સૌરાષ્ટ્રના આ બે તાલુકામાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-18 21:15:15

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહીના પગલે આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે 12 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતના 124 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગીર સોમનાથના સુત્રાપાડામાં આખા દિવસ દરમિયાન પોણા 14 ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં  સાડા 9 ઈંચ વરસાદ, કોડિનાર તાલુકામાં સાડા 6 ઈંચ, વેરાવળમાં 4.3 ઈંચ અને તાલાલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢમાં મેંદરડામાં 100 મિમી, રાજકોટના ઉપલેટામાં 76 મિમી, જૂનાગઢના માળીયા-હાટીનામાં 73 મિમી અને કેશોદમાં 69 મિમી વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન 27 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  


સુત્રાપાડા અને ધોરાજીમાં જળબંબાકાર 


હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બહારપુરા ઉપરાંત કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


ભાદર-2 ડેમ ઓવરફ્લો, 20 ગામોને એલર્ટ  


ધોરાજીમાં ભારે વરસાદના કારણે ભાદર-02 ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણ વાળા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભાદર ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. જેને કારણે તંત્ર દ્વારા ગામોમાં રહેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ ચોથી વાર ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.