સૌરાષ્ટ્રના આ બે તાલુકામાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-18 21:15:15

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહીના પગલે આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે 12 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતના 124 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગીર સોમનાથના સુત્રાપાડામાં આખા દિવસ દરમિયાન પોણા 14 ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં  સાડા 9 ઈંચ વરસાદ, કોડિનાર તાલુકામાં સાડા 6 ઈંચ, વેરાવળમાં 4.3 ઈંચ અને તાલાલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢમાં મેંદરડામાં 100 મિમી, રાજકોટના ઉપલેટામાં 76 મિમી, જૂનાગઢના માળીયા-હાટીનામાં 73 મિમી અને કેશોદમાં 69 મિમી વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન 27 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  


સુત્રાપાડા અને ધોરાજીમાં જળબંબાકાર 


હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બહારપુરા ઉપરાંત કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


ભાદર-2 ડેમ ઓવરફ્લો, 20 ગામોને એલર્ટ  


ધોરાજીમાં ભારે વરસાદના કારણે ભાદર-02 ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણ વાળા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભાદર ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. જેને કારણે તંત્ર દ્વારા ગામોમાં રહેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ ચોથી વાર ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.