સૌરાષ્ટ્રના આ બે તાલુકામાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-18 21:15:15

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહીના પગલે આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે 12 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતના 124 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગીર સોમનાથના સુત્રાપાડામાં આખા દિવસ દરમિયાન પોણા 14 ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં  સાડા 9 ઈંચ વરસાદ, કોડિનાર તાલુકામાં સાડા 6 ઈંચ, વેરાવળમાં 4.3 ઈંચ અને તાલાલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢમાં મેંદરડામાં 100 મિમી, રાજકોટના ઉપલેટામાં 76 મિમી, જૂનાગઢના માળીયા-હાટીનામાં 73 મિમી અને કેશોદમાં 69 મિમી વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન 27 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  


સુત્રાપાડા અને ધોરાજીમાં જળબંબાકાર 


હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બહારપુરા ઉપરાંત કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


ભાદર-2 ડેમ ઓવરફ્લો, 20 ગામોને એલર્ટ  


ધોરાજીમાં ભારે વરસાદના કારણે ભાદર-02 ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણ વાળા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભાદર ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. જેને કારણે તંત્ર દ્વારા ગામોમાં રહેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ ચોથી વાર ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.