રાજકોટમાં દિવ્ય દરબાર યોજાય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી પ્રેસ કોન્ફરન્સ! કહ્યું 'ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા'


  • Published By :
  • Published Date : 2023-06-01 16:55:54

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર ગુજરાતના અનેક શહેરોમાં લાગી રહ્યા છે. સૌથી પહેલા સુરતમાં દિવ્ય દરબાર લાગ્યો હતો,જે બાદ અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો ત્યારે આજે રાજકોટ ખાતે તેમનો દરબાર યોજાવાનો છે. દિવ્ય દરબારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી લોકોની ભીડ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં જોવા મળી રહી છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. તે સિવાય કાલાવડ રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.   

ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા - ધીરેન્દ્ર શાસ્ત્રી

પોતાના નિવેદનોને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ બાબા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે રાજકોટ ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અનેક ભક્તો રાતથી જ જ્યાં દરબાર યોજાવાનો છે ત્યાં પહોંચી ગયા છે. ત્યારે દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને મારા ચેલા છે. મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મે ભારત છોડવાની જરૂર નથી. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુ રાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઉભા થાય છે.  

હનુમાનજીને લઈ બાબાએ આપ્યું હતું નિવેદન! 

બાબા VIP અને VVIP દરબાર લગાવે છે તે અંગે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. ત્યારે આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વીવીઆઈપી દરબાર વિશે મને ખબર નથી. ક્યારેય મારો દરબાર આવો થયો નથી. વીઆઈપી પાસ વેચાઈ રહ્યા હોય તો તે મુર્ખતા છે. જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી આવા દરબાર નહીં કરું. મહત્વનું છે કે આની પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ગુજરાતના પાગલો, એક વાત તમે તમારી જિંદગીમાં યાદ રાખજો. હું તમારી પાસે ધન લેવા નથી આવ્યો, ના હું તમાસી પાસે સન્માન લેવા આવ્યો છું. હું તમને મારા ખિસ્સામાંથી હનુમાન આપવા આવ્યો છું. આ નિવેદનને લઈ બાબાનો વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.