બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અંગે ચાલી રહેલી અટકળોનો આવ્યો અંત, અમદાવાદના આ વિસ્તારમાં યોજાશે કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-29 21:39:55

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે અમદાવાદના વટવામાં યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે ચાણક્યપુરી વિસ્તારમાં 29 અને 30 મે ના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યાં સ્થળ ખૂબ જ નાનું સ્થળ હોવાથી પોલીસ મંજૂરી મળી ન હતી. તેથી કાર્યક્રમનું સ્થળને બદલીને ઓગણજમાં દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાયું હતું. જો કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આગણજ ખાતે દિવ્ય દરબારને રદ કરવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના આયોજકોએ હવે દિવ્ય દરબારના સ્થળ તરીકે વટવા સ્થિત શ્રીરામ મેદાન પસંદ કર્યું છે.


શ્રીરામ મેદાન ખાતે યોજાશે દિવ્ય દરબાર


અમદાવાદના વટવામાં આવેલા શ્રીરામ મેદાન ખાતે થોડા દિવસો પહેલા દેવકીનંદન મહારાજ દ્વારા શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાના અંતિમ દિવસે બાબા બાગેશ્વરે કાર્યક્રમમાં હાજર રહીને આશીર્વચન આપ્યા હતા. ત્યારે તે જ કાર્યક્રમ સ્થળ ઉપર ફરી એકવાર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 30 મીના રોજ સાંજે 5 થી 7:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર તે જ સ્થળે યોજાનાર છે.


ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી


બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજક વટવાનું શિવકૃપા મિત્ર મંડળ છે. આ તમામ જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ શિવ મહાપુરાણનું આયોજન કરનાર શિવ કૃપા મિત્ર મંડળના કમલાકર રાજપૂતે  જણાવ્યું હતું કે વટવામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 થી 7 દિવ્ય દરબાર યોજાશે. જેના માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ અંગે આયોજક હિંમતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 30મી એ સાંજે 5 થી 7 ના સમયગાળામાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. વટવામાં દિવ્ય દરબાર યોજાશે અને વટવા ખાતે શ્રીરામ મેદાનમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે એવા સમાચાર વહેતા થતાં ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?