અમેરિકામાં ધોની, Donald Trump સાથે M.S.Dhoni રમ્યા ગોલ્ફ, ફોટો થઈ ગયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-09-08 12:44:42

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની લોકચાહના માત્ર ભારત પૂરતી સિમીત નથી. વિશ્વભરમાં તેમના ફેન્સ છે, તેમને ચાહનારા છે. એમ.એસ ધોનીનો એક ફોટો થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં તે કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા હતા. એ ફોટો વાયરલ થયા બાદ અનેક લોકોએ કેન્ડી ક્રશ ગેમ ડાઉનલોડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ફોટો ધોનીનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં એમ.એસ.ધોની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ગોલ્ફ રમી રહ્યા છે. લોકોને આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે. 

MS dhoni has also spotted during us open 2023.

ધોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રમી ગોલ્ફ!

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મહેન્દ્રસિંહ ધોની જોવા મળી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને ગોલ્ફ રમતા દેખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે મહેન્દ્રસિંહ ધોનીને ગોલ્ફ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. ફોટો સામે આવ્યો છે તેમાં પાંચ લોકો દેખાય છે. વેકેશન માણવા માટે એમ.એસ.ધોની અમેરિકા ગયા છે.આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને ધોનીની વાતો સામે આવી છે પરંતુ જે ફોટો સામે આવ્યો છે તેમાં પાંચ લોકો છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ બંને ગોલ્ફ રમતા દેખાઈ રહ્યા છે. તે વીડિયોમાં એમ.એસ.ધોની તો દેખાઈ રહ્યા છે પરંતુ ટ્રમ્પ નથી દેખાતા. આની પહેલા પણ ધોનીના ગોલ્ફ રમતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.