ધોનીએ ફેન્સને આપી પાકિસ્તાન જવાની સલાહ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-29 22:27:47

મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ચાહકો છે. પાકિસ્તાનમાં પણ ધોનીને પસંદ કરનારા લોકોની કમી નથી. પૂર્વ ભારતીય કેપ્ટન ક્રિકેટર તરીકે તે પાકિસ્તાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયો હતો. આવી સ્થિતિમાં તેણે એક ચાહકને ત્યાં જવાની સલાહ આપી હતી. આ સલાહ સાંભળ્યા બાદ ફેન્સે જે જવાબ આપ્યો તે સાંભળીને ધોની કોઈ જવાબ આપી શક્યો નહીં. જે બાદ તેણે એવો જવાબ આપ્યો કે બંને ખડખડાટ હસી પડ્યા હતા. ધોનીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. 


ધોનીએ ફેનને પાકિસ્તાન જવાની સલાહ કેમ આપી?


આ વિડીયોમાં જોવા મળે છે કે સ્વાદિષ્ટ ભોજનને લઈને એમએસ ધોની અને તેના ફેન વચ્ચે વાતચીત થઈ રહી છે. આ વચ્ચે ધોની પાકિસ્તાનમાં મળતા સ્વાદિષ્ટ ભોજનની પ્રશંસા કરે છે અને તે વ્યક્તિને કહે છે કે- તમારે એક વખત સારૂ ખાવા માટે પાકિસ્તાન જવું જોઈએ. ત્યારે રિસેપ્શન પર ઊભેલી વ્યક્તિ ધોનીની વાત સાંભળીને તરત જ જવાબ આપે છે કે-તમે સારું ખાવાની સલાહ આપશો તો પણ હું ત્યાં નહીં જઉં. મને ખાવાનું પસંદ છે પરંતુ હું ત્યાં તો કોઈ કાળે નહીં જઉં. જે બાદ બંને હસવા લાગે છે.


ધોની વર્ષ 2006માં ગયો હતો પાકિસ્તાન


ઉલ્લેખનિય છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2006માં પાકિસ્તાન ગયો હતો જ્યાં તેણે પાંચ મેચની વનડે સીરીઝમાં ત્રણ હાફસેન્ચુરી ફટકારી હતી. એક મેચમાં તેણે બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો ન હતો જ્યારે એક મેચમાં તે 2 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન ધોનીએ પાકિસ્તાનમાં અનેક જગ્યાએ લિજ્જતદાર ભોજનની મજા માણી હતી.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.