Dharma : આજે ગંગા સપ્તમી, જાણો શા માટે મનાવવામાં આવે છે ગંગા સપ્તમી?


  • Published By :
  • Published Date : 2024-05-14 16:29:37

આપણા હિન્દુ ધર્મમાં નદીઓને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.. આપણે નદીને માતા કહીએ છીએ.. ગંગા નદીનો આપણે ત્યાં વિશેષ મહિમા છે.. ગંગા નદીને આપણે ત્યાં પાપનાશીની કહેવામાં આવે છે.. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. આજે ગંગા સપ્તમી છે.. આપણા ધર્મમાં ગંગા સપ્તમીનું વિશેષ મહત્વ છે.. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી સપ્તમીને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે.. આ દિવસે ગંગાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.. 

विष्णुपदी गंगा के 108 नाम व अष्टोत्तरशतनाम स्तोत्र - Aaradhika.com

ગંગા દેવીને પાર્વતી માતાની બહેન માનવામાં આવે છે

હિંદુ શાસ્ત્રો અનુસાર ગંગા નદી ઉતર્યા હતા આ દિવસે... શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલીવાર દશેરાના દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિ જહ્નુ નદીનું પાણી બધુ પી ગયા. ત્યારે ભગીરથે તેમજ દેવતાઓએ ગંગાને છોડવા માટે વિનંતી કરી.. અને આ રીતે દેવી ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું.. દેવી ગંગાને માતા પાર્વતીની બહેન પણ માનવામાં આવે છે.. ગંગા પર્વત રાજા હિમવન અને મૈનાની પુત્રી છે, અને માતા ગંગા દેવી પાર્વતીની બહેન છે.

Auspicious Coincidence Ganga Saptami Will Be Celebrated In Three Big Yogas,  Along With Bath donation, The Whole Day Will Be Auspicious For Shopping And  New | શુભ સંયોગ: ત્રણ મોટા યોગમાં ગંગા

શું છે પૌરાણીક કથા? 

બીજી એક કથા અનુસાર રાજા ભગીરથે પોતાના પૂર્વજોને પાપોમાંથી મુક્ત કરવા માટે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું.. બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે આશ્વાસન આપ્યું કે ગાંગા નદી ભૂ લોક પર આવશે.. ભગીરથજીના પૂર્વજોને શાંતિ મળશે. ગંગા નદીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ભગવાન શંકરની પૂજા કરવા માટે ભગીરથજીને કહેવામાં આવ્યું કારણ કે જો ગંગા નદી સીધી રીતે ભૂ લોક પર આવી જાય તો વિનાશ સર્જાઈ જાય.. માટે ભગીરથજી ભગવાન શંકરની પૂજા કરે છે અને તેમની પૂજાથી શંકર ભગવાન પ્રસન્ન થાય છે. અને તે ગંગાજીનો પ્રવાહ પોતાની જટામાં સમાઈ લે છે. અને તે બાદ ગંગા નદીનું અવતરણ પૃથ્વી પર થાય છે.. અને એટલા માટે જ ગંગા નદીને ભાગીરથી તરીકે ઓખળવામાં આવે છે..   

ગંગા નદી - વિકિપીડિયા

ગંગા સ્નાન કરવાનો હોય છે વિશેષ મહિમા

ગંગા સપ્તમીના દિવસે માતા ગંગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગંગા નદીમાં સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી જીવનના સમસ્ત પાપથી છુટકારો મળે છે. અને જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે. આપ સર્વેને ગંગા સપ્તમીની હાર્દિક શુભકામના... 


(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .