રાજકોટમાં દિવ્ય દરબાર યોજાય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી પ્રેસ કોન્ફરન્સ! કહ્યું 'ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા'


  • Published By :
  • Published Date : 2023-06-01 16:55:54

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં લાગી રહ્યા છે. સૌથી પહેલા સુરતમાં દિવ્ય દરબાર લાગ્યો હતો,જે બાદ અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો ત્યારે આજે રાજકોટ ખાતે તેમનો દરબાર યોજાવાનો છે. દિવ્ય દરબારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી લોકોની ભીડ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં જોવા મળી રહી છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. તે સિવાય કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.   

ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા - ધીરેન્દ્ર શાસ્ત્રી

પોતાના નિવેદનોને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ બાબા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અનેક ભક્તો રાતથી જ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં પહોંચી ગયા છે. ત્યારે દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા છે. મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મે ભારત છોડવાની જરૂર નથી. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુ રાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઉભા થાય છે.  

હનુમાનજીને લઈ બાબાએ આપ્યું હતું નિવેદન! 

બાબા VIP અને VVIP દરબાર લગાવે છે તે અંગે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. ત્યારે આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વીવીઆઈપી દરબાર વિશે મને ખબર નથી. ક્યારેય મારો દરબાર આવો થયો નથી. વીઆઈપી પાસ વેચાઈ રહ્યા હોય તો તે મુર્ખતા છે. જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી આવા દરબાર નહીં કરું. મહત્વનું છે કે આની પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ગુજરાતના પાગલો, એક વાત તમે તમારી જિંદગીમાં યાદ રાખજો. હું તમારી પાસે ધન લેવા નથી આવ્યો, ના હું તમાસી પાસે સન્માન લેવા આવ્યો છું. હું તમને મારા ખિસ્સામાંથી હનુમાન આપવા આવ્યો છું. આ નિવેદનને લઈ બાબાનો વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

 



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?