Dharma : આજે છે નારદ જયંતી, નારાયણ નારાયણ કરી કરે છે ભક્તિનો પ્રચાર, અનેક ભક્તોને આગળ વધાર્યાં, જાણો તેમના મહિમા વિશે..


  • Published By :
  • Published Date : 2024-05-24 13:22:07

આપણા ધર્મમાં નારદ મુનિને દેવઋષિનું સ્થાન આપવામાં આવ્યું છે.. દેવર્ષી નારદ એક હાથમાં કરતાલ લઈને બીજા હાથમાં વીણા લઈને સતત નારાયણ ભગવાનનું સ્મરણ કરે છે.. નારાયણ નારાયણ નામનો તે જપ કરતા રહે છે.. નારદ મુનિને સતયુગના પત્રકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે તેમણે અનેક વખત સંદેશવાહકનું કામ કર્યું છે.. વૈશાખ વદ એકમની તિથીએ નારદ જયંતી ઉજવવામાં આવે છે.. દેવર્ષી નારદને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે.. 

Narad Jayanti 2023: આજે નારદ જયંતી, જાણો કેવી રીતે થયો નારદ મુનિનો જન્મ

અનેક ધાર્મિક ગ્રંથો આપણને મળ્યા જેમાં... 

નારદજી ગમે ત્યાં , ગમે તે લોકમાં પ્રવાસ કરી શકતા હતા... નારદજીને ના માત્ર દેવતાઓ સન્માન આપતા પરંતુ તેમનું સન્માન દૈત્યો પણ કરતા હતા.. જ્યારે કોઈ મુંજવણભરી પરિસ્થિતિ હોય ત્યારે દૈત્યો તેમની પાસે સલાહ લેવા જતા હતા..આપણે જે લીલાઓ જોઈએ ભગવાનની તેની પાછળ નારદમૂનિનો મોટો ફાળો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણને જે ધાર્મિક ગ્રંથો મળ્યા છે તેમાં પણ નારદમૂનિની મહત્વની ભૂમિકા છે. અનેક શાસ્ત્રો આપણને તેમના માધ્યમથી મળ્યા છે.. માતા પાર્વતીને તેમણે જણાવ્યું હતું કે તેમનો પતિ કેવો હશે અને કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી.. 


આકાશવાણી વિશે નારદજીએ સમજાવ્યું હતું..!

કંસ જ્યારે દેવકીની વિદાય કરી રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે દેવકીનું આઠમું સંતાન તેમનો કાળ બનશે... દેવકીજી અને વસુદેવજીને કંસે કેદ કર્યા.. પહેલા સંતાનનો જ્યારે જન્મ થયો ત્યારે વસુદેવજી સંતાનને ત્યાં લઈ ગયા. કંસને બાળક પર દયા આવી. એવું વિચાર્યું કે આઠમું સંતાન તેનું કાળ છેને.. દેવતાઓને ચિંતા થઈ કે જો કંસના પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન ધરતી પર અવતાર નહીં લઈ શકે.. ત્યારે દેવર્ષિ નારદ કંસ પાસે પહોંચ્યા અને આકાશવાણીન વિશે સમજાવ્યું.. તે બાદની વાત તો આપણે જાણીએ છીએ... નારદનો એક અર્થે એવો પણ થાય જે ક્યાંય રદ્દ નથી એ નારદ છે.. 


પત્રકાર તરીકે નારદજીને ઓળખવામાં આવે છે... 

તે સિવાય ભગવાનના ભક્તોને ભક્તિનો સંદેશો નારદજીએ આપ્યો છે.. પ્રહલાદને, ધ્રુવ સહિતના ભક્તોને તેમણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે.. એવું પણ માનવામાં આવે છે કે વાલ્મિકીજીને રામાયણ રચવા માટે નારદજીએ પ્રોત્સાહન આપ્યું હતું.. ભાગવત કથામાં પણ નારદજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આમ દેવ ઋષિ નારદજીનું કામ ભક્તિનો પ્રસાર અને પ્રચાર કરવાનું છે.. સંદેશવાહક તેમને માનવામાં આવે છે.. જો સાદી ભાષામાં કહીએ તો પૃથ્વી પર પહેલા પત્રકાર નારદજીને માનવામાં આવે છે.. આપ સૌને પણ નારદ જયંતીની હાર્દિક શુભકામના..   



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે) 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.