ધોળકા APMC ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રનું લાખોનું કૌભાંડ, બોર્ડના સભ્યોની જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તપાસની માગ


  • Published By :
  • Published Date : 2024-02-09 22:26:10

ધોળકા એપીએમસીમાં ચેરમેન અને સેક્રેટરીએ લાખો રૂપિયાના ખોટા બિલો રજૂ કરી ખર્ચા કર્યાનું કોભાંડ બહાર આવ્યું છે. ધોળકા એપીએમસી ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રની જોડીના કથિત કૌભાંડને લઈ  ખેતીવાડી ઉત્પન્ન બજાર ના તમામ સમિતિ બોર્ડના સભ્યો વિરોધમાં આવ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણવા મળેલ ખોટા ખર્ચા અને નાણાંના ગેર ઉપયોગ સામે ઉપર સુધી ચેરમેન સેક્રેટરી પિતા પુત્ર ની જોડી સામે મે. નિયામક શ્રી ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને લેખિત રજૂઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે. 


કયા ખોટા ખર્ચાઓ કર્યા?


1. અનાજ યાર્ડમાં ઝાપાના રીપેરીંગ ખર્ચ રૂ.30,910 જે ખરેખર થયેલ નથી


2. કોટન યાર્ડમાં બનાવેલ બાથરૂમ ખર્ચ રૂ.1,30,100 ચૂકવ્યા જે ખરેખર 20,000 થી 25,000 જ થાય છે


3.ચેરમેન દ્વારા પ્રવાસ ભથથા પેટે દર મહિને ડીઝલના બીલો મૂકી છેલ્લા સાત માસમાં રૂ.65,000 પ્રવાસ ભથ્થાના ખર્ચા પાડ્યા છે


4. પાણી વીજળી ખર્ચ મા દર મહિને ખોટા બીલો મૂકી રૂ.500 થી રૂ.10,000 નો ખોટો ખર્ચ


5. ઈલેક્ટ્રીક રીપેરીંગ અને વસ્તુના બીલો મૂકી દર મહિને રૂ.4,000 થી રૂ. 6000 ખોટા બિલથી ચૂકવી રહ્યા છે


6. સ્ટેશનરી છપામણી ખર્ચમાં દર મહિને ખોટા બીલો મૂકી 2000 થી 3000 રૂપિયા ના નાણા ચાઉ કર્યાનું સામે આવ્યું છે. 


7. ચેરમેનના પૌત્ર અને સેક્રેટરીના પુત્રના લગ્નની કંકોત્રી નો ખર્ચ પણ માર્કેટ યાર્ડના નામે ખોટા બિલો સ્ટેશનરીના રજૂ કરી ચૂકવવામાં આવ્યો હતો


8. બાંધકામ બાબતે સિંધરેજ ગામનો જ કોન્ટ્રાક્ટર બહાદુરભાઈ બેલદાર પાસેથી બિલો મેળવી 20,000 થી 25,000 રૂપિયામાં જ બની જાય તેવું બાથરૂમનો ખર્ચ રૂપિયા એક લાખ 30 હજાર તેમના ગામના કોન્ટ્રાક્ટરને ચૂકવી બારોબાર એક લાખ રૂપિયા લઇ લીધાનું જણાઈ આવે છે તેમજ અન્ય બાંધકામના કામ પણ તેમના જ ગામના આ કોન્ટ્રાક્ટરને કામ આપી ખોટા બીલો મેળવી મોટા પાય ભ્રષ્ટાચાર આચરીને નાણા નો ગેર ઉપયોગ કરે છે આવી રીતે પોતાના અંગત લાભ માટે ખોટા બીલો રજૂ કરી નાણાંના ગેર ઉપયોગ સામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરએ વિરોધ નોંધાવ્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.