Dharma : આજે છે નારદ જયંતી, નારાયણ નારાયણ કરી કરે છે ભક્તિનો પ્રચાર, અનેક ભક્તોને આગળ વધાર્યાં, જાણો તેમના મહિમા વિશે..


  • Published By :
  • Published Date : 2024-05-24 13:22:07

આપણા ધર્મમાં નારદ મુનિને દેવઋષિનું સ્થાન આપવામાં આવ્યું છે.. દેવર્ષી નારદ એક હાથમાં કરતાલ લઈને બીજા હાથમાં વીણા લઈને સતત નારાયણ ભગવાનનું સ્મરણ કરે છે.. નારાયણ નારાયણ નામનો તે જપ કરતા રહે છે.. નારદ મુનિને સતયુગના પત્રકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે તેમણે અનેક વખત સંદેશવાહકનું કામ કર્યું છે.. વૈશાખ વદ એકમની તિથીએ નારદ જયંતી ઉજવવામાં આવે છે.. દેવર્ષી નારદને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે.. 

Narad Jayanti 2023: આજે નારદ જયંતી, જાણો કેવી રીતે થયો નારદ મુનિનો જન્મ

અનેક ધાર્મિક ગ્રંથો આપણને મળ્યા જેમાં... 

નારદજી ગમે ત્યાં , ગમે તે લોકમાં પ્રવાસ કરી શકતા હતા... નારદજીને ના માત્ર દેવતાઓ સન્માન આપતા પરંતુ તેમનું સન્માન દૈત્યો પણ કરતા હતા.. જ્યારે કોઈ મુંજવણભરી પરિસ્થિતિ હોય ત્યારે દૈત્યો તેમની પાસે સલાહ લેવા જતા હતા..આપણે જે લીલાઓ જોઈએ ભગવાનની તેની પાછળ નારદમૂનિનો મોટો ફાળો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણને જે ધાર્મિક ગ્રંથો મળ્યા છે તેમાં પણ નારદમૂનિની મહત્વની ભૂમિકા છે. અનેક શાસ્ત્રો આપણને તેમના માધ્યમથી મળ્યા છે.. માતા પાર્વતીને તેમણે જણાવ્યું હતું કે તેમનો પતિ કેવો હશે અને કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી.. 


આકાશવાણી વિશે નારદજીએ સમજાવ્યું હતું..!

કંસ જ્યારે દેવકીની વિદાય કરી રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે દેવકીનું આઠમું સંતાન તેમનો કાળ બનશે... દેવકીજી અને વસુદેવજીને કંસે કેદ કર્યા.. પહેલા સંતાનનો જ્યારે જન્મ થયો ત્યારે વસુદેવજી સંતાનને ત્યાં લઈ ગયા. કંસને બાળક પર દયા આવી. એવું વિચાર્યું કે આઠમું સંતાન તેનું કાળ છેને.. દેવતાઓને ચિંતા થઈ કે જો કંસના પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન ધરતી પર અવતાર નહીં લઈ શકે.. ત્યારે દેવર્ષિ નારદ કંસ પાસે પહોંચ્યા અને આકાશવાણીન વિશે સમજાવ્યું.. તે બાદની વાત તો આપણે જાણીએ છીએ... નારદનો એક અર્થે એવો પણ થાય જે ક્યાંય રદ્દ નથી એ નારદ છે.. 


પત્રકાર તરીકે નારદજીને ઓળખવામાં આવે છે... 

તે સિવાય ભગવાનના ભક્તોને ભક્તિનો સંદેશો નારદજીએ આપ્યો છે.. પ્રહલાદને, ધ્રુવ સહિતના ભક્તોને તેમણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે.. એવું પણ માનવામાં આવે છે કે વાલ્મિકીજીને રામાયણ રચવા માટે નારદજીએ પ્રોત્સાહન આપ્યું હતું.. ભાગવત કથામાં પણ નારદજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આમ દેવ ઋષિ નારદજીનું કામ ભક્તિનો પ્રસાર અને પ્રચાર કરવાનું છે.. સંદેશવાહક તેમને માનવામાં આવે છે.. જો સાદી ભાષામાં કહીએ તો પૃથ્વી પર પહેલા પત્રકાર નારદજીને માનવામાં આવે છે.. આપ સૌને પણ નારદ જયંતીની હાર્દિક શુભકામના..   



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે) 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.