બાબા બાગેશ્વરે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અંબાજીમાં બાબાને આવકારવા ઉમટ્યા સેંકડો લોકો


  • Published By :
  • Published Date : 2023-05-28 15:34:56

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે બાબાનો ગુજરાતમાં ચોથો દિવસ છે, બાબા બાગેશ્વર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા બાદ મા અંબાનાં દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. બાબા બાગેશ્વરે આજે જગતજનની મા અંબાનાં અંબાનાં દર્શન કરી બપોરની આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગર્ભગૃહમાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી. બાબા આજે સવારે હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા.


બાબા બાગેશ્વરને આવકારવા ઉમટ્યા લોકો


બાબા બાગેશ્વરના આગમનને લઈને અંબાજી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોએ 'જય શ્રી રામ'નારા લગાવ્યા હતા. માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ઇસ્કોન અંબે વેલી ખાતે પહોંચ્યા છે. અંબે વેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિશ્રામ કર્યા બાદ તેઓ અમદાવાદ માટે રવાના થશે. સાંજે 5 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ઝુંડાલના કાર્યક્રમમાં જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.


અંબાજીમાં જડબેસલાક સુરક્ષા


મા અંબાનાં દર્શન માટે અંબાજી પહોંચેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. બાબા બાગેશ્વર હેલિકોપ્ટર મારફતે આજે અંબાજી પહોંચ્યા હતાં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી દર્શનાર્થે આવવાના હોવાથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ હતી. અંબાજી મંદિરના VIP રોડને અમુક સમય માટે બંધ કરી દેવાયો હતો. તો સમગ્ર અંબાજીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પોલીસ દ્વારા બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.