અમેરિકામાં ધોની, Donald Trump સાથે M.S.Dhoni રમ્યા ગોલ્ફ, ફોટો થઈ ગયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-09-08 12:44:42

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની લોકચાહના માત્ર ભારત પૂરતી સિમીત નથી. વિશ્વભરમાં તેમના ફેન્સ છે, તેમને ચાહનારા છે. એમ.એસ ધોનીનો એક ફોટો થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં તે કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા હતા. એ ફોટો વાયરલ થયા બાદ અનેક લોકોએ કેન્ડી ક્રશ ગેમ ડાઉનલોડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ફોટો ધોનીનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં એમ.એસ.ધોની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ગોલ્ફ રમી રહ્યા છે. લોકોને આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે. 

MS dhoni has also spotted during us open 2023.

ધોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રમી ગોલ્ફ!

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મહેન્દ્રસિંહ ધોની જોવા મળી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને ગોલ્ફ રમતા દેખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે મહેન્દ્રસિંહ ધોનીને ગોલ્ફ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. ફોટો સામે આવ્યો છે તેમાં પાંચ લોકો દેખાય છે. વેકેશન માણવા માટે એમ.એસ.ધોની અમેરિકા ગયા છે.આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને ધોનીની વાતો સામે આવી છે પરંતુ જે ફોટો સામે આવ્યો છે તેમાં પાંચ લોકો છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ બંને ગોલ્ફ રમતા દેખાઈ રહ્યા છે. તે વીડિયોમાં એમ.એસ.ધોની તો દેખાઈ રહ્યા છે પરંતુ ટ્રમ્પ નથી દેખાતા. આની પહેલા પણ ધોનીના ગોલ્ફ રમતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .