ધોનીએ ફેન્સને આપી પાકિસ્તાન જવાની સલાહ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-29 22:27:47

મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ચાહકો છે. પાકિસ્તાનમાં પણ ધોનીને પસંદ કરનારા લોકોની કમી નથી. પૂર્વ ભારતીય કેપ્ટન ક્રિકેટર તરીકે તે પાકિસ્તાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયો હતો. આવી સ્થિતિમાં તેણે એક ચાહકને ત્યાં જવાની સલાહ આપી હતી. આ સલાહ સાંભળ્યા બાદ ફેન્સે જે જવાબ આપ્યો તે સાંભળીને ધોની કોઈ જવાબ આપી શક્યો નહીં. જે બાદ તેણે એવો જવાબ આપ્યો કે બંને ખડખડાટ હસી પડ્યા હતા. ધોનીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. 


ધોનીએ ફેનને પાકિસ્તાન જવાની સલાહ કેમ આપી?


આ વિડીયોમાં જોવા મળે છે કે સ્વાદિષ્ટ ભોજનને લઈને એમએસ ધોની અને તેના ફેન વચ્ચે વાતચીત થઈ રહી છે. આ વચ્ચે ધોની પાકિસ્તાનમાં મળતા સ્વાદિષ્ટ ભોજનની પ્રશંસા કરે છે અને તે વ્યક્તિને કહે છે કે- તમારે એક વખત સારૂ ખાવા માટે પાકિસ્તાન જવું જોઈએ. ત્યારે રિસેપ્શન પર ઊભેલી વ્યક્તિ ધોનીની વાત સાંભળીને તરત જ જવાબ આપે છે કે-તમે સારું ખાવાની સલાહ આપશો તો પણ હું ત્યાં નહીં જઉં. મને ખાવાનું પસંદ છે પરંતુ હું ત્યાં તો કોઈ કાળે નહીં જઉં. જે બાદ બંને હસવા લાગે છે.


ધોની વર્ષ 2006માં ગયો હતો પાકિસ્તાન


ઉલ્લેખનિય છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2006માં પાકિસ્તાન ગયો હતો જ્યાં તેણે પાંચ મેચની વનડે સીરીઝમાં ત્રણ હાફસેન્ચુરી ફટકારી હતી. એક મેચમાં તેણે બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો ન હતો જ્યારે એક મેચમાં તે 2 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન ધોનીએ પાકિસ્તાનમાં અનેક જગ્યાએ લિજ્જતદાર ભોજનની મજા માણી હતી.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.