ્તમી છે.. આપણા ધર્મમાં ગંગા સપ્તમીનું વિશેષ મહત્વ છે.. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી સપ્તમીને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે.. આ દિવસે ગંગાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.. 

विष्णुपदी गंगा के 108 नाम व अष्टोत्तरशतनाम स्तोत्र - Aaradhika.com

ગંગા દેવીને પાર્વતી માતાની બહેન માનવામાં આવે છે

હિંદુ શાસ્ત્રો અનુસાર ગંગા નદી ઉતર્યા હતા આ દિવસે... શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલીવાર દશેરાના દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિ જહ્નુ નદીનું પાણી બધુ પી ગયા. ત્યારે ભગીરથે તેમજ દેવતાઓએ ગંગાને છોડવા માટે વિનંતી કરી.. અને આ રીતે દેવી ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું.. દેવી ગંગાને માતા પાર્વતીની બહેન પણ માનવામાં આવે છે.. ગંગા પર્વત રાજા હિમવન અને મૈનાની પુત્રી છે, અને માતા ગંગા દેવી પાર્વતીની બહેન છે.

Auspicious Coincidence Ganga Saptami Will Be Celebrated In Three Big Yogas,  Along With Bath donation, The Whole Day Will Be Auspicious For Shopping And  New | શુભ સંયોગ: ત્રણ મોટા યોગમાં ગંગા

શું છે પૌરાણીક કથા? 

બીજી એક કથા અનુસાર રાજા ભગીરથે પોતાના પૂર્વજોને પાપોમાંથી મુક્ત કરવા માટે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું.. બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે આશ્વાસન આપ્યું કે ગાંગા નદી ભૂ લોક પર આવશે.. ભગીરથજીના પૂર્વજોને શાંતિ મળશે. ગંગા નદીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ભગવાન શંકરની પૂજા કરવા માટે ભગીરથજીને કહેવામાં આવ્યું કારણ કે જો ગંગા નદી સીધી રીતે ભૂ લોક પર આવી જાય તો વિનાશ સર્જાઈ જાય.. માટે ભગીરથજી ભગવાન શંકરની પૂજા કરે છે અને તેમની પૂજાથી શંકર ભગવાન પ્રસન્ન થાય છે. અને તે ગંગાજીનો પ્રવાહ પોતાની જટામાં સમાઈ લે છે. અને તે બાદ ગંગા નદીનું અવતરણ પૃથ્વી પર થાય છે.. અને એટલા માટે જ ગંગા નદીને ભાગીરથી તરીકે ઓખળવામાં આવે છે..   

ગંગા નદી - વિકિપીડિયા

ગંગા સ્નાન કરવાનો હોય છે વિશેષ મહિમા

ગંગા સપ્તમીના દિવસે માતા ગંગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગંગા નદીમાં સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી જીવનના સમસ્ત પાપથી છુટકારો મળે છે. અને જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે. આપ સર્વેને ગંગા સપ્તમીની હાર્દિક શુભકામના... 


(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.