સૌરાષ્ટ્રના આ બે તાલુકામાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-18 21:15:15

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહીના પગલે આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે 12 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતના 124 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગીર સોમનાથના સુત્રાપાડામાં આખા દિવસ દરમિયાન પોણા 14 ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં  સાડા 9 ઈંચ વરસાદ, કોડિનાર તાલુકામાં સાડા 6 ઈંચ, વેરાવળમાં 4.3 ઈંચ અને તાલાલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢમાં મેંદરડામાં 100 મિમી, રાજકોટના ઉપલેટામાં 76 મિમી, જૂનાગઢના માળીયા-હાટીનામાં 73 મિમી અને કેશોદમાં 69 મિમી વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન 27 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  


સુત્રાપાડા અને ધોરાજીમાં જળબંબાકાર 


હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બહારપુરા ઉપરાંત કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


ભાદર-2 ડેમ ઓવરફ્લો, 20 ગામોને એલર્ટ  


ધોરાજીમાં ભારે વરસાદના કારણે ભાદર-02 ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણ વાળા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભાદર ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. જેને કારણે તંત્ર દ્વારા ગામોમાં રહેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ ચોથી વાર ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.