બાબા બાગેશ્વરે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અંબાજીમાં બાબાને આવકારવા ઉમટ્યા સેંકડો લોકો


  • Published By :
  • Published Date : 2023-05-28 15:34:56

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે બાબાનો ગુજરાતમાં ચોથો દિવસ છે, બાબા બાગેશ્વર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા બાદ મા અંબાનાં દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. બાબા બાગેશ્વરે આજે જગતજનની મા અંબાનાં અંબાનાં દર્શન કરી બપોરની આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગર્ભગૃહમાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી. બાબા આજે સવારે હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા.


બાબા બાગેશ્વરને આવકારવા ઉમટ્યા લોકો


બાબા બાગેશ્વરના આગમનને લઈને અંબાજી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોએ 'જય શ્રી રામ'નારા લગાવ્યા હતા. માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ઇસ્કોન અંબે વેલી ખાતે પહોંચ્યા છે. અંબે વેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિશ્રામ કર્યા બાદ તેઓ અમદાવાદ માટે રવાના થશે. સાંજે 5 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ઝુંડાલના કાર્યક્રમમાં જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.


અંબાજીમાં જડબેસલાક સુરક્ષા


મા અંબાનાં દર્શન માટે અંબાજી પહોંચેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. બાબા બાગેશ્વર હેલિકોપ્ટર મારફતે આજે અંબાજી પહોંચ્યા હતાં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી દર્શનાર્થે આવવાના હોવાથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ હતી. અંબાજી મંદિરના VIP રોડને અમુક સમય માટે બંધ કરી દેવાયો હતો. તો સમગ્ર અંબાજીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પોલીસ દ્વારા બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.