ધોળકા APMC ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રનું લાખોનું કૌભાંડ, બોર્ડના સભ્યોની જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માગ


  • Published By :
  • Published Date : 2024-02-09 22:26:10

ધોળકા એપીએમસીમાં ચેરમેન અને સેક્રેટરીએ લાખો રૂપિયાના ખોટા બિલો રજૂ કરી ખર્ચા કર્યાનું કોભાંડ બહાર આવ્યું છે. ધોળકા એપીએમસી ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રની જોડીના કથિત કૌભાંડને લઈ  ખેતીવાડી ઉત્પન્ન બજાર ના તમામ સમિતિ બોર્ડના સભ્યો વિરોધમાં આવ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણવા મળેલ ખોટા ખર્ચા અને નાણાંના ગેર ઉપયોગ સામે ઉપર સુધી ચેરમેન સેક્રેટરી પિતા પુત્ર ની જોડી સામે મે. નિયામક શ્રી ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને લેખિત રજૂઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે. 


કયા ખોટા ખર્ચાઓ કર્યા?


1. અનાજ યાર્ડમાં ઝાપાના રીપેરીંગ ખર્ચ રૂ.30,910 જે ખરેખર થયેલ નથી


2. કોટન યાર્ડમાં બનાવેલ બાથરૂમ ખર્ચ રૂ.1,30,100 ચૂકવ્યા જે ખરેખર 20,000 થી 25,000 જ થાય છે


3.ચેરમેન દ્વારા પ્રવાસ ભથથા પેટે દર મહિને ડીઝલના બીલો મૂકી છેલ્લા સાત માસમાં રૂ.65,000 પ્રવાસ ભથ્થાના ખર્ચા પાડ્યા છે


4. પાણી વીજળી ખર્ચ મા દર મહિને ખોટા બીલો મૂકી રૂ.500 થી રૂ.10,000 નો ખોટો ખર્ચ


5. ઈલેક્ટ્રીક રીપેરીંગ અને વસ્તુના બીલો મૂકી દર મહિને રૂ.4,000 થી રૂ. 6000 ખોટા બિલથી ચૂકવી રહ્યા છે


6. સ્ટેશનરી છપામણી ખર્ચમાં દર મહિને ખોટા બીલો મૂકી 2000 થી 3000 રૂપિયા ના નાણા ચાઉ કર્યાનું સામે આવ્યું છે. 


7. ચેરમેનના પૌત્ર અને સેક્રેટરીના પુત્રના લગ્નની કંકોત્રી નો ખર્ચ પણ માર્કેટ યાર્ડના નામે ખોટા બિલો સ્ટેશનરીના રજૂ કરી ચૂકવવામાં આવ્યો હતો


8. બાંધકામ બાબતે સિંધરેજ ગામનો જ કોન્ટ્રાક્ટર બહાદુરભાઈ બેલદાર પાસેથી બિલો મેળવી 20,000 થી 25,000 રૂપિયામાં જ બની જાય તેવું બાથરૂમનો ખર્ચ રૂપિયા એક લાખ 30 હજાર તેમના ગામના કોન્ટ્રાક્ટરને ચૂકવી બારોબાર એક લાખ રૂપિયા લઇ લીધાનું જણાઈ આવે છે તેમજ અન્ય બાંધકામના કામ પણ તેમના જ ગામના આ કોન્ટ્રાક્ટરને કામ આપી ખોટા બીલો મેળવી મોટા પાય ભ્રષ્ટાચાર આચરીને નાણા નો ગેર ઉપયોગ કરે છે આવી રીતે પોતાના અંગત લાભ માટે ખોટા બીલો રજૂ કરી નાણાંના ગેર ઉપયોગ સામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરએ વિરોધ નોંધાવ્યો હતો.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"