અમદાવાદના ધ્યાન આચાર્યની અનોખી સિદ્ધિ, 11:50 કલાકમાં પૂર્ણ કરી 53 કિમી સિંહગઢ અલ્ટ્રા મેરેથોન


  • Published By :
  • Published Date : 2023-12-11 23:04:13

મહારાષ્ટ્રના જ નહીં પણ દેશના મહાન સપૂત છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350 મી વર્ષગાંઠ પર એસઆરટીએલ અલ્ટ્રા મેરેથોન સ્પર્ધા તેમના મહાન કાર્યને શ્રદ્ધાંજલિ આપવા અને ઇતિહાસના સાક્ષી સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા ખાતે  અલ્ટ્રા મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા (એસઆરટીએલ) કિલ્લાઓનું જતન  તથા વારસાને સાચવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન વેસ્ટર્ન ઘાટ રનિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ધ્યાન આચાર્ય સહીત ગુજરાતના 19 દોડવીરોની એક ટીમ અલ્ટ્રા મેરેથોન કરવા માટે સિંહગઢ (પુણે, મહારાષ્ટ્ર) ગઈ હતી. જેમાં અમદાવાદના 21  વર્ષીય યુવાન ધ્યાન આચાર્યએ અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કરતા 11:50 કલાક-53 કિમી પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.


અન્ય દેશોના સ્પર્ધકોએ પણ ભાગ લીધો


સિંહગઢ ખાતે યોજાયેલી આ અલ્ટ્રા મેરેથોન અંગે ધ્યાન આચાર્યે જણાવ્યું હતું કે આ સ્પર્ધાનું છઠ્ઠું વર્ષ છે. મેરેથોનનો માર્ગ સિંહગઢની તળેટીથી તોરના કિલ્લા સુધી અને લિંગના સુલખાની તળેટી સુધીનો હતો. આ ઉપરાંત આ ચેમ્પિયનશિપમાં 7 દેશો એટલે કે નોર્વે, આઇસલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કેનેડા, નેપાળ, 24 રાજ્યો અને ભારતના 55 શહેરોના 900 થી વધુ દોડવીરો  ભાગ લઈ રહ્યા હતા.અને  મેરેથોન ત્રણ કક્ષાના  યોજાઈ હતી.-100 કિમી, 53 કિમી, 25 કિમી અને 11 કિમી. હતી.


સ્પર્ધકોમાં છે લોકપ્રિય


સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા (SRTL) અલ્ટ્રા મેરેથોનએ પ્રાચીન સિંહગઢ-રાજગઢ-તોરણા કિલ્લાઓના માર્ગ પર એક રોમાંચક સ્પર્ધા છે,  આ માર્ગ ઐતિહાસિક અને મનોહર મહત્વનો છે, જે માર્ગદર્શક માર્ગ અને પર્વતીય માર્ગ તરીકે કામ કરે છે.  તે સમયે વેપાર, અવન જાવન અને શાસક રાજાઓ વચ્ચેની લડાઈઓ માટે પણ મહત્વપૂર્ણ યુદ્ધ ક્ષેત્ર  હતું.  એક સમયે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની ગણાતો રાજગઢ કિલ્લો આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. પુણેના સમૃદ્ધ વારસાને આવરી લેતા, ભવ્ય સિંહગઢ, રાજગઢ અને તોરણા કિલ્લાઓ વચ્ચેથી પસાર થવાનો હેરિટેજ વોક અનુભવ કરવા માટે દોડવીરો સ્પર્ધાની કાગડોળે રાહ જોતા હોય છે.




પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.