Dharma : આજે ગંગા સપ્તમી, જાણો શા માટે મનાવવામાં આવે છે ગંગા સપ્તમી?


  • Published By :
  • Published Date : 2024-05-14 16:29:37

આપણા હિન્દુ ધર્મમાં નદીઓને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.. આપણે નદીને માતા કહીએ છીએ.. ગંગા નદીનો આપણે ત્યાં વિશેષ મહિમા છે.. ગંગા નદીને આપણે ત્યાં પાપનાશીની કહેવામાં આવે છે.. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. આજે ગંગા સપ્તમી છે.. આપણા ધર્મમાં ગંગા સપ્તમીનું વિશેષ મહત્વ છે.. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી સપ્તમીને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે.. આ દિવસે ગંગાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.. 

विष्णुपदी गंगा के 108 नाम व अष्टोत्तरशतनाम स्तोत्र - Aaradhika.com

ગંગા દેવીને પાર્વતી માતાની બહેન માનવામાં આવે છે

હિંદુ શાસ્ત્રો અનુસાર ગંગા નદી ઉતર્યા હતા આ દિવસે... શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલીવાર દશેરાના દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિ જહ્નુ નદીનું પાણી બધુ પી ગયા. ત્યારે ભગીરથે તેમજ દેવતાઓએ ગંગાને છોડવા માટે વિનંતી કરી.. અને આ રીતે દેવી ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું.. દેવી ગંગાને માતા પાર્વતીની બહેન પણ માનવામાં આવે છે.. ગંગા પર્વત રાજા હિમવન અને મૈનાની પુત્રી છે, અને માતા ગંગા દેવી પાર્વતીની બહેન છે.

Auspicious Coincidence Ganga Saptami Will Be Celebrated In Three Big Yogas,  Along With Bath donation, The Whole Day Will Be Auspicious For Shopping And  New | શુભ સંયોગ: ત્રણ મોટા યોગમાં ગંગા

શું છે પૌરાણીક કથા? 

બીજી એક કથા અનુસાર રાજા ભગીરથે પોતાના પૂર્વજોને પાપોમાંથી મુક્ત કરવા માટે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું.. બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે આશ્વાસન આપ્યું કે ગાંગા નદી ભૂ લોક પર આવશે.. ભગીરથજીના પૂર્વજોને શાંતિ મળશે. ગંગા નદીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ભગવાન શંકરની પૂજા કરવા માટે ભગીરથજીને કહેવામાં આવ્યું કારણ કે જો ગંગા નદી સીધી રીતે ભૂ લોક પર આવી જાય તો વિનાશ સર્જાઈ જાય.. માટે ભગીરથજી ભગવાન શંકરની પૂજા કરે છે અને તેમની પૂજાથી શંકર ભગવાન પ્રસન્ન થાય છે. અને તે ગંગાજીનો પ્રવાહ પોતાની જટામાં સમાઈ લે છે. અને તે બાદ ગંગા નદીનું અવતરણ પૃથ્વી પર થાય છે.. અને એટલા માટે જ ગંગા નદીને ભાગીરથી તરીકે ઓખળવામાં આવે છે..   

ગંગા નદી - વિકિપીડિયા

ગંગા સ્નાન કરવાનો હોય છે વિશેષ મહિમા

ગંગા સપ્તમીના દિવસે માતા ગંગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગંગા નદીમાં સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી જીવનના સમસ્ત પાપથી છુટકારો મળે છે. અને જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે. આપ સર્વેને ગંગા સપ્તમીની હાર્દિક શુભકામના... 


(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .