ધોનીએ ફેન્સને આપી પાકિસ્તાન જવાની સલાહ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-29 22:27:47

મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ચાહકો છે. પાકિસ્તાનમાં પણ ધોનીને પસંદ કરનારા લોકોની કમી નથી. પૂર્વ ભારતીય કેપ્ટન ક્રિકેટર તરીકે તે પાકિસ્તાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયો હતો. આવી સ્થિતિમાં તેણે એક ચાહકને ત્યાં જવાની સલાહ આપી હતી. આ સલાહ સાંભળ્યા બાદ ફેન્સે જે જવાબ આપ્યો તે સાંભળીને ધોની કોઈ જવાબ આપી શક્યો નહીં. જે બાદ તેણે એવો જવાબ આપ્યો કે બંને ખડખડાટ હસી પડ્યા હતા. ધોનીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. 


ધોનીએ ફેનને પાકિસ્તાન જવાની સલાહ કેમ આપી?


આ વિડીયોમાં જોવા મળે છે કે સ્વાદિષ્ટ ભોજનને લઈને એમએસ ધોની અને તેના ફેન વચ્ચે વાતચીત થઈ રહી છે. આ વચ્ચે ધોની પાકિસ્તાનમાં મળતા સ્વાદિષ્ટ ભોજનની પ્રશંસા કરે છે અને તે વ્યક્તિને કહે છે કે- તમારે એક વખત સારૂ ખાવા માટે પાકિસ્તાન જવું જોઈએ. ત્યારે રિસેપ્શન પર ઊભેલી વ્યક્તિ ધોનીની વાત સાંભળીને તરત જ જવાબ આપે છે કે-તમે સારું ખાવાની સલાહ આપશો તો પણ હું ત્યાં નહીં જઉં. મને ખાવાનું પસંદ છે પરંતુ હું ત્યાં તો કોઈ કાળે નહીં જઉં. જે બાદ બંને હસવા લાગે છે.


ધોની વર્ષ 2006માં ગયો હતો પાકિસ્તાન


ઉલ્લેખનિય છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2006માં પાકિસ્તાન ગયો હતો જ્યાં તેણે પાંચ મેચની વનડે સીરીઝમાં ત્રણ હાફસેન્ચુરી ફટકારી હતી. એક મેચમાં તેણે બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો ન હતો જ્યારે એક મેચમાં તે 2 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન ધોનીએ પાકિસ્તાનમાં અનેક જગ્યાએ લિજ્જતદાર ભોજનની મજા માણી હતી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.