રાજકોટમાં દિવ્ય દરબાર યોજાય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી પ્રેસ કોન્ફરન્સ! કહ્યું 'ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા'


  • Published By :
  • Published Date : 2023-06-01 16:55:54

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં લાગી રહ્યા છે. સૌથી પહેલા સુરતમાં દિવ્ય દરબાર લાગ્યો હતો,જે બાદ અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો ત્યારે આજે રાજકોટ ખાતે તેમનો દરબાર યોજાવાનો છે. દિવ્ય દરબારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી લોકોની ભીડ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં જોવા મળી રહી છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. તે સિવાય કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.   

ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા - ધીરેન્દ્ર શાસ્ત્રી

પોતાના નિવેદનોને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ બાબા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અનેક ભક્તો રાતથી જ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં પહોંચી ગયા છે. ત્યારે દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા છે. મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મે ભારત છોડવાની જરૂર નથી. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુ રાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઉભા થાય છે.  

હનુમાનજીને લઈ બાબાએ આપ્યું હતું નિવેદન! 

બાબા VIP અને VVIP દરબાર લગાવે છે તે અંગે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. ત્યારે આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વીવીઆઈપી દરબાર વિશે મને ખબર નથી. ક્યારેય મારો દરબાર આવો થયો નથી. વીઆઈપી પાસ વેચાઈ રહ્યા હોય તો તે મુર્ખતા છે. જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી આવા દરબાર નહીં કરું. મહત્વનું છે કે આની પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ગુજરાતના પાગલો, એક વાત તમે તમારી જિંદગીમાં યાદ રાખજો. હું તમારી પાસે ધન લેવા નથી આવ્યો, ના હું તમાસી પાસે સન્માન લેવા આવ્યો છું. હું તમને મારા ખિસ્સામાંથી હનુમાન આપવા આવ્યો છું. આ નિવેદનને લઈ બાબાનો વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.