Dharma : આજે છે નારદ જયંતી, નારાયણ નારાયણ કરી કરે છે ભક્તિનો પ્રચાર, અનેક ભક્તોને આગળ વધાર્યાં, જાણો તેમના મહિમા વિશે..


  • Published By :
  • Published Date : 2024-05-24 13:22:07

આપણા ધર્મમાં નારદ મુનિને દેવઋષિનું સ્થાન આપવામાં આવ્યું છે.. દેવર્ષી નારદ એક હાથમાં કરતાલ લઈને બીજા હાથમાં વીણા લઈને સતત નારાયણ ભગવાનનું સ્મરણ કરે છે.. નારાયણ નારાયણ નામનો તે જપ કરતા રહે છે.. નારદ મુનિને સતયુગના પત્રકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે તેમણે અનેક વખત સંદેશવાહકનું કામ કર્યું છે.. વૈશાખ વદ એકમની તિથીએ નારદ જયંતી ઉજવવામાં આવે છે.. દેવર્ષી નારદને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે.. 

Narad Jayanti 2023: આજે નારદ જયંતી, જાણો કેવી રીતે થયો નારદ મુનિનો જન્મ

અનેક ધાર્મિક ગ્રંથો આપણને મળ્યા જેમાં... 

નારદજી ગમે ત્યાં , ગમે તે લોકમાં પ્રવાસ કરી શકતા હતા... નારદજીને ના માત્ર દેવતાઓ સન્માન આપતા પરંતુ તેમનું સન્માન દૈત્યો પણ કરતા હતા.. જ્યારે કોઈ મુંજવણભરી પરિસ્થિતિ હોય ત્યારે દૈત્યો તેમની પાસે સલાહ લેવા જતા હતા..આપણે જે લીલાઓ જોઈએ ભગવાનની તેની પાછળ નારદમૂનિનો મોટો ફાળો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણને જે ધાર્મિક ગ્રંથો મળ્યા છે તેમાં પણ નારદમૂનિની મહત્વની ભૂમિકા છે. અનેક શાસ્ત્રો આપણને તેમના માધ્યમથી મળ્યા છે.. માતા પાર્વતીને તેમણે જણાવ્યું હતું કે તેમનો પતિ કેવો હશે અને કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી.. 


આકાશવાણી વિશે નારદજીએ સમજાવ્યું હતું..!

કંસ જ્યારે દેવકીની વિદાય કરી રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે દેવકીનું આઠમું સંતાન તેમનો કાળ બનશે... દેવકીજી અને વસુદેવજીને કંસે કેદ કર્યા.. પહેલા સંતાનનો જ્યારે જન્મ થયો ત્યારે વસુદેવજી સંતાનને ત્યાં લઈ ગયા. કંસને બાળક પર દયા આવી. એવું વિચાર્યું કે આઠમું સંતાન તેનું કાળ છેને.. દેવતાઓને ચિંતા થઈ કે જો કંસના પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન ધરતી પર અવતાર નહીં લઈ શકે.. ત્યારે દેવર્ષિ નારદ કંસ પાસે પહોંચ્યા અને આકાશવાણીન વિશે સમજાવ્યું.. તે બાદની વાત તો આપણે જાણીએ છીએ... નારદનો એક અર્થે એવો પણ થાય જે ક્યાંય રદ્દ નથી એ નારદ છે.. 


પત્રકાર તરીકે નારદજીને ઓળખવામાં આવે છે... 

તે સિવાય ભગવાનના ભક્તોને ભક્તિનો સંદેશો નારદજીએ આપ્યો છે.. પ્રહલાદને, ધ્રુવ સહિતના ભક્તોને તેમણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે.. એવું પણ માનવામાં આવે છે કે વાલ્મિકીજીને રામાયણ રચવા માટે નારદજીએ પ્રોત્સાહન આપ્યું હતું.. ભાગવત કથામાં પણ નારદજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આમ દેવ ઋષિ નારદજીનું કામ ભક્તિનો પ્રસાર અને પ્રચાર કરવાનું છે.. સંદેશવાહક તેમને માનવામાં આવે છે.. જો સાદી ભાષામાં કહીએ તો પૃથ્વી પર પહેલા પત્રકાર નારદજીને માનવામાં આવે છે.. આપ સૌને પણ નારદ જયંતીની હાર્દિક શુભકામના..   



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે) 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.