ધોળકા APMC ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રનું લાખોનું કૌભાંડ, બોર્ડના સભ્યોની જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માગ


  • Published By :
  • Published Date : 2024-02-09 22:26:10

ધોળકા એપીએમસીમાં ચેરમેન અને સેક્રેટરીએ લાખો રૂપિયાના ખોટા બિલો રજૂ કરી ખર્ચા કર્યાનું કોભાંડ બહાર આવ્યું છે. ધોળકા એપીએમસી ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રની જોડીના કથિત કૌભાંડને લઈ  ખેતીવાડી ઉત્પન્ન બજાર ના તમામ સમિતિ બોર્ડના સભ્યો વિરોધમાં આવ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણવા મળેલ ખોટા ખર્ચા અને નાણાંના ગેર ઉપયોગ સામે ઉપર સુધી ચેરમેન સેક્રેટરી પિતા પુત્ર ની જોડી સામે મે. નિયામક શ્રી ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને લેખિત રજૂઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે. 


કયા ખોટા ખર્ચાઓ કર્યા?


1. અનાજ યાર્ડમાં ઝાપાના રીપેરીંગ ખર્ચ રૂ.30,910 જે ખરેખર થયેલ નથી


2. કોટન યાર્ડમાં બનાવેલ બાથરૂમ ખર્ચ રૂ.1,30,100 ચૂકવ્યા જે ખરેખર 20,000 થી 25,000 જ થાય છે


3.ચેરમેન દ્વારા પ્રવાસ ભથથા પેટે દર મહિને ડીઝલના બીલો મૂકી છેલ્લા સાત માસમાં રૂ.65,000 પ્રવાસ ભથ્થાના ખર્ચા પાડ્યા છે


4. પાણી વીજળી ખર્ચ મા દર મહિને ખોટા બીલો મૂકી રૂ.500 થી રૂ.10,000 નો ખોટો ખર્ચ


5. ઈલેક્ટ્રીક રીપેરીંગ અને વસ્તુના બીલો મૂકી દર મહિને રૂ.4,000 થી રૂ. 6000 ખોટા બિલથી ચૂકવી રહ્યા છે


6. સ્ટેશનરી છપામણી ખર્ચમાં દર મહિને ખોટા બીલો મૂકી 2000 થી 3000 રૂપિયા ના નાણા ચાઉ કર્યાનું સામે આવ્યું છે. 


7. ચેરમેનના પૌત્ર અને સેક્રેટરીના પુત્રના લગ્નની કંકોત્રી નો ખર્ચ પણ માર્કેટ યાર્ડના નામે ખોટા બિલો સ્ટેશનરીના રજૂ કરી ચૂકવવામાં આવ્યો હતો


8. બાંધકામ બાબતે સિંધરેજ ગામનો જ કોન્ટ્રાક્ટર બહાદુરભાઈ બેલદાર પાસેથી બિલો મેળવી 20,000 થી 25,000 રૂપિયામાં જ બની જાય તેવું બાથરૂમનો ખર્ચ રૂપિયા એક લાખ 30 હજાર તેમના ગામના કોન્ટ્રાક્ટરને ચૂકવી બારોબાર એક લાખ રૂપિયા લઇ લીધાનું જણાઈ આવે છે તેમજ અન્ય બાંધકામના કામ પણ તેમના જ ગામના આ કોન્ટ્રાક્ટરને કામ આપી ખોટા બીલો મેળવી મોટા પાય ભ્રષ્ટાચાર આચરીને નાણા નો ગેર ઉપયોગ કરે છે આવી રીતે પોતાના અંગત લાભ માટે ખોટા બીલો રજૂ કરી નાણાંના ગેર ઉપયોગ સામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરએ વિરોધ નોંધાવ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.