ધોળકા APMC ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રનું લાખોનું કૌભાંડ, બોર્ડના સભ્યોની જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માગ


  • Published By :
  • Published Date : 2024-02-09 22:26:10

ધોળકા એપીએમસીમાં ચેરમેન અને સેક્રેટરીએ લાખો રૂપિયાના ખોટા બિલો રજૂ કરી ખર્ચા કર્યાનું કોભાંડ બહાર આવ્યું છે. ધોળકા એપીએમસી ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રની જોડીના કથિત કૌભાંડને લઈ  ખેતીવાડી ઉત્પન્ન બજાર ના તમામ સમિતિ બોર્ડના સભ્યો વિરોધમાં આવ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણવા મળેલ ખોટા ખર્ચા અને નાણાંના ગેર ઉપયોગ સામે ઉપર સુધી ચેરમેન સેક્રેટરી પિતા પુત્ર ની જોડી સામે મે. નિયામક શ્રી ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને લેખિત રજૂઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે. 


કયા ખોટા ખર્ચાઓ કર્યા?


1. અનાજ યાર્ડમાં ઝાપાના રીપેરીંગ ખર્ચ રૂ.30,910 જે ખરેખર થયેલ નથી


2. કોટન યાર્ડમાં બનાવેલ બાથરૂમ ખર્ચ રૂ.1,30,100 ચૂકવ્યા જે ખરેખર 20,000 થી 25,000 જ થાય છે


3.ચેરમેન દ્વારા પ્રવાસ ભથથા પેટે દર મહિને ડીઝલના બીલો મૂકી છેલ્લા સાત માસમાં રૂ.65,000 પ્રવાસ ભથ્થાના ખર્ચા પાડ્યા છે


4. પાણી વીજળી ખર્ચ મા દર મહિને ખોટા બીલો મૂકી રૂ.500 થી રૂ.10,000 નો ખોટો ખર્ચ


5. ઈલેક્ટ્રીક રીપેરીંગ અને વસ્તુના બીલો મૂકી દર મહિને રૂ.4,000 થી રૂ. 6000 ખોટા બિલથી ચૂકવી રહ્યા છે


6. સ્ટેશનરી છપામણી ખર્ચમાં દર મહિને ખોટા બીલો મૂકી 2000 થી 3000 રૂપિયા ના નાણા ચાઉ કર્યાનું સામે આવ્યું છે. 


7. ચેરમેનના પૌત્ર અને સેક્રેટરીના પુત્રના લગ્નની કંકોત્રી નો ખર્ચ પણ માર્કેટ યાર્ડના નામે ખોટા બિલો સ્ટેશનરીના રજૂ કરી ચૂકવવામાં આવ્યો હતો


8. બાંધકામ બાબતે સિંધરેજ ગામનો જ કોન્ટ્રાક્ટર બહાદુરભાઈ બેલદાર પાસેથી બિલો મેળવી 20,000 થી 25,000 રૂપિયામાં જ બની જાય તેવું બાથરૂમનો ખર્ચ રૂપિયા એક લાખ 30 હજાર તેમના ગામના કોન્ટ્રાક્ટરને ચૂકવી બારોબાર એક લાખ રૂપિયા લઇ લીધાનું જણાઈ આવે છે તેમજ અન્ય બાંધકામના કામ પણ તેમના જ ગામના આ કોન્ટ્રાક્ટરને કામ આપી ખોટા બીલો મેળવી મોટા પાય ભ્રષ્ટાચાર આચરીને નાણા નો ગેર ઉપયોગ કરે છે આવી રીતે પોતાના અંગત લાભ માટે ખોટા બીલો રજૂ કરી નાણાંના ગેર ઉપયોગ સામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરએ વિરોધ નોંધાવ્યો હતો.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે